1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

‘એક રાષ્ટ્ર એક ચૂંટણી’ બિલ લોકસભામાં રજૂ થયું, વિપક્ષે કર્યો વિરોધ

નવી દિલ્હી: કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલે મંગળવારે દેશમાં લોકસભા અને વિધાનસભા ચૂંટણી એક સાથે કરાવવાના પ્રાવધાનવાળુ સંવિધાન (129મો સુધારો) ખરડો, 2024′ અને સંબંધિત ‘કેન્દ્રશાસિત કાયદા (સુધારા) બિલ, 2024’ રજૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જે દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજવા માટે પ્રદાન કરે છે. આ બિલ સંસદના નીચલા ગૃહમાં મૂકવામાં આવ્યું હતું. […]

ફેબ્રુઆરીમાં ભાજપને નવા પ્રમુખ મળવાની શક્યતા

નવી દિલ્હીઃ ભાજપાના પ્રેસિડેન્ટ જેપી નડ્ડાના સ્થાન લે તેવા નવા અધ્યક્ષની ચૂંટણી ફેબ્રુઆરીના અંત સુધીમાં યોજાય તેવી શક્યતા છે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર, ચાલી રહેલી સંગઠનાત્મક ચૂંટણીઓ હેઠળ, પાર્ટીના અડધાથી વધુ રાજ્ય એકમોમાં મતદાન પ્રક્રિયા જાન્યુઆરીના મધ્ય સુધીમાં પૂર્ણ થઈ જશે. આ પછી નવા રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થશે. એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું […]

વારાણસીઃ મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારમાં 40 વર્ષથી બંધ મંદિર ફરીથી ખોલાશે

લખનૌઃ ઉત્તર પ્રદેશના વારાણસીમાં, લગભગ ચાર દાયકાથી બંધ પડેલા મંદિરને ફરીથી ખોલવા માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. સનાતન રક્ષા દળના ઉત્તર પ્રદેશ એકમના પ્રમુખ અજય શર્માએ મદનપુરા વિસ્તારમાં સ્થિત આ મંદિરને ખોલવા માટે ભેગા થયેલા જૂથનું નેતૃત્વ કર્યું હતું. શર્માએ જણાવ્યું હતું કે, મંદિરને ફરીથી ખોલવાનો પ્રયાસ કોઈ વિવાદ કે સંઘર્ષને કારણે નથી. મંદિરના […]

પ્રિયંકા ગાંધી ‘સ્ટેન્ડ વિથ બાંગ્લાદેશના હિંદુઓ’ લખેલી બેગ લઈને સંસદ પહોંચ્યા

નવી દિલ્હીઃ કોંગ્રેસના મહાસચિવ અને સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા અને પાર્ટીના અન્ય કેટલાક સાંસદોએ સોમવારે સંસદ સંકુલમાં બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય અને અન્ય લઘુમતીઓ પર થતા અત્યાચારો વિરુદ્ધ પ્રદર્શન કર્યું અને સરકાર પાસેથી તેમના માટે ન્યાયની માંગ કરી હતી. પ્રિયંકા ગાંધીના હાથમાં એક બેગ પણ હતી, જેના પર “સ્ટેન્ડ વિથ બાંગ્લાદેશના હિંદુઓ અને ખ્રિસ્તીઓ” લખ્યું હતું. […]

જ્યોર્જિયા રેસ્ટોરન્ટમાં 11 ભારતીયોના મોત, તમામ મૃતદેહ ભારત લાવવાના પ્રયાસો શરૂ કરાયાં

તિબિલિસી: જ્યોર્જિયાના એક શહેરમાં 11 ભારતીયોના મોત થયાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. ભારતીય દૂતાવાસ સ્થાનિક અધિકારીઓ સાથે તેમના પાર્થિવ દેહ પરત લાવવાના પ્રયાસો કરી રહી છે. ભારતીય દૂતાવાસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, જ્યોર્જિયાના ગુદૌરીમાં અગિયાર ભારતીય નાગરિકોના કમનસીબ મૃત્યુ વિશે જાણીને તે દુઃખી છે અને તેમના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત […]

આબુ રોડ – માવલ વિભાગ વચ્ચે પ્રસ્તાવિત બ્લોકને કારણે કેટલીક ટ્રેનોને અસર થશે

અમદાવાદઃ ઉત્તર પશ્ચિમ રેલવે અજમેર મંડળના આબુ રોડ – માવલ વિભાગ વચ્ચે આરસીસી બોક્સ લોન્ચિંગ કરવા માટેના પ્રસ્તાવિત બ્લોકને કારણે કેટલીક ટ્રેનોને અસર થશે. આ ટ્રેનોની વિગતોમાં આજે જોધપુરથી ચાલતી જોધપુર-સાબરમતી એક્સપ્રેસ અને 18 ડિસેમ્બરના રોજ સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ કરવામાં આવશે. આ ઉપરાંત આજે લાલગઢ-દાદર રણકપુર એક્સપ્રેસ લાલગઢથી 2.00 વાગે અને ભગત કી […]

અમદાવાદમાં જાહેર રોડ ઉપર કચરો ફેંકી ગંદકી બદલ 25 દુકાનો સીલ કરવામાં આવી

ગાંધીનગરઃ જાહેર રોડ ઉપર કચરો ફેંકી ગંદકી બદલ અમદાવાદના એસજી હાઈવે, ઘાટલોડિયા અને મણિનગરમાં 25 દુકાનો સીલ કરવામાં આવી હતી. શહેરના પશ્ચિમ વિસ્તારમાં ઉત્તર પશ્ચિમ ઝોનના સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ અને આદર્શ સફાઈના અભાવ બદલ ગોતા, ઘાટલોડિયા, થલતેજ અને બોડકદેવ વિસ્તારમાં કુલ 8 તેમજ પૂર્વ વિસ્તારમાં મણીનગર, બહેરાપુરા, વટવા સહિતના વિસ્તારોમાં જાહેર […]

ફ્રાન્સના મેયોટ ટાપુ પર ત્રાટકેલા વિશાનક વાવાઝોડામાં અનેક લોકોના મોત

ફ્રાન્સના મેયોટ ટાપુ પર વાવાઝોડા ચિડોના કારણે ભારે વિનાશ વચ્ચે અનેક લોકોના મોતની આશંકા છે. અત્યાર સુધી ત્યાં 20 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, પરંતુ સ્થાનિક વહીવટી તંત્રનું કહેવું છે કે મૃતકોની સંખ્યા હજારોમાં હોઈ શકે છે. વહીવટી તંત્રએ આ અંગે ચેતવણી પણ જાહેર કરી છે. શનિવારે આ વિસ્તારમાં આવેલા ભીષણ વાવાઝોડાને કારણે 225 કિલોમીટર […]

સરકાર ખેડૂતોને સૌથી ઓછા દરે યુરિયા આપવા માટે પ્રતિબધ્ધ

નવી દિલ્હીઃ ખાદ્ય અને ગ્રાહક બાબતોના કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે ભાવમાં વધારો થયો છે ત્યારે સરકાર ખેડૂતોને સૌથી ઓછા દરે યુરિયા આપવા માટે પ્રતિબધ્ધ છે. તેમણે ગઈકાલે નવી દિલ્હીમાં ઈલેક્ટ્રોનિક નેગોશિયેબલ વેરહાઉસ રિસીપ્ટ્સ આધારિત પ્લેજ ફાઈનાન્સિંગ માટે ક્રેડિટ ગેરંટી સ્કીમના લોન્ચ દરમિયાન આ બાબતનો ઉલ્લેખ કર્યો હતો. જોશીએ જણાવ્યું હતું […]

અજીત ડોભાલ બેઇજિંગમાં ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે વિશેષ પ્રતિનિધિઓની 23મી બેઠકમાં ભાગ લેશે

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને ભારત-ચીન સરહદ મુદ્દે ભારતના વિશેષ પ્રતિનિધિ અજીત ડોભાલ બુધવારે બેઇજિંગમાં ચીનના તેમના સમકક્ષ અને વિદેશ મંત્રી વાંગ યી સાથે વિશેષ પ્રતિનિધિઓની 23મી બેઠકમાં ભાગ લેશે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે આ વર્ષે 23 ઓક્ટોબરે કઝાનમાં બંને નેતાઓની બેઠક દરમિયાન સમજૂતી થઈ હતી. બંને વિશેષ પ્રતિનિધિઓ સરહદી વિસ્તારોમાં શાંતિ અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code