1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

તમિલનાડુમાં ચક્રવાતને લઈને રેડ એલર્ટ, એડવાઈઝરી જાહેર કરાઈ

બેંગ્લોરઃ ચક્રવાત ફેંગલ ચેંગલપટ્ટુ અને તમિલનાડુ નજીક આવતાની સાથે સમુદ્ર અને તીવ્ર પવન ફૂંકાઈ રહ્યો છે. IMD અનુસાર, ચક્રવાત ફેંગલ આજે સાંજ સુધીમાં તમિલનાડુના દરિયાકાંઠે પુડુચેરી નજીક પહોંચવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પરનું ડીપ પ્રેશર એરિયા શુક્રવારે બપોરે ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ ગયું હતું. IMD ની આગાહી અનુસાર, ચક્રવાત […]

કરચોરી વિશે માહિતી આપનારને હરિયાણા સરકાર આપશે ઈનામ

નવી દિલ્હીઃ હરિયાણા સરકારે કરચોરી વિશે માહિતી આપનારને ઈનામ આપવાની જાહેરાત કરી છે. આબકારી અને કરવેરા વિભાગના અધિકારીઓને સૂચના આપતી વખતે, મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ જણાવ્યું હતું કે રાજ્યમાં કોઈપણ પ્રકારની કરચોરી કરનાર વ્યક્તિઓ અને પેઢીઓ વિશે માહિતી આપનારને સરકાર દ્વારા પુરસ્કાર આપવામાં આવશે. રાજ્યમાં કરચોરીને અંકુશમાં લેવા અને રાજ્યની આવક વધારવા માટે સરકાર દ્વારા આ […]

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે જર્મનીના ઉદ્યોગપતિઓ સાથે કરી ચર્ચા

ભોપાલઃ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડો.મોહન યાદવે જર્મનીની મુલાકાત દરમિયાન જર્મન રોકાણકારોને ખાતરી આપી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં માત્ર દેશમાં જ નહીં, પરંતુ મધ્યપ્રદેશમાં પણ રોકાણની તકો વિસ્તરી છે અને તેમના દૂરંદેશી નેતૃત્વ હેઠળ દરેક વ્યક્તિનું રોકાણ વધ્યું છે. સત્તાવાર માહિતી અનુસાર, ડૉ. યાદવે કહ્યું કે મધ્યપ્રદેશ કુશળ સંચાલન અને કુદરતી સંસાધનોમાં સમૃદ્ધ છે. મધ્યપ્રદેશમાં […]

મેચ ફિક્સિંગનું ભૂત ફરી ધૂણ્યું, દક્ષિણ આફ્રિકામાં 3 ક્રિકેટરોની ધરપકડ

નવી દિલ્હીઃ ક્રિકેટ જગતમાં ફરી એકવાર મેચ ફિક્સિંગનું ભૂત ધુણ્યું છે. મેચ ફિક્સિંગના કેસમાં સાઉથ આફ્રિકા ક્રિકેટના 3 ખેલાડીઓને ઝડપી લેવામાં આવ્યું છે. આ ત્રણેય સામે વર્ષ 20215-16માં રમાયેલી રેમસ્લેમ ચેલેન્જ ટૂર્નામેન્ટની મેચ ફિક્સ કરવાનો આરોપ લાગ્યાં છે. મેચ ફિક્સિંગના કેસમાં 3 ખેલાડીઓની ધરપકડથી ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે. સુત્રોના જણાવ્યા અનુસાર DPCI ના […]

સૈયદ મુશ્તાક અલી ટ્રોફી: ઈશાન કિશનનું બેટ બોલ્યું, 23 બોલમાં 77 રન ફટકાર્યાં

મુંબઈઃ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી હાલમાં ભારતમાં રમાઈ રહી છે જેમાં ઘણા સ્ટાર ખેલાડીઓ બોલ અને બેટથી ધમાલ મચાવી રહ્યાં છે. આ વખતે ઇશાન કિશનનું બેટ બોલ્યું હોય તેમ માત્ર 23 બોલમાં 77 રનની અણનમ ઇનિંગ રમી હતી. ઈશાન કિશનની આ ઈનિંગની મદદથી ઝારખંડની ટીમ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીના ગ્રુપ સી મેચમાં અરુણાચલ પ્રદેશને 10 […]

મહારાષ્ટ્ર ચૂંટણીમાં વોટની સંખ્યાને લઈને કોંગ્રેસના સવાલોનો ચૂંટણીપંચે આપ્યો જવાબ

નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં વોટોની સંખ્યા અને મતદાન ટકાવારીને લઈને કોંગ્રેસે તરફથી ઉઠાવવામાં આવેલા સવાલોને લઈને ચૂંટણીપંચ દ્વારા જવાબ આપવામાં આવ્યો છે. ચૂંટણીપંચે જણાવ્યું હતું કે, મતદાન દરમિયાન પોલિંગ એજન્ટને મતદાન ટકાવારી અને કુલ વોટની સંખ્યાની જાણકારી આપવામાં આવે છે. આ ઉપરાંત જો કોઈ પણ ફરિયાદ હોય અને જાણકારી હોય તો ચૂંટણીપંચ તેમને સાંભળવા […]

બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર યથાવત, ત્રણ મંદિરોમાં તોડફોડ

ઢાકાઃ બાંગ્લાદેશમાં બળવો થયો ત્યારથી હિંદુઓ પર અત્યાચાર ચાલી રહ્યો છે. તાજેતરમાં, ઇસ્કોનના ભૂતપૂર્વ સભ્ય સામે દેશદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો હતો. ત્યારથી ચટ્ટોગામમાં વિરોધ પ્રદર્શન ચાલુ છે. ઈસ્કોનના મુખ્ય પૂજારી ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ બાદ ભારત અને દુનિયાભરમાં બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચારની ચર્ચા થવા લાગી છે. દરમિયાન સૂત્રોચ્ચાર કરતા ધર્મઝૂનૂની ટોળાએ બાંગ્લાદેશના ચટ્ટોગામમાં ત્રણ […]

આરજી કાર મેડિકલ કોલેજ ભ્રષ્ટાચાર કેસમાં સીબીઆઈની ચાર્જશીટ સ્વિકારવાનો કોર્ટનો ઈન્કાર

કોલકાતાઃ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ આરજી કાર મેડિકલ કોલેજમાં ભ્રષ્ટાચારના કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. જેમાં મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા છે. સીબીઆઈએ 1000 પાનાની ચાર્જશીટ તૈયાર કરી હતી. જોકે કોર્ટે તેને સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે. આ ચાર્જશીટમાં પાંચ લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. સીબીઆઈના એક અધિકારીએ […]

સીરિયામાં વિદ્રોહીઓના હુમલામાં લગભગ 100 લોકોના મોતની આશંકા

વિદ્રોહી જૂથોએ ફરી એકવાર સીરિયામાં મોટો હુમલો કર્યો છે. આ હુમલામાં લગભગ 100 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. વિદ્રોહીઓએ અલેપ્પોને નિશાન બનાવ્યું છે. આવી સ્થિતિમાં, જો હુમલાઓ સમયસર રોકવામાં ન આવે તો, સીરિયાનું શાસન હયાત તહરિર-અલ-શામના નેતૃત્વવાળા વિપક્ષી જૂથોથી અલેપ્પો જેવા મોટા શહેરને ગુમાવવાની આરે આવી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે […]

મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામ બાદ હવે કોંગ્રેસ સંગઠનમાં મોટા પાયે ફેરફાર કરવાના મૂડમાં

નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મળેલા આંચકાઓ બાદ બોલાવવામાં આવેલી કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં સંગઠનને લઈને ચર્ચા થઈ હતી અને ચૂંટણી પંચની ભૂમિકા પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. પાર્ટીએ ઈવીએમ સહિત સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને લઈને ઉભા થઈ રહેલા પ્રશ્નો અંગે દેશવ્યાપી આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ સિવાય સંગઠનને સુધારવા માટે કડક પગલાં ભરવામાં આવે તેવું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code