1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

આતંકવાદ સંબંધિત ગુનાઓમાં વોન્ટેડ સલમાનને રેરવાંડાથી ભારત પરત લવાયો

નવી દિલ્હીઃ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના ગ્લોબલ ઑપરેશન સેન્ટરે આતંકવાદ સંબંધિત ગુનાઓ માટે એનઆઈએ દ્વારા વોન્ટેડ સલમાન રહેમાન ખાનને રવાંડાથી ભારત મોકલવા માટે એનઆઈએ અને ઇન્ટરપોલ રાષ્ટ્રીય કેન્દ્રીય બ્યુરો – કિગાલી સાથે ગાઢ સંકલન કર્યું છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ ગુનાહિત ષડયંત્રના ગુનાઓ, આતંકવાદી સંગઠનના સભ્ય હોવાના અને આતંકવાદી સંગઠનને સમર્થન આપવા તેમજ […]

દિલ્હીના પ્રશાંત વિસ્તારમાં ફરીથી થયો બ્લાસ્ટ, પોલીસે તપાસ શરૂ કરી

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીના રોહિણીના પ્રશાંત વિહાર વિસ્તારમાં એક સ્કૂટરમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટને પગલે સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો. તેમજ તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં સ્થળ પરથી સફેદ પાઉડર જેવી વસ્તુ મળી આવી […]

વકફ સુધારા વિધેયક માટે રચાયેલી સમિતિની મુદત બજેટ સત્ર સુધી લંબાવાઈ

નવી દિલ્હીઃ વકફ સુધારા વિધેયક માટે રચાયેલી સમિતિનો કાર્યકાળ બજેટ સત્ર 2025ના અંતિમ દિવસ સુધી લંબાવવામાં આવ્યો છે. લોકસભાએ આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. બુધવારે મળેલી સમિતિની બેઠકમાં સર્વસંમતિથી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ કમિટીએ આ સપ્તાહના અંત સુધીમાં પોતાનો રિપોર્ટ સોંપવાનો હતો. આ મામલે સમિતિના અધ્યક્ષ જગદંબિકા પાલનું કહેવું છે કે, સમિતિના […]

ઈન્ડી ગઠબંધનમાં ભંગાણ, સંસદમાં વિપક્ષના હંગામાથી TMC રહ્યું દૂર

નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્રના પ્રથમ બે દિવસ વિપક્ષ દ્વારા હંગામો મચાવવામાં આવ્યો હતો. વિપક્ષ દ્વારા સંબલ હિંસા સહિતના મુદ્દે વિપક્ષના સાંસદોએ મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, ઈન્ડી ગઠબંધનમાં ભાગલા પડી ગયા હોય તેમ વિપક્ષના આ વિરોધમાં ટીએમસી જોડાયું નથી. ટીએમસીના નેતાઓએ સંસદના કામકાજને પ્રભાવિત ન કરવાનું કહ્યું છે. ટીએમસીના રાજ્યસભાના નેતા […]

ચેમ્પિયન્સ ટ્રોફી વિવાદ વચ્ચે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આપી BCCIને આપી ગર્ભીત ધમકી

લાહોરઃ ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ મોહસિન નકવીએ ફરી એકવાર ભારત અને બીસીસીઆઈને ગર્ભીત ધમકી આપી હતી. નકવીએ કહ્યું છે કે પાકિસ્તાન માટે ભવિષ્યમાં કોઈપણ ટૂર્નામેન્ટ માટે ભારતનો પ્રવાસ કરવો શક્ય નથી. જ્યાં સુધી ભારત તેની ટીમને પાકિસ્તાન મોકલવાનો ઇનકાર કરવાનું ચાલુ રાખશે ત્યાં સુધી તેમની ટીમ પણ […]

દિલ્હી આજે વિશ્વની સૌથી અસુરક્ષિત રાજધાની બનીઃ અરવિંદ કેજરિવાલ

નવી દિલ્હીઃ દિલ્હી વિશ્વની સૌથી અસુરક્ષિત રાજધાની હોવાનો દાવો કરીને અરવિંદ કેજરિવાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર અને ગૃહમંત્રી અમિત શાહ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ સાબિત થયા છે. અરવિંદ કેજરીવાલે એક નકશો પણ બહાર પાડ્યો હતો જેમાં તે બતાવવાનો પ્રયાસ કર્યો હતો કે અમિત શાહના […]

પ્રિયંકા ગાંધીએ પોતાના હાથમાં બંધારણની નકલ સાથે લોકસભા સભ્યપદના શપથ લીધા

નવી દિલ્હી: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ગુરુવારે લોકસભાના સભ્ય તરીકે શપથ લીધા હતા. કેરળની વાયનાડ લોકસભા બેઠક માટે તાજેતરમાં પૂર્ણ થયેલી પેટાચૂંટણીમાં તેમનો વિજ્ય થયો છે. પ્રિયંકાએ હિન્દી ભાષામાં શપથ લીધા અને આ દરમિયાન તેમના હાથમાં બંધારણની કોપી હતી. જ્યારે તેઓ શપથ લેવા ઉભા થયા ત્યારે કોંગ્રેસના સાંસદોએ ‘જોડો-જોડો, ભારત જોડો’ના નારા લગાવ્યા હતા. […]

નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી પદ માટે જે પણ નિર્ણય લેશે તે અમે સ્વીકારીશુંઃ એકનાથ શિંદે

મુંબઈઃ શિવસેના પ્રમુખ એકનાથ શિંદેએ પ્રેસ કોન્ફરન્સમાં મોટી જાહેરાત કરતા કહ્યું કે રાજ્યમાં મુખ્યમંત્રી પદ માટે PM મોદી જે પણ નિર્ણય લેશે તે અમે સ્વીકારીશું. એકનાથ શિંદેએ સ્પષ્ટ કર્યું કે સરકાર બનાવવામાં મારી તરફથી કોઈ અવરોધ નથી. PM મોદી જે પણ નિર્ણય લેશે તે અમે સ્વીકારીશું. તેમણે કહ્યું, “મેં ક્યારેય મારી જાતને CM નથી માન્યું. […]

ત્રાસવાદી હૂમલાને રોકવા જમ્મુ શહેરમાં રાષ્ટ્રીય સુરક્ષા દળ નું કાયમી કેન્દ્ર સ્થાપ્યું

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મોટા ત્રાસવાદી હૂમલાને રોકવા જમ્મુ શહેરમાં રાષ્ટ્રીય સુરક્ષા દળ – NSGનું કાયમી કેન્દ્ર સ્થાપ્યું છે. જમ્મુના અમારા પ્રતિનિધી જણાવે છે કે, ત્રાસવાદીઓનો સામનો કરવા વિશેષ પરિસ્થિતિ ઊભી થાય તેવા સંજોગોમાં હવે શહેરમાં એનએસજીનું વિશેષ દળ કાયમ માટે ઉપલબ્ધ રહેશે. જમ્મુ વિસ્તારનાં વિવિધ જિલ્લાઓમાં સલામતી દળો પર ત્રાસવાદી હૂમલાઓ અને ત્રાસવાદીઓ […]

એશિયન રાઈફલ/પિસ્તોલ કપ 2026ની યજમાની ભારત કરશે

નવી દિલ્હીઃ સમિતિએ ભારતને એશિયન રાઇફલ/પિસ્તોલ કપ 2026 ના હોસ્ટિંગ અધિકારો એનાયત કર્યા છે. નેશનલ રાઈફલ એસોસિએશન ઓફ ઈન્ડિયા NRAI દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. ASCના જનરલ સેક્રેટરી એન્જિનિયર દુઆજ અલ ઓતૈબી વતી NRAIના જનરલ સેક્રેટરી કે. સુલતાન સિંહને મોકલવામાં આવેલા પત્રમાં, યજમાન મહાસંઘ પાસેથી આ સ્પર્ધાની સૂચિત તારીખોની માહિતી માંગવામાં આવી છે. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code