1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

જુનાગઢ યાર્ડમાં કેસર કેરીની 417 ક્વિન્ટલ આવક, 1000થી લઈ 2800નો મણનો ભાવ બોલાયો

જુનાગઢ: ગીર પંથકમાં આ વર્ષે પ્રતિકૂળ વાતાવરણને કારણે કેસર કેરીના પાકને અસર પહોંચી હતી. તેના કારણે કેસર કેરીના પાકની આવક દર વર્ષની તુલના ઘટી છે, સૌરાષ્ટ્રના ગોંડલ, રાજકોટ, તલાળા સહિતના યાર્ડમાં કેરીની આવક થઈ રહી છે. જેમાં જુનાગઢના યાર્ડમાં સોમવારે કેસર કેરીની આવક 417 ક્વિન્ટલ થઈ હતી. જેમાં એક મણ કેસર કેરીનો ઊંચો ભાવ 2800 […]

ક્ષત્રિય સમાજનું ભાજપને ટેન્શન, ડેમેજ કન્ટ્રોલ માટે ભાજપના બે નેતાઓએ મીટિંગનો દોર શરૂ કર્યો

અમદાવાદઃ લોકસભાની રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલએ કરેલા ઉચ્ચારણોથી નારાજ બનેલા ક્ષત્રિય સમાજે રૂપાલીની ટિકિટ રદ કરવાની માગણી કરી હતી. પણ ભાજપે ટિકિટ રદ નહીં કરીને મક્કમ રહેતા હવે ભાજપ સામે પડ્યો છે. ગામેગામ ભાજપને નો અન્ટ્રીના બોર્ડ લાગી રહ્યા છે. ક્ષત્રિય સમાજની બહેનોએ ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. તેમજ ક્ષત્રિય સમાજ દ્વારા ધર્મરથ […]

PM મોદી લીમખેડા, દાહોદ અને પંચમહાલની સંયુક્ત ચૂંટણી સભાને સંબોધશે, ભાજપે શરૂ કરી તૈયારી

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની 7મી મેના રોજ યોજાનારી ચૂંટણી માટે રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. અને મતદારોને રીઝવવા માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભાજપએ રણનીતિ અપનાવીને ચૂંટણી પહેલા જ સુરતની બેઠક બિન હરિફ મેળવી લીધી છે. મતદાનના દિવસને હવે પખવાડિયોનો સમય બાકી રહ્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર […]

AMC કચેરીમાં સામાન્ય સભાના પ્રારંભ પહેલા કોંગ્રેસે દૂષિત પાણી, રોગચાળોના મુદ્દે કર્યો વિરોધ

અમદાવાદઃ શહેરના કેટલાક વિસ્તારોમાં પ્રદૂષિત પાણીને કારણે રોગચાળો વધી રહ્યો છે. શહેરના કોટ વિસ્તારમાં તો ઘણા સમયથી પ્રદૂષિત પાણીનું વિતરણ કરાતું હોવાની ફરિયાદો ઊઠી છે. જમીનમાં ધરબાયેલી વર્ષો જુની પાણીની લાઈનો તૂટી ગઈ છે. જેથી ગટરનું પાણી પણ મિશ્રિત થતું હોવાની દહેશત છે. શહેરમાં વધતા જતા રોગચાળા અને પ્રદૂષિત પાણીને લઈ સોમવારે વિપક્ષ કોંગ્રેસ દ્વારા […]

શક્તિપીઠ અંબાજીમાં આજે ચૈત્રી પુનમે શ્રદ્ધાળુઓ ઉમટી પડશે, મંદિરના શિખરે ધજાઓ ચડાવાશે

અંબાજીઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ ગણાતા અંબાજી મંદિરમાં રોજબરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવતા હોય છે. જેમાં ચૈત્રી પૂનમના માતાજીના દર્શનનું અનેરૂ મહાત્મ્ય છે. આજે ચૈત્રી પુનમનો દિન હોવાથી દિવસ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે. ઘણા યાત્રિકો સોમવારે અંબાજી પહોંચી ગયા છે. ચૈત્રી પૂનમના દિને મંદિરના શિખર પર ધજાઓ ચડાવાશે યાત્રાધામ અંબાજીમાં […]

ગુજરાતમાં ધોરણ 6થી 9ના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃતિની પરીક્ષા તા. 28મી એપ્રિલને રવિવારે લેવાશે

અમદાવાદઃ  રાજ્યમાં ધોરણ-6 અને 9ના વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિની પરીક્ષા આગામી તા. 28મી એપ્રિલના રોજ લાવામાં આવશે. આ પરીક્ષા માટે જે વિદ્યાર્થીઓએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું છે, શાળાઓએ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈડ પરથી હોટ ટિકિટ ડાઉનલોડ કરીને એના પર વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઈઝનો ફોટો લગાવીને શાળાના આચાર્યના સહીં-સિક્કા કરાવી આપવાનો રહેશે. રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક તેમજ માધ્યમિક શાળામાં […]

વાઘોડિયાની પેટા ચૂંટણીમાં મધુ શ્રીવાસ્તવે ઉમેદવારી પાછી ખેંચી કોંગ્રેસને ટેકો જાહેર કર્યો

વડોદરાઃ ગુજરાતમાં લોકસભાની 26 બેઠકોની ચૂંટણી સાથે વિધાનસભાની પાંચ બેઠકોની પેટા ચૂંટણી પણ 7મી મેના રોજ યોજાશે. જેમાં વાઘોડિયા બેઠકનો પણ સમાવેશ થાય છે. વાઘોડિયાની બેઠક પર દબંગ ગણાતા નેતા અને પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધવતા ભાજપ કોંગ્રેસ અને મધુ શ્રીવાસ્તવ વચ્ચે ત્રિકોણિયો જંગ જામવાનો હતો. પરંતુ મધુ શ્રીવાસ્તવે ઉમેદવારી પાછી ખેંચીને […]

સેન્ટ્રલ યુનિવર્સિટીમાં પ્રવેશ માટેની પરીક્ષા તા. 15મી મેથી 24મી મે દરમિયાન લેવાશે,

અમદાવાદઃ દેશની ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં આવેલી કેન્દ્ર અને યુજીસી હસ્તકની સેન્ટ્રલ યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટેની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આગામી 15મી મેથી 24મી મે દરમિયાન લેવામાં આવશે. આ પરીક્ષા ઓનલાઈન અને ઓફલાઈન એમ બન્ને રીતે આપી શકાશે, આ પરીક્ષા માટે 13 લાખથી વધુ વિદ્યાર્થીઓ રજિસ્ટર્ડ થયા છે. અને દેશભરના કેન્દ્રો પર આ પરીક્ષા લેવામાં આવશે કેન્દ્રના […]

અમદાવાદમાં 6965 લોકો પાસે છે, લાયસન્સવાળી બંદુકો, 5765એ હથિયારો જમા કરાવ્યાં

અમદાવાદઃ શહેર અને જિલ્લામાં 6965 લોકો પાસે લાયસન્સવાળા હથિયારો છે. ઘણા લોકો પોતાના રક્ષણ માટે તેમજ સમાજમાં મોભો રાખવા માટે બંદુક કે રિવોલ્વર રાખવા માટે સરકારમાંથી લાયસન્સ લેતા હોય છે. લાયસન્સ મેળવ્યા બાદ બદુક કે રિવોલ્વર તેમજ તેના કાર્ટીસની પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવવી પડે છે. રાજ્યમાં લોકસભાની ચૂંટણી માટે આચારસંહિતા લાગુ થતાં જ અમદાવાદ શહેર […]

AMCએ ખાનગી – ગ્રાન્ટેડ શાળાઓને વ્યવસાય વેરાના મુદ્દે આપેલી નોટિસો સામે મંડળનો વિરોધ

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ખાનગી શાળાઓને પ્રોફેશનલ ટેક્સના મુદ્દે નાટિસો પાઠવી છે. જેમાં PEC નંબર અંગેની નોંધણી કરાવવા કહેવામાં આવ્યુ છે. એએમસીએ ખાનગી શાળાઓને આપેલી નોટિસ બાદ સ્કૂલ એસોસિયેશનના પ્રમુખે મ્યુનિસિપલ કમિશ્નરને પત્ર લખીને જણાવ્યું છે કે, સ્કૂલ એ નોન પ્રેક્ટિકલ અને સેવાકીય હેતુ માટે ચાલે છે, જેથી સ્કૂલોને પેઢી તરીકે નોંધણી કરાવવાની જરૂર નથી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code