1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

જામનગરના જામજોધપુર નજીક કાર-બાઈક વચ્ચે અકસ્માતમાં એકનું મોત

બાઈકસવાર ખેડુત પતિનું તેની પત્ની સામે જ મોત, પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી, અકસ્માત બાદ નાસી ગયેલા કારચાલકની પોલીસે શોધખોળ આદરી, જામનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ જામજોધપુર પાટણ ગામના પાટિયા પાસે કાર અને બાઈક વચ્ચે સર્જાયો હતો. જેમાં ખેડુત પતિનું તેની પ્તનીની સામે […]

જંત્રીમાં સુચિત વધારા સામે ક્રેડાઈએ બાંયો ચઢાવી, હવે બિલ્ડરો પણ વિરોધ કરવા લાગ્યા

ક્રેડાઈ જંત્રીના સુચિત વધારાને કોર્ટમાં પડકારશે, જંત્રીના દર વધારાથી રિડવલપના કામો અટકી જશે,  અસહ્ય જંત્રીથી બાંધકામ ઉદ્યોગ ભાંગી પડશે અમદાવાદઃ ગુજરાતમાં જંત્રીના સુચિત દરમાં વધારા સામે હવે રહી રહીને બિલ્ડરોએ પણ વિરોધ શરૂ કર્યો છે. નવી જંત્રીના અમલ સાથે જ રિઅલ એસ્ટેટમાં મંદીની શક્યતા બિલ્ડરો વ્યક્ત કરી રહ્યા છે. નવી સૂચિત જંત્રીમાં સરેરાશ 200થી 2000 […]

મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ક્રિકેટરોને પણ શીશામાં ઉતાર્યા હતા

પાંચ ક્રિકેટરોએ ભૂપેન્દ્રસિંહની BZ ગૃપમાં રોકોણ કર્યુ હતું, રોકોણ કરવામાં અનેક તબીબોનો પણ સમાવેશ, એજન્ટ બનેલા શિક્ષકો હવે ફફડી રહ્યા છે અમદાવાદઃ પોન્ઝી સ્કીમ ચલાવીને લોકોને લલચાવીને રોકાણો કરાવીને કરોડો રૂપિયાનું કૌભાંડ આચરનારા મહાકૌભાંડી ભુપેન્દ્રસિંહ ઝાલાએ અનેક લોકોને શીશામાં ઉતાર્યા છે. જેમાં જાણીતા ક્રિકેટરોનો પણ સમાવેશ થાય છે. ભૂપેન્દ્ર ઝાલાના BZ ગ્રુપમાં ક્રિકેટરોએ પણ પૈસાનું […]

પાટડીના ધામા ગામની સીમમાં નર્મદાની કેનાલ ઓવરફ્લો થતાં ખેતરોમાં પાણી ફરી વળ્યા

200 વિઘામાં ઊભા પાકને નુકશાન, ખેડુતોએ જાણ કરવા છતાંયે કોઈ અધિકારી હજુ જોવા પણ આવ્યા નથી, કેનાલના ગરનાળામાં કચરો હોવાથી કેનાલ ઓવરફ્લો થઈ સુરેન્દ્રનગરઃ  જિલ્લાના પાટડી તાલુકાના ધામા ગામની સીમમાં કેનાલ ઓવરફ્લો થતાં આજુબાજુના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. ખેડુતોના ઊભા પાકને નુકશાન થયુ હતુ. ખેડૂતોએ મશીનો મૂકીને ખેતરોમાં ફરી વળેલા પાણી બહાર કાઢ્યા હતા. […]

સુરેન્દ્રનગરમાં સિટીબસમાં મહિલા કન્ડકટર પર ટમેટાં ફેંકાતા બબાલ

શાક માર્કેટ પાસેથી સિટીબસ પસાર થતાં બન્યો બનાવ, સિટીબસના ચાલકે બસ રોકી દેતા ટ્રાફિક જામ સર્જાયો, અંતે પોલીસે એક શખસને દબોચી લીધો સુરેન્દ્રનગરઃ શહેરમાં સિટીબસ સેવા શરૂ કરવામાં આવી છે. અને નાગરિકો દ્વારા તેને સારોએવો રિસ્પોન્સ પણ મળી રહ્યો છે. દરમિયાન સિટી બસ ટાવર રોડ પરથી શાક માર્કેટ નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે  કોઈ […]

ગાંધીનગરમાં હોર્ડિગ્સની નવી પોલીસી અમલી બનતા જુના 325 બેનરો હટાવાયાં

શહેરમાં હવે તમામ સ્થળોએ એક સરખા હોર્ડિંગ્સ-બેનરો લાગશે, હોર્ડિંગ્સને લીધે મ્યુનિ.કોર્પોરેશનને 38 કરોડની આવક થશે, મંજુરી વિના હોર્ડિંગ લગાવાશે તો ગુનો ગણાશે ગાંધીનગરઃ શહેરમાં આડેધડ હોર્ડિંગ્સ અને બેનરો લગાવવામાં આવતા હતા. અને તે અંગેની કોઈ પોલીસી ન હોવાને લીધે ગમે તે માપ કે સાઈઝના હોર્ડિંગ્સને લીધે મુશ્કેલી ઊભી થતી હતી. દરમિયાન ગાંધીનગર મ્યુનિ. કર્પોરેશન દ્વારા […]

ગુજરાતના ખેડૂતોને 2.15 કરોડ જેટલા સોઇલ હેલ્થ કાર્ડનું વિનામૂલ્યે વિતરણ કરાયું

અમદાવાદઃ સોઇલ હેલ્થ કાર્ડ યોજના થકી ગુજરાતના અનેક ખેડૂતોએ પોતાની બિન-ખેતીલાયક જમીનને ખેતીલાયક બનાવી. ગુજરાતના ખેડૂતોને 2.15 કરોડ જેટલા સોઇલ હેલ્થ કાર્ડનું વિનામૂલ્યે વિતરણ કરાયું. જમીન એ ખોરાક, પાણી અને પોષણ માટેનો મુખ્ય સ્ત્રોત છે. એટલા માટે જ, મનુષ્ય જીવનને ટકાવી રાખવામાં જમીનનું મહત્વ અનન્ય છે. જમીનની ગુણવત્તા જાળવી રાખવા તેમજ જમીન સંરક્ષણની જરૂરિયાત અંગે લોકજાગૃતિ કેળવવા […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાલે ગુરૂવારથી શરૂ થશે, ત્રિ દિવસીય ખેલકૂદ મહોત્સવ,

ખેલકૂદ મહોત્સવમાં 70 કોલેજોના 1800 ખેલાડીઓ ભાગ લેશે, સ્પોર્ટ્સ મહોત્સવમાં 3 નવી ઈવેન્ટ ઉમેરાઈ, શારિરીક શિક્ષણના નિવૃત અધ્યાપકોનું સન્માન કરાશે રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવતી કાલે તા. 5થી 7 ડિસેમ્બર દરમિયાન 53મો વાર્ષિક ખેલકૂદ મહોત્સવ યોજાશે. આ ખેલકૂદ મહોત્સવમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન 70 કૉલેજોના 1800થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે. દોડ, કૂદ અને ફેંકની અલગ-અલગ ઇવેન્ટ ભાઈઓ […]

આઇએસએએમની 63મી વાર્ષિક પરિષદનું આયોજન કરશે

નવી દિલ્હીઃ ઇન્ડિયન સોસાયટી ઓફ એરોસ્પેસ મેડિસિન (ISAM) 05થી 07 ડિસેમ્બર 2024 દરમિયાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોસ્પેસ મેડિસિન (આઇએએમ), બેંગલુરુ ખાતે તેની 63મી વાર્ષિક પરિષદનું આયોજન કરી રહી છે. આ સંસ્થા લશ્કરી અને નાગરિક એરોસ્પેસ મેડિસિન સાથે કામ કરે છે, જેમાં દેશના અવકાશ ઉડ્ડયન કાર્યક્રમના માનવ પાસાઓનો સમાવેશ થાય છે. વર્ષ 1952માં સ્થપાયેલી આ એકમાત્ર નોંધાયેલી […]

સુરતના ભાજપના મહિલા નેતાના આપઘાત કેસમાં ખટોદરા પીઆઈને તપાસ સોંપાઈ

ભાજપના કોર્પોરેટર ચિરાગનો મોબાઈલ ફોન જપ્ત કરાયો, દીપિકા પટેલને ટિકિટ અપાવવા બે કરોડ પડાવ્યાની ચર્ચા, પોલીસ હજુ હવામાં જ તીર મારી રહી છે, સુરતઃ શહેરમાં અલથાણના ખાતે રહેતી ભાજપ મહિલા નેતાના આપઘાતનો કેસમાં પોલીસ હજુ અંધારામાં તીર મારી રહી છે. આ કેસમાં ભાજપના કોર્પોરેટર ચિરાગ સોલંકીનો મોબાઈલ પોલીસે જપ્ત કર્યો છે. જો કે પોલીસને હજુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code