1. Home
  2. ગુજરાતી
  3. સેબીએ HDFC બેંકને ફટકાર્યો 1 કરોડ રૂપિયાનો દંડ

સેબીએ HDFC બેંકને ફટકાર્યો 1 કરોડ રૂપિયાનો દંડ

0
Social Share
  • પ્રાઇવેટ સેક્ટરની અગ્રણી બેંક HDFC મુશ્કેલીમાં મુકાઇ
  • સેબીએ HDFC બેંકને ફટકાર્યો 1 કરોડ રૂપિયાનો જંગી દંડ
  • બેંકે નિયામકના વચગાળાના આદેશનું ઉલ્લંઘન કર્યું હતું

મુંબઇ: પ્રાઇવેટ સેક્ટરની અગ્રણી બેંક HDFC મુશ્કેલીમાં મૂકાઇ છે. ભારતીય શેરબજાર નિયામક સેબીએ એચડીએફસી બેંકને 1 કરોડ રૂપિયાનો જંગી દંડ ફટકાર્યો છે. HDFC બેંક ઉપર આરોપ મૂકાયો હતો કે તેણે સ્ટોક બ્રોકર BRH વેલ્થ ક્રેટર્સની જામીનગીરીને ગીરવે મૂકી છે. આથી નિયામકના વચગાળાના આદેશનું ઉલ્લંઘન થયું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, સેબીએ HDFC બેંકને એવો પણ નિર્દેશ કર્યો છે કે જ્યાં સુધી ક્લાયન્ટના ઇશ્યૂનું સેટલમેન્ટ નહીં થાય ત્યાં સુધી 158.68 કરોડ રૂપિયા 1 ટકા વ્યાજ સાથે એસ્ક્રો એકાઉન્ટમાં રાખવામાં આવશે.

આ કેસ ત્યારે શરૂ થયો જ્યારે HDFC બેંકે સેબી તરફથી 7 ઑક્ટોબર 2019ના BRH વેલ્થ ક્રિએટર્સ અને અન્ય કંપનીઓ વિરુદ્વ જારી ઇન્ટરિમ ઓર્ડરનું પાલન ન કરતા જામીનગીરીઓને ગીરવે મૂકી દીધી હતી.

પોતાના આ વચગાળાના આદેશમાં સેબીએ BRH વેલ્થ ક્રિયેટર્સની સિક્યોરિટીઝમાં કોઇ પણ પ્રકારના અંડરટેકિંગ કે ગતિવિધી કરવાની મનાઇ ફરમાવી હતી. સેબીએ કહ્યુ હતુ કે, તેની એસેટ્સનો ઉપયોગ માત્ર નાણાં કે જામીનગીરીની ડિલિવરીમાં જ કરવામાં આવશે. એવામાં એસેટ્સ એટલે કે BRHની સંપત્તિઓ અને એવી જામનગીરીઓ પણ શામેલ હશે જે ગિરવે મૂકીને નાણાં એક્ત્ર કરવામાં આવ્યાછે. તેની સાથે જ સેબીએ બેન્ક અને ડિપોઝિટર્સને પણ કહ્યુ હતુ કે તેઓ BRHના એકાઉન્ટ કે ડીમેટ એકાઉન્ટમાં કોઇ પણ પ્રકારની ચુકવણી ન કરે.

સેબીને જાણવા મળ્યું હતું કે, 14મી ઑક્ટોબર 2019ના રોજ HDFC બેંકે BRH વેલ્થ ક્રિએટર્સની જામીનગીરીઓ ગીરવે મૂકીને 158.68 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. હવે, સેબીએ 7 ટકાના વ્યાજ સાથે આ રકમ એસ્ક્રો એકાઉન્ટમાં જમા કરવાનો નિર્દેશ આપ્યો છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code