
શું ડેન્ગ્યુના દર્દી પણ આ બીમારી ફેલાવી શકે છે? જાણો હેલ્થ એક્સપર્ટનો જવાબ
ડેન્ગ્યૂના તાવમાં હાડકા અને સેનાયુઓમાં તેજ દુખાવો થાય છે. શું ડેન્ગ્યૂના દર્દી બીમારી ફેલાવી શકે છે? સાથે જાણો તેના પ્રારંભિક લક્ષણો.
ડેન્ગ્યુ એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાઈ શકતો નથી. જો ડેન્ગ્યુથી સંક્રમિત વ્યક્તિને મચ્છર કરડે છે અને પછી તંદુરસ્ત વ્યક્તિને કરડે છે, તો ડેન્ગ્યુ ફેલાઈ શકે છે.
સગર્ભાવસ્થા દરમિયાન ડેન્ગ્યુ વાયરસથી સંક્રમિત મહિલા ગર્ભાવસ્થા દરમિયાન અથવા જન્મ સમયે તેના ગર્ભમાં વાયરસ પસાર કરી શકે છે. ડેન્ગ્યુની ખતરનાક અસરો બાળકમાં જોવા મળે છે. જેમાં ભ્રૃણ મૃત્યુ, ઓછું વજન અને બાળકનો સમય પહેલા જન્મ પણ થઈ શકે છે.
ડેન્ગ્યુથી સંક્રમિત દર્દીને અચાનક તાવ આવે છે. તેમને શરીર અને સાંધામાં ભારે દુખાવો થવા લાગે છે. પેટ અને માથામાં પણ દુખાવો થાય છે.
ડેન્ગ્યુ તાવથી માથાનો દુખાવો અને પેટમાં દુખાવો થાય છે. ડેન્ગ્યુના દર્દીઓને થાક અને ઉલ્ટી થઈ શકે છે. દર્દીના પ્લેટલેટ્સ અચાનક ઘટવા લાગે છે.
ડેન્ગ્યુ તાવ 7-10 દિવસ સુધી રહે છે. ત્રીજા દિવસથી સાતમા દિવસ સુધી દર્દીઓની હાલત ખરાબ થવા લાગે છે. તેથી, ડેન્ગ્યુના દર્દીના ઘટતા પ્લેટલેટની ખાસ કાળજી લેવી જોઈએ.