1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

રાજસ્થાનમાં સૌર ઊર્જાની અપાર સંભાવનાઓ: નરેન્દ્ર મોદી

જયપુરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​‘એક વર્ષ-પરિણામ ઉત્કર્ષ’: રાજસ્થાન રાજ્ય સરકારના એક વર્ષ પૂર્ણ થવાના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે રાજસ્થાનની સરકાર અને રાજસ્થાનની જનતાને રાજ્ય સરકારનું એક વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, આ કાર્યક્રમમાં એકઠા થયેલા લાખો લોકોના આશીર્વાદ લેવા માટે તેઓ ભાગ્યશાળી […]

ભારતીય ડોકટરોએ સખત મહેનતના આધારે વિશ્વના વિકસિત દેશોમાં અગ્રણી સ્થાન હાંસલ કર્યું: રાષ્ટ્રપતિ

બેંગ્લોરઃ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે ​​આંધ્રપ્રદેશના મંગલગિરીમાં એઇમ્સના પ્રથમ દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, કોઈપણ ઉચ્ચ શિક્ષણ સંસ્થાનની શરૂઆતની બેચ તે સંસ્થાની ઓળખ બનાવે છે. તેમણે પ્રથમ બેચના MBBS સ્નાતકોને કહ્યું કે તેઓ તબીબી સમુદાય, સમાજ, દેશ અને વિદેશમાં એઇમ્સ, મંગલગિરીના પ્રથમ બ્રાન્ડ એમ્બેસેડર છે. રાષ્ટ્રપતિએ તબીબોને કહ્યું […]

ભાવનગર નજીક હાઈવે પર ડમ્પર પાછળ ખાનગી લકઝરી બસ અથડાતા 6નાં મોત

લકઝરી બસના 20થી વધુ પ્રવાસીઓને હોસ્પિટલ ખસેડાયા, લકઝરીના બસચાલકને રોડ સાઈડ પર પાર્ક કરેલું ડમ્પર દેખાયું નહીં, મેયર સહિત ભાજપના નેતા હોસ્પિટલ દોડી ગયા ભાવનગરઃ ગુજરાતમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં આજે વધુ એક અકસ્માતનો બનાવ ભાવનગરના ત્રાપજ નજીક ડમ્પર અને લકઝરી બસ વચ્ચે સર્જાયો હતો. ભાવનગરના  ત્રાપજ પાસે હાઈવે પર આજે વહેલી […]

ધોરાજીના છાડવાવદરમાં 10 વર્ષથી ગ્રાન્ટેડ સ્કૂલ બંધ છતાંયે તંત્રને કંઈ ખબર નથી

કાગળ પર ચાલતી ગ્રાન્ટેડ સ્કૂલના ટ્રસ્ટી મંડળને ડીઈઓએ આપી નોટિસ, સ્કૂલ બંધ છતાંયે 54 વિદ્યાર્થીઓનું ભૂતિયા રજિસ્ટર, મહિલા આચાર્ય અને કારકૂનના પગારની રિકવરી માટે નોટિસ રાજકોટઃ જિલ્લાના ધોરાજી તાલુકાના છાડવાવદર ગામમાં 10 વર્ષથી ગ્રાન્ટેડ શાળા બંધ હોવા છતાંયે સરકાર દ્વારા ગ્રાન્ટ ચુકવવામાં આવતી હતી. જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને 10 વર્ષથી શાળા બંધ હોવા છતાંયે કોઈ જાણ […]

આરટીઈ હેઠળ પ્રવેશ માટે વાલીઓને જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવા સુચના

પ્રવેશ માટે આવક પ્રમાણપત્ર, જન્મ સર્ટી, અને નોન ક્રિમિલેયર સર્ટી, જરૂરી બાળકનો જન્મ 2 મે, 2018થી 1 મે, 2019 દરમિયાન થયો હોવા જોઈએ છેલ્લી ઘડીએ દોડાદોડી ન કરવી પડે તે માટે વાલીઓને સુચના સુરતઃ ગુજરાતમાં આર્થિકરીતે નબળા પરિવારોના બાળકો ખાનગી શાળામાં સારૂ શિક્ષણ મેળવી શકે એવા ઉમદા હેતુથી આરટીઈ એટલે કે રાઈટ ટુ એજ્યુકેશનનો કાયદો […]

લોકસભામાં વન નેશન, વન ઈલેક્શન બિલ રજૂ કરાયું, પક્ષમાં 269 અને વિરોધમાં 198 વોટ પડ્યાં

નવી દિલ્હીઃ લોકસભામાં મતદાન બાદ ‘વન નેશન વન ઈલેક્શન’ બિલ રજૂ કરવામાં આવ્યું હતું. સંસદમાં વિધેયક પાસ કરવાના પ્રસ્તાવના પક્ષમાં 269 ​​સાંસદોએ મતદાન કર્યું હતું. જ્યારે 198 સાંસદોએ તેની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. બંને ગૃહોની સંયુક્ત સમિતિને બિલ મોકલવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના સૂચનને પગલે, કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલે લોકસભાના અધ્યક્ષ […]

હીરા ઉદ્યોગમાં વ્યાપક મંદીને લીધે કારખાનેદારોએ ઘંટીઓ વેચવા કાઢી

સુરતના વરાછા અને કતારગામમાં ભંગારના ગોદામોમાં થપ્પા લાગ્યા ભાડાના મકાનો ખાલી કરીને કારખાનેદારો ઘંટીઓ સ્ક્રેપમાં આપી દે છે પોતાની માલિકીના મકાનો હોય એવા કારખાનેદારો તેજીની રાહ જોઈ રહ્યા છે સુરતઃ હીરા ઉદ્યોગમાં છેલ્લા બે ત્રણ વર્ષથી મંદીની મોકાણ ચાલી રહી છે. જેમાં છેલ્લા વર્ષમાં વ્યાપક મંદીને લીધે મોટી સંખ્યામાં હીરાના કારખાના બંધ થતાં રત્નકલાકારો બેરોજગાર […]

ઉત્તર ભારતમાં શીત લહેર! કાશ્મીરમાં પારો માઈનસમાં પહોંચ્યો, ઓડિશામાં 10 ડિગ્રી

ઠંડીનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને દિલ્હી જેવા ઉત્તરીય રાજ્યો સોમવારે પણ ઠંડીની લહેર હેઠળ રહ્યા હતા. જ્યારે જમ્મુ અને કાશ્મીરમાં તાપમાન શૂન્યથી નીચે નોંધાયું હતું, જ્યારે પૂર્વીય રાજ્ય ઓડિશાના કેટલાક ભાગોમાં પારો 10 ડિગ્રી સેલ્સિયસથી નીચે ગયો હતો. કાશ્મીરમાં તીવ્ર ઠંડીનું મોજું યથાવત રહ્યું હતું અને લઘુત્તમ તાપમાન શૂન્યથી […]

PM મોદી કુવૈત જશે! ભારતીય વડાપ્રધાન 43 વર્ષ બાદ આ મુસ્લિમ દેશની મુલાકાત લેશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21-22 ડિસેમ્બરે કુવૈતની મુલાકાત લઈ શકે છે. પીએમ મોદીની ખાડી દેશ કુવૈતની આ મુલાકાત ઘણી રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. તાજેતરમાં જ કુવૈતના વિદેશ મંત્રી ભારત આવ્યા હતા અને પીએમને કુવૈત આવવાનું આમંત્રણ આપ્યું હતું. આ પહેલા વર્ષ 1981માં એક ભારતીય પીએમ કુવૈતની મુલાકાતે ગયા હતા. પીએમ મોદીની આ પ્રથમ કુવૈત […]

ગુજરાતમાં ખેડુતોએ છેલ્લા ત્રણ વર્ષમાં 3.64 કરોડની લોન લીધી

ખેડુતોની લોનમાં 37 ટકાનો થયો વધારો, સહકારી બેન્કોએ ખેડુતોને 62 હજારની લોન આપી છે વર્ષ 2023-24માં ખેડુતોએ 1.41 લાખ કરોડની લોન લીધી અમદાવાદઃ ગુજરાતમાં નર્મદા યોજનાની સિચાઈનો લાભ મળ્યા બાદ પણ ખેડુતો દેવાના ડુંગરમાં દબાતા જાય છે. રોજબરોજ ખેતીના ખર્ચમાં વધારો થતો જાય છે. ખાતર, બિયારણના ભાવ આસમાને પહોંચ્યા છે. બીજીબાજુ શ્રમિકોના મજુરી દરમાં પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code