1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ખરાબ હવામાનને કારણે જમ્મુથી અમરનાથ યાત્રા સ્થગિત કરાઈ

નવી દિલ્હી, 8 ઓગસ્ટ 2026: જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને અન્ય માર્ગો પર વરસાદ, ભૂસ્ખલન, પથ્થરો પડવા અને અન્ય અવરોધોને કારણે સલામતીના પગલાં તરીકે શ્રી અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે રામબન જિલ્લા અને કાશ્મીરના કેટલાક ભાગોમાં વરસાદ અને ખરાબ હવામાનને કારણે શનિવારે જમ્મુથી શ્રી અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી હતી. સાવચેતીના […]

ઉત્તરપૂર્વમાં જળબંબાકાર: અસમના 13 જિલ્લાઓમાં પૂરની ગંભીર સ્થિતિ

ભુવનેશ્વર, 8 ઓગસ્ટ 2026: દેશના વિવિધ રાજ્યોમાં ચોમાસુ વ્યાપક બન્યું છે, ત્યારે ઉત્તરપૂર્વના રાજ્ય અસમમાં ભારે વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. અસમમાં છેલ્લા કેટલાય દિવસથી ચાલી રહેલા મૂશળધાર વરસાદને કારણે સર્જાયેલી પૂરની સ્થિતિના કારણે કુલ 13 જિલ્લાઓ ગંભીર રીતે અસરગ્રસ્ત થયા છે. રાજ્યમાં સતત પડી રહેલા વરસાદ અને પૂરની સ્થિતિને કારણે અત્યાર સુધીમાં અંદાજે […]

હનીટ્રેપમાં ફસાયેલા ભારતીય વાયુસેનાના અધિકારીની જાસુસીના આરોપ હેઠળ ધરપકડ

નવી દિલ્હી, 8 ઓગસ્ટ, 2026: હનીટ્રેપમાં ભારતીય વાયુદળ (IAF) ના વિંગ કમાન્ડરની દિલ્હી પોલીસ દ્વારા સંરક્ષણને લગતી સંવેદનશીલ માહિતી લીક કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. હનીટ્રેપમાં ફસાયેલા આ અધિકારી પર ઘણી ગોપનીય માહિતી લીક કરવાનો આરોપ છે. પોલીસે ઓફિશિયલ સીક્રેટ્સ એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. હાલમાં વાયુસેનાનો વિંગ કમાન્ડર જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. દિલ્હી પોલીસના […]

E20 પેટ્રોલમાં ગુણવત્તાના ધોરણો જળવાયેલા: OMC ના પરીક્ષણોમાં દાવાઓ પોકળ સાબિત

નવી દિલ્હી, 8 ઓગસ્ટ 2026: E20 પેટ્રોલમાં ભેજ અને ક્લોરાઇડની હાજરી અંગેના તાજેતરના અહેવાલો વચ્ચે, ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ઇંધણ પુરવઠા નેટવર્કમાં વધારાના અને સઘન પરીક્ષણો હાથ ધર્યા છે. કંપનીઓના કહેવા મુજબ, વૈજ્ઞાનિક રીતે હાથ ધરવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી રેન્ડમ પરીક્ષણોમાં ઇંધણની ગુણવત્તા નિર્ધારિત ધોરણોની અંદર હોવાનું જાણવા મળ્યું છે. પરીક્ષણોએ 500 PPM સુધી ક્લોરાઇડ અથવા પેટ્રોલમાં […]

ઝારખંડમાં પેપર લીક વિરુદ્ધ વિદ્યાર્થીઓનો ઉગ્ર વિરોધ: TDPLની તમામ પરીક્ષાઓ રદ કરવાની માંગ

રાંચી, 8 ઓગસ્ટ 2026: ઝારખંડની રાજધાની રાંચીમાં જેપીએસસી અને જેએસએસસીની પરીક્ષાઓમાં પેપર લીક અને ગેરરીતિઓ સામે વિદ્યાર્થીઓનો રોષ દિવસેને દિવસે વધી રહ્યો છે. જયપાલ સિંહ મુંડા સ્ટેડિયમ ખાતે સેંકડો વિદ્યાર્થીઓનું ધરણા પ્રદર્શન શનિવારે 15મા દિવસે પણ અવિરતપણે ચાલુ રહ્યું હતું. આ આંદોલનની આગેવાની કરી રહેલા ઝારખંડ લોકતાંત્રિક ક્રાંતિ મોર્ચાના યુવા નેતા દેવેન્દ્રનાથ મહતોએ સ્પષ્ટ શબ્દોમાં […]

પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ દ્વારા શ્રી માધવ સેવા ભવન – નરોડા ખાતે વૃક્ષારોપણ

અમદાવાદ, 8 ઓગસ્ટ, 2026 – રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ – પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ દ્વારા “શ્રી માધવ સેવા ભવન – નરોડા” ખાતે આજરોજ વૃક્ષારોપણ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત પ્રાંતના મા. પ્રાંત સંઘચાલક ડૉ. શ્રી ભરતભાઈ પટેલે વૃક્ષારોપણ અને પર્યાવરણ સંરક્ષણનું મહત્વ સમજાવતા જણાવ્યુ કે ભારતીય સંસ્કૃતિમાં વૃક્ષોની પુજા કરી તેનું સંરક્ષણ કરવામાં […]

જમ્મુ-કાશ્મીરમાં સિમ કાર્ડના દુરુપયોગ મામલે સુરક્ષા એજન્સીઓના અનેક સ્થળોએ દરોડા

શ્રીનગર, 8 ઓગસ્ટ 2026: જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદની કમર તોડવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા અભિયાન તેજ કરી દેવામાં આવ્યું છે. આતંકવાદીઓ ઉપરાંત તેમને મદદ કરનારા નેટવર્ક પર પણ કાયદાનો ગાળો કસાવાઈ રહ્યો છે. આ જડીબુટ્ટી જેવા અભિયાન હેઠળ જમ્મુ-કાશ્મીર પોલીસની કાઉન્ટર ઈન્ટેલિજન્સ કાશ્મીર (સીઆઈકે) શાખાએ શનિવારે કાશ્મીર ઘાટીના અનેક જિલ્લાઓમાં ધમાકેદાર દરોડા પાડ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ, […]

IIT દિક્ષાંત સમારંભમાં પીએમ મોદીએ કેમ બાબા બાગેશ્વરને યાદ કર્યા? Video

નવી દિલ્હી, 8 ઓગસ્ટ, 2026 – ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી- IIT દિલ્હીના 57મા પદવીદાન સમારંભમાં ભાગ લેતા આજે શનિવારે વડાપ્રધાન મોદીએ તેજસ્વી વિદ્યાર્થીઓને સંસ્થાનના સૌથી પ્રતિષ્ઠિત સન્માન આપ્યા હતા, જેમાં પ્રેસિડેન્ટ ગોલ્ડ મેડલ, ડિરેક્ટર ગોલ્ડ મેડલ, શંકર દયાલ શર્મા ગોલ્ડ મેડલ અને પર્ફેક્ટ ટેન ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઈઆઈટી […]

NEET UG પરીક્ષા પેટર્ન બદલાશે, કોમ્પ્યુટર બઝ્ટ અને બે તબક્કામાં પરીક્ષા યોજવા વિચારણા

નવી દિલ્હી, 8 ઓગસ્ટ 2026: દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ યુજીને પેન-એન્ડ-પેપર (ઓફલાઇન) મોડમાંથી હટાવીને કમ્પ્યુટર-બેઝ્ડ ટેસ્ટ (સીબીટી) માં ફેરવવા તથા JEE ની જેમ તેને વર્ષમાં બે તબક્કામાં યોજવા અંગે કેન્દ્ર સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલા એક સોગંદનામામાં શિક્ષા મંત્રાલયે જણાવ્યું છે કે આ મામલે હજુ […]

રાહુલ ગાંધીના નિવેદન પર કિરેન રિજીજુનો કટાક્ષ, કોંગ્રેસ મહિલા આરક્ષણ બિલને સમર્થન આપશે

નવી દિલ્હી, 8 ઓગસ્ટ 2026: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી દ્વારા મહિલાઓને લઈને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી એક પોસ્ટ પર કેન્દ્રીય મંત્રી કિરેન રિજીજુએ આકરી પ્રતિક્રિયા આપી છે. રિજીજુએ આ પોસ્ટને રીપોસ્ટ કરીને લખ્યું છે કે, આ કોંગ્રેસ પાર્ટી તરફથી સકારાત્મક સંદેશ લાગી રહ્યો છે. રાહુલ ગાંધીની મહિલાઓ પ્રત્યેની વિચારસરણીમાં સ્પષ્ટ બદલાવ દેખાઈ રહ્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code