1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

દિલ્હીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા

નવી દિલ્હીઃ દિલ્હી-NCRના ઘણા વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો, જેના કારણે ઠંડી વધી ગઈ છે. ભારતીય હવામાન વિભાગે કહ્યું કે વરસાદનું કારણ સક્રિય પશ્ચિમી વિક્ષેપ છે જેના કારણે પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં ઠંડી પડી છે. આજે દિવસભર વાદળછાયું આકાશ અને ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. તાપમાન મહત્તમ 20 ડિગ્રી અને લઘુત્તમ 11 […]

પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહના નિધન પર નરેન્દ્ર મોદીનો શોક સંદેશ

નવી દિલ્હીઃ પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શોક સંદેશ પાઠવતા જણાવ્યું હતું કે, પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહના નિધનથી આપણા બધાના હૃદયમાં ઊંડી વેદના છે. તેમનું નિધન એક રાષ્ટ્ર તરીકે આપણા માટે મોટી ખોટ છે. વિભાજનના સમયગાળામાં ઘણું ગુમાવ્યા પછી અને અહીં જીવનના દરેક ક્ષેત્રમાં સિદ્ધિઓ હાંસલ કર્યા પછી ભારત […]

અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ કાર્યક્રમ રદ કરાયો, ફ્લાવર શો હવે 3 જાન્યુઆરીએ યોજાશે

અમદાવાદઃ દેશના પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહનું નિધન થતા રાજકીય જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. કેન્દ્ર સરકારે સાત દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. તેમજ તમામ સરકારી કાર્યક્રમ રદ કરવામાં આવ્યાં છે. દરમિયાન અમદાવાદ શહેરમાં મનપા સંચાલિક કાંકરિયા કાર્નિવલ 2024ને રદ કરવામાં આવ્યો છે, એટલું જ નહીં તા. 1લી જાન્યુઆરીથી શરૂ થતા ફ્લાવર શોને […]

જમ્મુ-કાશ્મીરમાં શીત લહેરનું મોજુ ફરી વળ્યું, દાલ સરોવર સહિત અનેક જળાશયોની સપાટી પર બરફનો પડ જામ્યો

નવી દિલ્હીઃ લઘુત્તમ તાપમાન શૂન્યથી અનેક ડિગ્રી નીચે ગગડી જવાને કારણે કાશ્મીરમાં ગંભીર શીત લહેરોની સ્થિતિ પ્રવર્તી રહી છે. આવી સ્થિતિમાં પાણી પુરવઠાની લાઈનો જામી ગઈ છે. દાલ સરોવર સહિત અનેક જળાશયોની સપાટી પર બરફનો પાતળો પડ જમા થયો છે. હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે રાત્રે શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન માઈનસ 7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું […]

નાણાકીય સેવાઓમાં AI ના નૈતિક ઉપયોગ પર 8 સભ્યોની પેનલ રચાઈ

નવી દિલ્હીઃ આરબીઆઈએ નાણાકીય ક્ષેત્રમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના જવાબદાર અને નૈતિક ઉપયોગ માટે માળખું તૈયાર કરવા માટે 8 સભ્યોની સમિતિની રચના કરવાની જાહેરાત કરી હતી. આ સમિતિ પ્રથમ બેઠકની તારીખથી છ મહિનામાં તેનો અહેવાલ રજૂ કરશે. રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IIT), મુંબઈના કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ વિભાગના પ્રોફેસર પુષ્પક ભટ્ટાચાર્ય […]

અરબી સમુદ્ર ડૂબેલા જહાજના નવ ખલાસીને બચાવ્યા

ભારતીય તટરક્ષક દળે ઉત્તર અરબી સમુદ્રમાં ડૂબી ગયેલા ભારતીય જહાજ MSV તાજ ધરે હરામમાંથી નવ ક્રૂ સભ્યોને સફળતાપૂર્વક બચાવ્યા હતા. આ બચાવ અભિયાન મુંબઈ, ભારત અને પાકિસ્તાનના કરાચીથી સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. મુંદ્રાથી રવાના થયેલું જહાજ યમનના સોકોત્રા તરફ જતું હતું, આ જહાજ 26મીના રોજ સમુદ્રમાં આવેલા તોફાનને કારણે ડૂબી ગયું હતું. ડૂબી ગયેલા […]

અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ

અમદાવાદઃ ગુજરાતના અનેક જિલ્લાઓમાં હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં મોડી સાંજથી વહેલી સવારે વરસાદના હળવાથી મધ્યમ ઝાપટા પડ્યા છે. આ સાથે જ હજુ પણ બે થી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. ઉત્તર ગુજરાત સહિત અમુક જિલ્લામાં આજે પણ છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરાઈ છે. આજે સવારથી જ અમદાવાદ સહિત […]

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડૉક્ટર મનમોહનસિંઘના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યું

અમદાવાદઃ દેશના પૂર્વ પ્રધાનમંત્રી ડૉક્ટર મનમોહનસિંઘનું ગઇકાલે નિધન થયું હતું. 92 વર્ષની જૈફ વયે તેમનું નિધન થતાં દેશમાં શોકનો માહોલ પ્રવર્તી રહ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડૉક્ટર મનમોહનસિંઘના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણ સોશિયલ મીડિયા પોસ્ટ X ના માધ્યમથી દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, દેશના વિકાસમાં ડોક્ટર મનમોહનસિંઘનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું […]

ડો. મનમોહન સિંહજીને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ, PM મોદી સહિતના મહાનુભાવોએ પાઠવી શ્રદ્ધાંજલી

નવી દિલ્હીઃ દેશના પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહજીનું આજે 92 વર્ષની વયે નિધન થયું છે. દરમિયાન રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિતના આગેવાનોએ ડો.મનમોહન સિંહજીના નિધન અંગે દુઃખ વ્યક્ત કરીને શ્રદ્ધાંજલી પાઠવી હતી.  રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ પૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહજીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને તેમને શ્રદ્ધાંજિલ […]

પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહનું નિધન, દેશમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર

નવી દિલ્હીઃ દેશના પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના સિનિયર નેતા ડો. મનમોહન સિંહજીનું 92 વર્ષની વયે નિધન થયું હતું. નાદુરસ્ત તબિયતને કારણે તેમને એઈમ્સ દિલ્હીમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડો.મનમોહન સિંહજીના નિધનને પગલે દેશના સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના આગેવાન સોનિય ગાંધી સહિતના નેતાઓએ પૂર્વ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code