1. Home
  2. ગુજરાતી
  3. પીએમ મોદીએ RBIની બે નવી સ્કીમને કરી લૉન્ચ, આ રીતે રોકાણકારોને થશે ફાયદો
પીએમ મોદીએ RBIની બે નવી સ્કીમને કરી લૉન્ચ, આ રીતે રોકાણકારોને થશે ફાયદો

પીએમ મોદીએ RBIની બે નવી સ્કીમને કરી લૉન્ચ, આ રીતે રોકાણકારોને થશે ફાયદો

0
Social Share
  • PM મોદીએ RBIની બે નવી સ્કીમ લોન્ચ કરી
  • હવે રિટેલ રોકાણકારો આ સ્કીમમાં સુધી રોકાણ કરી શકશે
  • આ છે તેના ફાયદાઓ

નવી દિલ્હી: રિટેલ ડાયરેક્ટ સ્કીમ અને ઇન્ટિગ્રેટેડ ઓમ્બડ્સમેન સ્કીમનું લોન્ચિંગ પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કર્યું હતું. RBIની આ બંને સ્કીમો સરકારી સિક્યોરિટીઝમાં રિટેઇલ ભાગીદારી વધારશે અને તે ઉપરાંત ઇન્ટિગ્રેટેડ ઓમ્બડ્સમેન સ્કીમનો હેતુ ફરિયાદ નિવારણ પ્રણાલીમાં વધુ સુધારો કરવાનો છે.

આ સ્કીમ દ્વારા હવે સામાન્ય રોકાણકારો પણ સરકારી સિક્યોરિટીઝ અને બોન્ડમાં રોકાણ કરી શકશે. તેઓને રોકાણ માટે એક નવું બજાર પ્રાપ્ત થશે.

રિટેલ ડાયરેક્ટ સ્કીમની રજૂઆત પછી તમારે સરકારી સિક્યોરિટીઝમાં રોકાણ કરવા માટે ગિલ્ટ એકાઉન્ટ ખોલવું પડશે. આ ખાતું મફતમાં ખોલવામાં આવશે. આરબીઆઈ એકાઉન્ટનું સંચાલન કરશે અને તમે તેને માત્ર ઓનલાઈન જ ઓપરેટ કરી શકશો. જો તમે સરળ ભાષામાં સમજો છો, તો તે તમારા બેંક ખાતા જેવું હશે.

આરબીઆઈ રિટેલ ડાયરેક્ટ સ્કીમની જાહેરાત આ વર્ષે 5 ફેબ્રુઆરીએ કરવામાં આવી હતી. આ યોજનાની જાહેરાત કરતા, RBI ગવર્નર શક્તિકાંત દાસે તેને એક મહત્વપૂર્ણ નીતિ સુધારણા ગણાવી હતી.

રિઝર્વ બેંક ઈન્ટીગ્રેટેડ ઓમ્બડ્સમેન સ્કીમ (RB-IOS) નો હેતુ ફરિયાદ નિવારણ પદ્ધતિમાં વધુ સુધારો કરવાનો છે. આ યોજના દ્વારા કેન્દ્રીય બેંકની નિયમનકારી સંસ્થાઓના ગ્રાહકોની ફરિયાદોને વધુ સારી રીતે ઉકેલવામાં આવશે. યોજનાની કેન્દ્રીય થીમ ‘વન નેશન વન ઓમ્બડ્સમેન’ છે.

નોંધનીય છે કે, આ હેઠળ એક પોર્ટલ એક ઈ-મેલ અને એક સરનામું હશે જ્યાં ગ્રાહકો તેમની ફરિયાદો નોંધાવી શકશે. તમે તમારી ફરિયાદોનું સ્ટેટસ જાણી શકશો અને ફીડબેક આપી શકશો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code