1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

રાજ્યસભામાં નિયમ 267ને વિક્ષેપની પદ્ધતિ તરીકે હથિયાર બનાવવામાં આવી રહ્યો છે : જગદીપ ધનખર

નવી દિલ્હીઃ આજે રાજ્યસભામાં વિક્ષેપ વચ્ચે અધ્યક્ષ જગદીપ ધનખરે કહ્યું, માનનીય સભ્યો, અઠવાડિયા દરમિયાન આ મુદ્દાઓને વારંવાર ઉઠાવવામાં આવ્યા છે. જેના પરિણામે આપણે પહેલા જ કામકાજના ત્રણ દિવસો ગુમાવી દીધા છે. જે દિવસો જાહેર હેતુ માટે પ્રતિબદ્ધ હોવા જોઈએ. જેથી આપણાં દ્વારા લેવામાં આવેલા શપથ મુજબ આપણે આપણા કર્તવ્યોનું પાલન અપેક્ષા મુજબ નિભાવીએ છીએ. પ્રશ્નકાળ […]

સંભલ જામા મસ્જિદ મામલે કોઈ કાર્યવાહી નહીં કરવા સુપ્રીમ કોર્ટનો નિર્દેશ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે શુક્રવારે ઉત્તર પ્રદેશમાં સંભલ જામા મસ્જિદના સર્વેને લઈને હિંસાના મામલામાં ટ્રાયલ કોર્ટને મહત્વપૂર્ણ નિર્દેશો આપ્યા છે. કોર્ટે કહ્યું છે કે જ્યાં સુધી મામલો હાઈકોર્ટમાં પેન્ડિંગ છે ત્યાં સુધી આ મામલે કોઈ કાર્યવાહી કરવી જોઈએ નહીં. જામા મસ્જિદ કમિટીએ સિવિલ જજના સર્વે ઓર્ડરને હાઈકોર્ટમાં પડકાર્યો છે. કોર્ટે કહ્યું કે, હાઈકોર્ટના નિર્ણય બાદ […]

બંગાળઃ યુવકની હત્યા કરીને લાશના ટુકડા કરવાના ચકચારી કેસમાં 7 આરોપીઓને ફાંસીની સજાનો કોર્ટનો આદેશ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળની હુગલી જિલ્લા અદાલતે 2020માં એક યુવકની હત્યાના કેસમાં સાત લોકોને ફાંસીની સજા સંભળાવી છે. યુવકની હત્યા કર્યા બાદ આરોપીઓએ તેના શરીરના નાના-નાના ટુકડા કરી અલગ-અલગ જગ્યાએ ફેંકી દીધા હતા. કોર્ટે તમામ સાત આરોપીઓને વિષ્ણુ માલની હત્યા અને મૃતદેહને વિકૃત કરવા માટે દોષિત ઠેરવ્યા હતા. જ્યારે અન્ય એક આરોપી શરીરના અંગોનો નિકાલ કરવા […]

દિલ્હીના રોહીણીમાં આવેલી સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસ તંત્ર દોડતું થયું

નવી દિલ્હીઃ દિલ્હીના રોહિણી સ્થિત વેંકટેશ્વર ગ્લોબલ સ્કૂલમાં મેલ દ્વારા બોમ્બ હોવાની માહિતી મળી છે. શાળા પ્રશાસને શાળાને ખાલી કરાવી દીધી છે. મેલ કોણે મોકલ્યો છે તેની તપાસ કરવામાં આવી રહી છે. એક દિવસ પહેલા ઉત્તર-પશ્ચિમ દિલ્હીના પ્રશાંત વિહાર વિસ્તારમાં મીઠાઈની દુકાન પાસે ઓછી તીવ્રતાનો બ્લાસ્ટ થયો હતો દરમિયાન સ્કૂલમાં બોમ્બની ધમકીને પગલે તંત્ર દોડતુ […]

PAN 2.0 : નવું પાનકાર્ડ કઢાવવું કેમ જરૂરી?

પાનકાર્ડ માટેનો પ્રોજેક્ટ PAN  2.0 પ્રોજેક્ટને  કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. જે હેઠળ પાન કાર્ડ સિસ્ટમને અપડેટ કરાશે અને કર પ્રણાલીને વધુ પારદર્શી અને સુવિધાજનક બનાવવામાં આવશે. ત્યારે આવો જાણીએ કે તેમા કયા નવા ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે. કેન્દ્રીય કેબિનેટે 26 નવેમ્બરના રોજ PAN કાર્ડને વ્યવસાયો માટે સામાન્ય ઓળખકર્તા બનાવવા અને સાચા અને સુસંગત ડેટાના એકમાત્ર […]

સંસદમાં પ્રિયંકા ગાંધીની એન્ટ્રીથી ઈન્ડી ગઠબંધનમાં નવા પ્રાણ ફુંકાયા?

કેરળની વાયનાડ લોકસભા પેટાચૂંટણીમાં પ્રિયંકા ગાંધીની જીત  થતા જ હવે સંસદમાં એક જ પરિવારનાં ત્રણ સભ્યો એકસાથે જોવા મળશે. માતા સોનિયા ગાંધી પુત્ર રાહુલ ગાંધી અને પુત્રી પ્રિયંકા ગાંધી. વાયનાડ  બેઠક પર જીત મેળવ્યા બાદ પ્રિયંકા ગાંધીની સંસદમાં વિધિવત ડેબ્યુ  એન્ટ્રી થઇ છે. સંસદમાં તેઓએ શપથ ગ્રહણ કરતા જ કોંગ્રેસ સહીત ઈન્ડી ગઠબંધનમાં પ્રાણ ફૂંકાયો […]

લખનઉમાં ડિજિટલ ઈન્ડિયા સ્ટેટ કન્સલ્ટેશન વર્કશોપનું આયોજન

લખનૌઃ રાષ્ટ્રીય ઈ-ગવર્નન્સ ડિવિઝન (NeGD), ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય (MeitY) દ્વારા ઉત્તર પ્રદેશ સરકાર અને ઉત્તર પ્રદેશ ડેવલપમેન્ટ સિસ્ટમ્સ કોર્પોરેશન લિમિટેડ (UPDESCO)ના સહયોગથી લખનઉમાં ડિજિટલ ઈન્ડિયા સ્ટેટ કન્સલ્ટેશન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉત્તર પ્રદેશ સરકારના અધિકારીઓએ વર્કશોપમાં ભાગ લીધો હતો જેનું ઉદ્ઘાટન ઉત્તર પ્રદેશ સરકારના આઈટી અને ઈલેક્ટ્રોનિક્સ વિભાગના અગ્ર સચિવ અનિલ કુમાર સાગર, […]

અરબ સાગરમાંથી ભારતીય અને શ્રીલંકન નૌકાદળે 500 કિલો ડ્રગ્સ ઝડપ્યું

ચેન્નાઈઃ અરબી સમુદ્રમાં શ્રીલંકાના ફ્લેગવાળા માછીમારીના જહાજો દ્વારા સંભવિત માદક દ્રવ્યોની દાણચોરી અંગે શ્રીલંકન નૌકાદળ પાસેથી મળેલી માહિતીના આધારે, ભારતીય નૌકાદળે બોટની ભાળ મેળવવા અને તેને અટકાવવા માટે સંકલિત કામગીરી કરી ઝડપી પ્રતિક્રિયા આપી હતી. ઈન્ફર્મેશન ફ્યુઝન સેન્ટર (ઈન્ડિયન ઓશન રિજન), ગુરુગ્રામના ઈનપુટ્સના આધારે ઈન્ડિયન નેવલ લોંગ રેન્જ મેરીટાઇમ પેટ્રોલ એરક્રાફ્ટ અને રિમોટલી પાઈલેટેડ એરક્રાફ્ટ દ્વારા […]

ભારતીય નૌકાદળ માટે ઇલેક્ટ્રીક પ્રોપલ્શન સિસ્ટમની ડિઝાઇન અને વિકાસ પર સહકાર માટે બ્રિટનની સાથે ઉદ્દેશ્ય પત્ર પર હસ્તાક્ષર

નવી દિલ્હીઃ ભારતીય નૌકાદળ માટે ઇલેક્ટ્રીક પ્રોપલ્શન સિસ્ટમ્સની ડિઝાઇન અને વિકાસ પર સહકાર પર એક ઉદ્દેશ્ય પત્ર (Statement of Intent – SoI) પર પોર્ટ્સમાઉથમાં ભારત અને બ્રિટનના સંરક્ષણ મંત્રાલયો વચ્ચે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ હસ્તાક્ષર ઇલેક્ટ્રીક પ્રોપલ્શન ક્ષમતા ભાગીદારીની ત્રીજી સંયુક્ત કાર્યકારી જૂથની બેઠકનો ભાગ હતો, જે સ્વદેશી વિકાસને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. […]

ભુવનેશ્વરઃ પોલીસ મહાનિર્દેશક/ઈન્સ્પેક્ટર જનરલ્સની અખિલ ભારતીય પરિષદમાં PM મોદી ભાગ લેશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 નવેમ્બરથી 1 ડિસેમ્બર, 2024 દરમિયાન રાજ્ય કન્વેન્શન સેન્ટર, લોક સેવા ભવન, ભુવનેશ્વર, ઓડિશા ખાતે પોલીસ મહાનિર્દેશકો/ઇન્સ્પેક્ટર જનરલ્સ 2024ની અખિલ ભારતીય પરિષદમાં હાજરી આપશે. 29 નવેમ્બરથી 1 ડિસેમ્બર, 2024 દરમિયાન આયોજિત થનારી આ ત્રણ દિવસીય કોન્ફરન્સમાં કાઉન્ટર ટેરરિઝમ, લેફ્ટ વિંગ એક્સ્ટ્રીમિઝમ, કોસ્ટલ સિક્યુરિટી, નવા ફોજદારી કાયદાઓ, નાર્કોટિક્સ સહિત રાષ્ટ્રીય સુરક્ષાના મહત્ત્વના મુદ્દે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code