1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

સંપત્તિ સર્જનમાં અદાણી જૂથનો દબદબો, AGEL ‘ફાસ્ટેસ્ટ વેલ્થ ક્રિએટર’

અદાણી ગ્રીન એનર્જી છેલ્લા પાંચ વર્ષના સમયગાળા  દરમિયાન સૌથી ઝડપી સંપત્તિ સર્જનારી કંપની બની છે. 2019-માર્ચ 2024 ના સમયગાળા દરમિયાન અદાણી ગ્રુપના રિન્યુએબલ એનર્જી યુનિટે 118 ટકાના ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દરે (CAGR) વળતર આપ્યું છે. ભારતીય ફાઈનાન્સ કંપની મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસિસ લિમિટેડ (MOFSL)ના અભ્યાસમાં આ તારણ બહાર આવ્યું છે. મંગળવારે પ્રસિદ્ધ થયેલા ’29મા મોતીલાલ […]

વિદ્યાર્થીઓની નવીનતા અને ઉત્સાહ વિશ્વના પડકારોનો ઉકેલ શોધી શકે છે : ધર્મેન્દ્ર પ્રધાન

નવી દિલ્હીઃ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન 2024ના ગ્રાન્ડ ફિનાલેનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કર્યું. ઉદઘાટન સમયે કેન્દ્રીય શિક્ષણ અને પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ રાજ્ય મંત્રી ડૉ. સુકાંત મજમુદાર ઉપસ્થિત રહ્યા હતા. સચિવ, શિક્ષણ મંત્રાલય, સંજય કુમાર; NETFના અધ્યક્ષ, પ્રો. અનિલ સહસ્રબુધે; AICTEના વાઇસ ચેરમેન ડો. અભય જેરે અને અન્ય અધિકારીઓ પણ આ […]

દુનિયામાં સૌથી વધુ મીઠાના ઉત્પાદનમાં ચીન આગળ, ભારત ક્યાં ક્રમે જાણો…

મીઠું આપણા જીવનનો એક ખાસ ભાગ છે. તે માત્ર ભોજનનો સ્વાદ જ નથી વધારતો પણ આપણા શરીર માટે પણ મહત્વપૂર્ણ છે, વિશ્વના ઘણા દેશો મીઠાનું ઉત્પાદન કરે છે પરંતુ કેટલાક મોટા દેશો એવા છે જે મોટા પ્રમાણમાં મીઠું ઉત્પન્ન કરે છે. આ યાદીમાં ચીનનું નામ પ્રથમ આવે છે. ચીન વિશ્વનો સૌથી મોટો મીઠું ઉત્પાદક દેશ […]

તમારી આ આદત તમને બીમાર કરી શકે છે, શું તમે પણ આ બીમારીને ઘરે લાવી રહ્યા છો?

લીલા શાકભાજી ખાવા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. મોસમી શાકભાજીના ઘણા ફાયદા છે. તેનું સેવન કરવાથી શરીર સ્વસ્થ રહે છે. ડોક્ટરની સલાહ આપે છે કે આપણે દરરોજ અલગ-અલગ રંગોની શાકભાજી ખાઈએ તો આપણું સ્વાસ્થ્ય સંપૂર્ણ રીતે સ્વસ્થ રહેશે. જોકે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જેથી કરીને સિઝનલ શાકભાજીનો આરોગ્યને પૂરો લાભ મળી શકે. વેજીટેબલ ગ્રેવીમાં […]

પાકિસ્તાનમાં પહેલીવાર હિન્દુ બન્યો પોલીસ ઓફિસર, શું છે સેના અને પોલીસ ભરતીના નિયમો

પાકિસ્તાનમાં પહેલીવાર કોઈ હિન્દુ મહિલા પોલીસ ઓફિસર બની છે. મનીષા રોપેતાને આ સન્માન મળ્યું છે. તે સિંધ પોલીસની પ્રથમ મહિલા પોલીસ અધિકારી છે. રોપેતાએ 2021માં સિંધ પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા પાસ કરી હતી. પાકિસ્તાનમાં હિન્દુ યુવતી માટે પોલીસ ઓફિસર બનવું મુશ્કેલ માનવામાં આવે છે. રોપેતાએ પાકિસ્તાની અભિનેત્રી નિમરા ખાનના અપહરણના પ્રયાસનો કેસ સંભાળ્યો હતો. રોપેતાએ […]

સિનિયર પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીનું નિધન, શનિવારે યોજાશે પ્રાર્થનાસભા

સિનિયર પત્રકાર, તંત્રી, લેખક અને વાઈબ્સ ઓફ ઈન્ડિયાના ચેરમેન ગિરીશભાઈ ત્રિવેદીનું નિધન થયું છે. સદગતની પ્રાર્થના સભા શનિવારે સાંજના 4થી 6 કલાક સુધી સિંધુભવન ખાતે રાખવામાં આવી છે. સિનિયર પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીના નિધન અંગે અનેક મહાનુભાવોએ દુઃખ વ્યક્ત કરીને શ્રદ્ધાંજલી પાઠવી હતી. દરમિયાન જાણીતા ન્યૂઝ પોર્ટલ રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા) પરિવારે પણ શ્રદ્ધાંજલી પાઠવી […]

રાજકોટમાં ગોપાલ નમકીનની ફેકટરીમાં લાગી ભીષણ આગ, મેજર કોલ જોહેર કરાયો

મટોડા જીઆઈડીસીમાં આવેલી ફેકટરીમાં આગ ભભૂકી ઊઠી, બુધવારે ફેટકટીમાં રજા હોવાથી જાનહાની ટળી, સતત બે કલાકથી ચલાવાતો પાણીનો મારો રાજકોટઃ શહેરના મટોડા જીઆઈડીસીમાં આવેલી જાણીતી ગોપાલ નમકીન ફેકટરીમાં ભીષણ આગ ફાટી નીકળતા ફાયર બ્રિગેડના જવાનો દોડી ગયા હતા. ફાયરના જવાનો દ્વારા  સતત પાણીનો મારો કરવા છતાંયે આગ કાબુમાં ન આવતા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો […]

ગુજરાતે 2047 સુધીમાં 2000 MMTPA કાર્ગો હેંડલિંગનું લક્ષ્ય રાખ્યું છેઃ ભૂપેન્દ્ર પટેલ

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના મેરિટાઈમ હેરિટેજના પુન: શક્તિ સંચાર માટે પોર્ટ લેડ ઈકોનોમીનો જે મંત્ર આપ્યો છે તેને ગુજરાતે પોર્ટ લેડ ડેવલપમેન્ટ દ્વારા દેશમાં સૌથી વધુ 38 ટકા કાર્ગો હેંડલિંગથી સાકાર કર્યો છે. મુખ્યમંત્રીએ નવી દિલ્હીમાં ભારત સરકારની પોર્ટ, શિપિંગ એન્ડ વોટરવેઝ મિનિસ્ટ્રી દ્વારા આયોજિત ઈન્ડિયન મેરિટાઈમ હેરિટેજ […]

નરેન્દ્ર મોદીએ મહાન તમિલ કવિ સુબ્રમણ્યમ ભારતીની સંપૂર્ણ રચનાઓના સંકલનનું વિમોચન કર્યું

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં 7, લોક કલ્યાણ માર્ગ પર મહાન તમિલ કવિ અને સ્વાતંત્ર્ય સેનાની સુબ્રમણ્યમ ભારતીના સંપૂર્ણ કાર્યોના સંગ્રહનું વિમોચન કર્યું હતું. મહાન તમિલ કવિ સુબ્રમણ્યમ ભારતીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં મોદીએ કહ્યું હતું કે, આજનો દિવસ ભારતની સંસ્કૃતિ અને સાહિત્ય, ભારતની આઝાદીની લડતની યાદો અને તમિલનાડુનાં ગૌરવ […]

રાજ્યસભામાં જ્યોર્જ સોરોસ અને કોંગ્રેસ નેતા વચ્ચેના સંબંધો પર ચર્ચાની માગણી મામલે હંગામો

નવી દિલ્હીઃ બુધવારે રાજ્યસભાની કાર્યવાહી પક્ષ અને વિપક્ષના સભ્યોના હંગામાથી ઠપ થઈ ગઈ હતી. હંગામા વચ્ચે ઉપાધ્યક્ષે ગૃહની બેઠક પહેલા 12 વાગ્યા સુધી અને બાદમાં ગુરુવાર સુધી સ્થગિત કરી દીધી હતી. આજે સવારે ઉપલા ગૃહની કાર્યવાહી શરૂ થતાંની સાથે જ જ્યોર્જ સોરોસ અને કોંગ્રેસ નેતા વચ્ચેના સંબંધો પર ચર્ચાની માગણી સાથે શાસક પક્ષ તરફથી સૂત્રોચ્ચાર થવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code