1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓને પીવાનું પાણી મળતું નથી

કડકડતી ઠંડીમાં અગરિયાઓ પાણી મેળવવા રઝળપાટ કરે છે, 2000 જેટલાં અગરિયા પરિવારો અફાટ રણમાં ઝૂંપડા બાંધીને વસવાટ કરી રહ્યા છે, અગાઉ પાણીના ટેન્કરો આવતા હતા તે બંધ કરી દેવાયા સુરેન્દ્રનગરઃ જિલ્લામાં  કચ્છના નાના રણ કરીકે ઓળખતા ખારાઘોડા, પાટડી, ઝીંઝુવાડા સહિતના  રણ વિસ્તારમાં ભર શિયાળે અગરિયા પરિવારો પીવાના પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. કડકડતી ઠંડીમાં […]

દહેગામની GIDCમાં આવેલી વુડન ફેકટરીમાં લાગી ભીષણ આગ

વુડનની ફેકટરીમાં પ્લાયવુડના દરવાજા બનાવવામાં આવતા હતા, આગની જાણ કરાતા દહેગામ પાલિકાના ફાયર ફાયટરો દોડી ગયા, ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી ગાંધીનગરઃ દહેગામ શહેર નજીક આવેલી જીઆઇડીસીમાં આવેલી પ્લાયવુડના દરવાજા બનાવતી એક ફેક્ટરીમાં વહેલી સવારે કોઈ અગમ્ય કારણોસર અચાનક આગ ફાટી નિકળી હતી, આગની જાણ દહેગામ નગરપાલિકાની ફાયર ટીમને કરાતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના […]

નવા અને ગતિશીલ યુગમાં ટેક્સ વસૂલાતમાં ટેક્નોલોજીનો ઓછો અને વધુ ઉપયોગ થાય તેવા પ્રયાસો કરવા જોઈએઃ રાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ ભારતીય મહેસૂલ સેવા (કસ્ટમ અને પરોક્ષ કર)ના અધિકારી તાલીમાર્થીઓએ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. અધિકારીઓને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારતીય મહેસૂલ સેવા (કસ્ટમ્સ અને પરોક્ષ કર) આપણી અર્થવ્યવસ્થાને એક સમાન કર પ્રણાલી અને વહેંચાયેલા વહીવટી મૂલ્યો દ્વારા જોડે છે. આ સેવા દેશના કર વહીવટમાં એકરૂપતાને પ્રોત્સાહન […]

ગાંધીનગરના સેક્ટર 5માં છેલ્લા પખવાડિયાથી દૂષિત પાણીની ફરિયાદો

ડહોળુ અને દૂષિત પાણીને લીધે રોગચાળાનો ભય, નાગરિકોએ લેખિત અને મૌખિક રજુઆતો કરી છતાંયે પ્રશ્ન ઉકેલાતો નથી, દૂષિત પાણીમાં ગટર જેવી વાસ આવે છે ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરના સેક્ટર-5માં છેલ્લા પખવાડિયાથી ડહોળુ અને દૂષિત પાણીની ફરિયાદો ઊઠી છે. નળ દ્વારા મળતા પાણીમાં ગટરની વાસ આવી રહી છે. આ વિસ્તારના નાગરિકો પાણી પી શક્તા નથી. આ અંગે […]

ભારત NCX 2024 પૂર્ણ થયું, 600થી વધુ સહભાગીઓને તાલીમ આપવામાં આવી

નવી દિલ્હીઃ ભારત નેશનલ સાયબર એક્સરસાઇઝ (NCX) 2024, જે ભારતના સાયબર સિક્યુરિટી લેન્ડસ્કેપમાં એક સીમાચિહ્નરૂપ ઘટના છે, તે સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે, જેણે સાયબર સ્થિતિસ્થાપકતા, સહયોગ અને નવીનતામાં નવા માપદંડો સ્થાપિત કર્યા છે. 600થી વધુ સહભાગીઓને તાલીમ આપવામાં આવી છે, આ પહેલ ભારતની સાયબર સુરક્ષા તત્પરતાને સામૂહિક રીતે મજબૂત કરવા માટે સાયબર સુરક્ષા વ્યાવસાયિકો, નીતિ […]

ભાવનગર જિલ્લામાં રવિ સીઝનમાં 15900 હેકટરમાં ડુંગળીનું વાવેતર

ગુજરાતમાં ડુંગળીના કૂલ વાવેતરમાં ભાવનગરનો હિસ્સો 64 ટકા, ગોહિલવાડમાં ગત વર્ષની તુલનાએ આ વખતે ડુંગળીના વાવેતરમાં વધારો, ભાવનગર જિલ્લામાં 44000 હેટકરમાં વાવણીનું કાર્ય પૂર્ણ ભાનગરઃ જિલ્લામાં રવિ સીઝનમાં હાલ વાવણીનું કાર્ય ચાલી રહ્યું છે. જેમાં જિલ્લામાં ડુંગળી સહિત વિવિધ પાકોનું સરેરાશ 44000 હેકટરમાં વાવેતર થયું છે. જેમાં સૌથી વધુ ડુંગળીનું 15900 હેકટરમાં વાવેતર થયું છે. […]

અમદાવાદના તપોવન સર્કલ પાસે પોલીસ પર કાર ચડાવી દેવાનો પ્રયાસ, દંપત્તીની ધરપકડ

વાહનચેકિંગ દરમિયાન પોલીસે ફોર્ચ્યુનર કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો, કારચાલકે પોલીસને ટક્કર મારીને નાસવા જતાં અન્ય બે પોલીસ કર્મીઓને પણ ઢસડ્યા, કાર ભગાડી મુકવા કારમાં બેઠેલી પત્નીએ તેના કારચાલક પતિને ઉશ્કેર્યો હતો  અમદાવાદઃ શહેરમાં રાતના સમયે દારૂ પીને પૂરફાટ ઝડપે વાહનો ચલાવાતા હોય દારૂડિયા વાહનચાલકોને પકડવા માટે શહેર પોલીસ દ્વારા રાતના સમયે વાહનોનું સઘન ચેકિંગ […]

ભારત-મલેશિયાની સંયુક્ત સૈન્ય કવાયત હરિમાઉ શક્તિ મલેશિયાના બેન્ટોંગ કેમ્પમાં શરૂ થઈ

નવી દિલ્હીઃ ભારત-મલેશિયા સંયુક્ત લશ્કરી કવાયત હરિમાઉ શક્તિની ચોથી આવૃત્તિ મલેશિયાના પહાંગ જિલ્લાના બેન્ટોંગ કેમ્પમાં શરૂ થઈ. આ કવાયત 2 થી 15મી ડિસેમ્બર 2024 સુધી આયોજિત કરવામાં આવશે. મહાર રેજિમેન્ટની બટાલિયન દ્વારા 78 કર્મચારીઓની બનેલી ભારતીય ટુકડીનું પ્રતિનિધિત્વ કરવામાં આવે છે. મલેશિયન ટુકડીનું પ્રતિનિધિત્વ ધ રોયલ મલેશિયન રેજિમેન્ટના 123 કર્મચારીઓ કરી રહ્યા છે. સંયુક્ત વ્યાયામ હરિમાઉ […]

અમદાવાદમાં દારૂડિયા કારચાલકે પૂરફાટ ઝડપે એક્ટિવાને ટક્કર મારતા બે યુવાનોના મોત

નરોડા-દહેગામ રોડ પર ગત રાતના સમયે બન્યો બનાવ, પૂરફાટ ઝડપે કાર ડિવાઈડર કૂદીને સામેના રોડ પર એક્ટિવા સાથે અથડાઈ, ક્રેટાકારનો ચાલક દારૂના નશામાં લથડિયા મારતો હતો અમદાવાદઃ શહેરમાં દારૂ પીને પૂરફાટ ઝડપે વાહનો ચલાવીને અકસ્માત સર્જવાના બનાવો વધતા જાય છે. થોડ દિવસ પહેલા જ બોપલ-આંબલી રોડ પર નશાબાજ કારચાલકે અનેક વાહનોને અડફેટે લીધા હતા, ત્યારે […]

સોમનાથ મંદિરનો 29મો સંકલ્પ સિધ્ધિ દિવસ ભક્તિમય વાતાવરણમાં ઊજવાયો

સોમનાથ મહાદેવના પ્રવર્તમાન મંદિરની સંપૂર્ણતાને 29 વર્ષ પૂર્ણ થયા, 1લી ડિસેમ્બર 1995ના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ શંકર દયાલ શર્માએ સંપૂર્ણ થયેલું સોમનાથ મંદિર દેશને સમર્પિત કર્યુ હતુ. દર વર્ષે 1લી ડિસેમ્બરનો દિન સંકલ્પ સિદ્ધિ દિન તરીકે ઊજવાય છે સોમનાથઃ  સોમનાથ મંદિરની સંપૂર્ણતાને 1લી ડિસેમ્બરના રોજ 29 વર્ષ થતા સંકલ્પ સિદ્ધિ દિન તરીકે ઊજવણી કરવામાં આવી હતી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code