1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

મણિપુરમાં મહિલાઓ અને બાળકોની હત્યા માનવતા વિરુદ્ધ ગુનો છેઃ સીએમ સિંહ

નવી દિલ્હીઃ મણિપુરમાં ફરીથી હિંસાની ઘટનાઓમાં વધારો થયો છે. દરમિયાન કુકી આતંકવાદીઓ દ્વારા છ લોકોની હત્યાની ઘટના પર, મણિપુરના મુખ્ય પ્રધાન એન. બિરેન સિંહે શોક વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, જ્યાં સુધી ગુનેગારોને ન્યાય અપાવવામાં નહીં આવે ત્યાં સુધી તેમની સરકાર આરામ કરશે નહીં. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ત્રણ મહિલાઓ અને ત્રણ […]

પાકિસ્તાન સીમા પારના આતંકવાદને સંપૂર્ણપણે ખતમ ના કરે ત્યાં સુધી વાતચીત શક્ય નથીઃ ભારત

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદૂતે કહ્યું છે કે પાકિસ્તાન સાથે વાતચીત ત્યારે જ શરૂ થઈ શકે છે જ્યારે પાકિસ્તાન સીમા પારના આતંકવાદને સંપૂર્ણપણે ખતમ કરે. ભારતીય રાજદૂતે કહ્યું કે, ભારત સીમા પારના આતંકવાદનો શિકાર છે અને આતંકવાદ પ્રત્યે અમારી ઝીરો ટોલરન્સની નીતિ છે. ભારતીય રાજદૂતે કહ્યું કે, પાકિસ્તાન સાથે અમારો મુખ્ય મુદ્દો આતંકવાદ છે. કોલંબિયા […]

ઝારખંડ ચૂંટણીઃ વોટીંગ માટે મતદારોમાં અનેરો ઉત્સાહ, 4 કલાકમાં 32 ટકા મતદાન

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રની સાથે ઝારખંડ વિધાનસભાની ચૂંટણી માટે આજે બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. જોકે, ઝારખંડમાં ઉત્સાહભેર મતદાતાઓ બહાર આવીને મતદાન કરી રહ્યાં હોય તેમ ચાર કલાકમાં 32 ટકા જેટલુ મતદાન થયું છે. ઝારખંડ વિધાનસભાની 81 બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે. જે પૈકી પ્રથમ તબક્કામાં 13મી નવેમ્બરના રોજ મતદાન યોજાયું હતું. જ્યારે 38 […]

મહારાષ્ટ્ર ચૂંટણીઃ ફિલ્મ અભિનેતાઓ, રાજકીય આગેવાનોએ કર્યું મતદાન

મુંબઈઃ મહારાષ્ટ્રમાં સવારથી એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે. જો કે, ઠંડીની અસર મતદાન ઉપર પડી હોય તેમ ખુબ ધીમુ મતદાન થઈ રહ્યું હોવાથી રાજકીય આગેવાનો પણ ચિંતામાં મુકાયાં છે. બીજી તરફ દેશના જાણીતા ઉદ્યોગપતિઓ અને ફિલ્મ સિતારાઓ પણ મતદાનનો ઉપયોગ કર્યો હતો. મહારાષ્ટ્રમાં મતદાનના ચાર કલાકમાં 18.14 જેટલુ મતદાન થયું હતું. ગઢચિરોલીમાં ચૌથી […]

નરેન્દ્ર મોદીએ માનવતાના સમૃદ્ધ ભવિષ્યની ભાગીદારી માટે સર્વસંમતિ સાધવા ‘સાગરમંથન’ની સફળતા માટે અપીલ કરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય રાજધાનીમાં આયોજિત પ્રથમ દરિયાઈ કાર્યક્રમ સાગરમંથન, ધ ઓશન ડાયલોગનાં સફળ આયોજન પર પોતાનો સંદેશ વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ માનવતાના સમૃદ્ધ ભવિષ્યની ભાગીદારી માટે સર્વસંમતિ બનાવવા માટે સાગરમંથનની સફળતા માટે હાકલ કરી હતી. નાઇજિરીયામાં કેમ્પ ઓફિસથી મોકલેલા પોતાના સંદેશમાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે, “મુક્ત, ખુલ્લા અને સુરક્ષિત દરિયાઇ […]

કુદરતી ખેતીથી ભારતીય ખેડૂતો માટે 10 લાખ કરોડ રૂપિયાનું વૈશ્વિક બજાર ખુલશેઃ અમિત શાહ

ગાંધીનગરઃ કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે 800 મેટ્રિક ટન ઉત્પાદન ક્ષમતા ધરાવતા અત્યાધુનિક પશુચારા પ્લાન્ટનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકર ચૌધરી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અમિત શાહે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, સાબર ડેરીની સ્થાપના સ્વરૂપે વાવવામાં આવેલું બીજ હવે વડના […]

ભારતે વર્ષ 2030 સુધીમાં 500 ગીગાવોટ રિન્યુએબલ એનર્જીનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક રાખ્યો છેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એન્ડ એનર્જી ટ્રાન્ઝિશન પર જી-20 સમિટના ત્રીજા સત્રને સંબોધિત કર્યું હતું. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીએ બધા માટે સ્વચ્છ અને ટકાઉ ભવિષ્ય સુનિશ્ચિત કરવાના પ્રયાસોને વેગ આપવા પર ભાર મૂક્યો હતો. પીએમ મોદીએ ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સ, વન વર્લ્ડ-વન […]

ગાંધીનગર પોસ્ટલ ડિવિઝન દ્વારા બે દિવસીય જિલ્લા સ્તરના ફિલાટેલી પ્રદર્શનનું આયોજન

ગાંધીનગરઃ દાંડી કુટિર મહાત્મા મંદિર ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ગાંધીનગર પોસ્ટલ ડિવિઝન દ્વારા આયોજિત ફિલાટેલી પ્રદર્શન ફિલાવિસ્ટા-2024નું ઉદ્ધાટન કર્યુ હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગર પોસ્ટલ ડિવિઝન દ્વારા તા. 19 અને 20 નવેમ્બર દરમિયાન ફિલાટેલી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. ફિલાટેલી પ્રેમીઓ માટેના આ દુર્લભ અને આકર્ષક […]

રશિયાઃ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દેશના નવા પરમાણુ સિદ્ધાંતના આદેશ પર હસ્તાક્ષર કર્યા

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દેશના નવા પરમાણુ સિદ્ધાંતના આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. ક્રેમલિન વેબસાઈટ પર પ્રકાશિત આદેશમાં કહેવામાં આવ્યું છે કે કોઈપણ રાષ્ટ્ર અથવા સૈન્ય જોડાણ અથવા બ્લોક દ્વારા રશિયા અથવા તેના સહયોગી દેશો પર કોઈપણ હુમલો સમગ્ર બ્લોક પર હુમલો માનવામાં આવશે. તે એમ પણ કહે છે કે પરમાણુ રાષ્ટ્રની ભાગીદારી અથવા સહાયતા […]

ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગમાં ભારતની હરણફાળ, 1.2 કરોડથી વધુ નોકરીઓનું સર્જન થશે

નવી દિલ્હીઃ ભારતનો ઈલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ ઝડપથી વિકસી રહ્યો છે અને આગામી વર્ષોમાં 25 થી 30 ટકાના ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર (CAGR) સાથે 1.2 કરોડ રોજગારીની તકોનું સર્જન કરશે. સોમવારે જાહેર કરાયેલા એક રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. ટીમલીઝ ડિગ્રી એપ્રેન્ટિસશિપ દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ 1.2 કરોડ નોકરીઓમાંથી 30 લાખ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code