1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

સાયલા-પાળિયાદ રોડ પર ડમ્પરની અડફેટે 40 ઘેટાં-બકરાંના મોત

• સુદામડા નજીક ડમ્પરે માલધારીને પણ અડફેટે લેતા ગંભીર • અકસ્માતને લીધે ટ્રાફિકજામને દ્રશ્યો સર્જાયા • પોલીસે ડમ્પરચાલકની કરી ધરપકડ સુરેન્દ્રનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં ડમ્પરો પૂર ઝડપે અને બેફામ ચલાવાતા હોવાની પણ ફરિયાદો ઊઠી છે. ત્યારે સાયલા-પાળિયાદ રોડ પર સુદામડા નજીક પૂરઝડપે આવેલા ડમ્પરે 300 જેટલા ઘેટાં-બકરાના ટોળાંને અડફેટે લેતા […]

કડકડતી ઠંડીને લીધે મોર્નિંગ સ્કૂલોનો સમય એક કલાક મોડો કરવા માંગ

• વડોદરા પેરેન્ટ્સ એસો.એ શિક્ષણમંત્રીને કરી રજુઆત • ઠંડીમાં વધારો થતાં મોર્નિંગ સ્કૂલોના બાળકોને પડતી મુશ્કેલી • શાળાનો સમય સવારે 8 વાગ્યાથી કરવા વાલીઓની માગ અમદાવાદઃ ગુજરાતભરમાં છેલ્લા બે-ત્રણ દિવસથી લોકો કડકડતી ઠંડીનો સામનો કરી રહ્યા છે. ઠંડીને લીધે જનજીવન પણ પ્રભાવિત બન્યું છે. મોર્નિંગ સ્કૂલોમાં બાળકોની હાલત મુશ્કેલ બનતી હોય છે. કડકડતી ઠંડીમાં બાળકોને […]

સુરતમાં વાહનચાલકોને પતંગની દોરીથી બચાવવા ઓવરબ્રિજ પર તાર લગાવાયા

• ઉત્તરાણ પહેલા જ મ્યુનિ. કોર્પોરેશનને વાહનચાલકોને બચાવવા આયોજન કર્યું • શહેરના 120 બ્રિજની સાઈડ દીવાલો પર તાર લગાવવાનો પ્રારંભ • દર વખતે પતંગની દોરીને લીધે વાહનચાલકો અકસ્માતોના ભોગ બનતા હતા સુરતઃ શહેરનો પતંગોત્સવ દેશભરમાં જાણીતો છે. સુરતી દોરી અને સુરતી પતંગ બન્ને વખણાય છે. અને એની માગ રહેતી હોય છે. તેમજ ઉત્તરાણના પર્વમાં બહારગામના […]

દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ માર્શલ લોના આદેશનો બચાવ કર્યો

દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક-યોલે, તેમના માર્શલ લોના આદેશનો બચાવ કરતા કહ્યું કે, તેઓ અંત સુધી લડશે. યુને ગુરુવારે એક ટેલિવિઝન સંબોધનમાં કહ્યું હતું કે, તેમનો પ્રયાસ લોકશાહીના પતનને રોકવા અને વિપક્ષની સંસદીય સરમુખત્યારશાહીનો સામનો કરવાનો કાનૂની નિર્ણય છે. તેમણે સંકેત આપ્યો કે, તેઓ પદ છોડશે નહીં અને કહ્યું કે, તેઓ અંત સુધી લડશે, પછી […]

બાંગ્લાદેશના રેડીમેડ ગાર્મેન્ટની આયાત પર પ્રતિબંધ મુકવા સુરતના વેપારીઓની માંગ

• બાંગ્લાદેશમાં ભારતની સાડીઓ સળગાવતા સુરતના વેપારીઓ બગડ્યા • સુરતના વેપારીઓના બાંગ્લાદેશમાં 500 કરોડ ફસાયેલા છે • ભારત રેડીમેઈડ ગાર્મેન્ટ પર પ્રતિબંધ મુકે તો બાંગ્લાદેશનો ટેક્સટાઈલ ઉદ્યોગ ભાંગી પડે સુરતઃ ભારતના પાડોશી દેશ એવા બાંગ્લાદેશમાં સત્તાપલટા બાદ હિનેદુઓ પર હુમલા ના બનાવો વધી રહ્યા છે. કટ્ટરપંથીઓ મંદિરોને નિશાન બનાવી રહ્યા છે. ત્યાંના રાજકીય નેતાઓ સુરતની […]

ભારત-યુરોપિયન સંઘ પરસ્પર લાભદાયી મુક્ત વેપાર કરારનું લક્ષ્ય ધરાવે છે: પીયૂષ ગોયલ

નવી દિલ્હીઃ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે યુરોપિયન કમિશનના પ્રતિનિધિમંડળ, ઓસ્ટ્રિયા, બેલ્જિયમ, બલ્ગેરિયા, ચેક રિપબ્લિક, એસ્ટોનિયા, ઇટાલી, આયર્લેન્ડ, લાતવિયા, લિથુઆનિયા, માલ્ટા, પોલેન્ડ, પોર્ટુગલ, રોમાનિયા, સ્લોવાક રિપબ્લિક, સ્પેન અને સ્વીડનના રાજદૂતો સાથે વાતચીત કરી હતી. આ બેઠકમાં વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્ય મંત્રી જિતિન પ્રસાદ, વાણિજ્ય સચિવ, DPIIT સચિવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓએ હાજરી આપી હતી. […]

અમદાવાદના કાળુપર રેલવે સ્ટેશનના રિ-ડેવલપમેન્ટની કામગીરીનો કરાયો પ્રારંભ

• પ્રથમ ફેઈઝમાં બિલ્ડિંગ તોડીને બે બેઝમેન્ટ અને એલિવેટેડ રોડ બનાવાશે • કાળુપુર રેલવે સ્ટેશનના રિ-ડેવલપમેન્ટ પાછળ રૂપિયા 2384 કરોડ ખર્ચાશે • 16 માળની બહુમાળી ઈમારત બનાવાશે એમાં 6 માળ પાર્કિંગ રહેશે અમદાવાદઃ શહેરના કાળુપુરના રેલવે સ્ટેશનને રૂપિયા 2348 કરોડના ખર્ચે રિ-ડેવલપના કામનો પ્રારંભ થયો છે. જેમાં પ્રથમ ફેઈઝમાં બિલ્ડિંગ તોડીને બે બેઝમેન્ટ અને એલિવેટેડ […]

ભારતને મળ્યું પ્રથમ AI સંચાલિત સાયબર સુરક્ષા કમાન્ડ કંટ્રોલ સેન્ટર

• ઈન્ડસ યુનિ.માં ઈન્ટિગ્રેટેડ સાયબર સિક્યુરિટી કમાન્ડ્સ કંટ્રોલ સેન્ટરનું લોન્ચિંગ • સાઇબર સિક્યુરિટી માત્ર ફાઇનાન્સિયલ ફ્રોડ રોકવા માટે જ જરૂરી નથીઃ હર્ષ સંઘવી • ગુજરાતના દરેક પોલીસ સ્ટેશન દીઠ એક સાયબર એક્સપોર્ટની નિમણૂંક કરાશે અમદાવાદઃ દ્રોણ (ડિટેક્શન રિસ્પોન્સ ઓર્ગેનાઈઝેશન નેટવર્ક એનાલિસિસ) ઈન્ડસ યુનિવર્સિટી, રાંચરડા ખાતે ભારતના પ્રથમ AI સંચાલિત ઈન્ટિગ્રેટેડ સાયબર સિક્યુરિટી કમાન્ડ્સ કંટ્રોલ સેન્ટર […]

EPFO: ‘આવતા વર્ષથી તમે તમારા PF ના પૈસા સીધા ATMમાંથી ઉપાડી શકશો’

શ્રમ મંત્રાલય દેશના વિશાળ કાર્યબળને વધુ સારી સેવાઓ પ્રદાન કરવા માટે તેની IT સિસ્ટમને અપગ્રેડ કરી રહ્યું છે. આવતા વર્ષથી, EPFO ગ્રાહકો તેમના પ્રોવિડન્ટ ફંડને સીધા એટીએમમાંથી ઉપાડી શકશે. શ્રમ સચિવ સુમિતા ડાવરાએ આ માહિતી આપી હતી. શ્રમ સચિવએ જણાવ્યું હતું કે, “અમે દાવાઓને ઝડપી બનાવી રહ્યા છીએ અને પ્રક્રિયાને સરળ બનાવવા માટે કામ કરી […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહાકુંભ મેળા 2025 માટે વિકાસ કાર્યોની મુલાકાત લેશે અને નિરીક્ષણ કરશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે. તેઓ પ્રયાગરાજ જશે અને બપોરે 12:15 વાગ્યે સંગમ સ્થળે પૂજા અને દર્શન કરશે. ત્યારબાદ લગભગ 12:40 વાગ્યે પ્રધાનમંત્રી અક્ષય વટવૃક્ષમાં પૂજા કરશે અને ત્યારબાદ હનુમાન મંદિર અને સરસ્વતી કૂપમાં દર્શન અને પૂજા કરશે. બપોરે લગભગ 1:30 વાગ્યે તેઓ મહાકુંભ પ્રદર્શન સ્થળનું ભ્રમણ કરશે. ત્યારબાદ બપોરે લગભગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code