1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

પાલનપુર અને ડીસા યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ થતાં ખેડુતોમાં અસંતોષ

યાર્ડ દ્વારા ખાનગી એજન્સી પાસે સેસની માગણી કરાતા ખરીદી બંધ કરાઈ, એજન્સીએ  માર્કેટ યાર્ડ બહાર ખરીદી સ્થળ આપવા માગ કરી, યાર્ડ અને એજન્સી વચ્ચેના ઝઘડામાં ખેડુતો પરેશાન પાલનપુરઃ બનાસકાંઠાના સોથી મોટા ગણાતા ડીસા અને પાલનપુર માર્કેટિંગ યાર્ડમાં ખેડુતો પાશેથી ટેકાના ભાવે મગફળી લેવાનું બંધ કરાતા ખેડુતો મુશ્કેલીમાં મુકાયા છે. યાર્ડ અને ખાનગી એજન્સી વચ્ચે માથાકૂટ […]

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની નવી જર્સી આવી સામે

ભારતીય ક્રિકેટ ટીમની નવી ODI જર્સી પરથી પડદો હટી ગયો છે. નવી જર્સી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સેક્રેટરી જય શાહ અને મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરની હાજરીમાં લોન્ચ કરવામાં આવી હતી. ટીમ ઈન્ડિયાની નવી ODI જર્સીમાં ઘણી વસ્તુઓ જોવા મળશે. તેના ખભા પર ત્રિરંગો છે. જર્સી લોન્ચ કર્યા બાદ હરમનપ્રીતે તેની ખાસિયત પણ જણાવી હતી. […]

યાત્રાધામ અંબાજીમાં 1200 કરોડના વિકાસના કામોનો પ્રારંભ

અંબાજી મંદિર અને ગબ્બરને જોડતા 2.5 કિમીના શક્તિપથના કામનો આરંભ, ત્રણ ફેઝમાં થનારી કામગીરીમાં પ્રથમ તબક્કાનું કામ શરૂ 51 શક્તિપીઠ સર્કલથી ગબ્બર સર્કલ સુધી અંડરપાસ-વોકવે બનશે અંબાજીઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ ગણાતા અંબાજી મંદિરથી ગબ્બરને જોડતા 2,5 કીમીના શક્તિપથના કામનો પ્રારંભ થયો છે. યાત્રાધામ અંબાજીના વિકાસ માટે 1200 કરોડના કામો હાથ ધરાશે, ત્રણ ફેઝમાં થનારી […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ 29મી ડિસેમ્બરે યોજાશે

રાજ્યપાલના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડમેડલ અપાશે, રાજ્યના શિક્ષણ મંત્રી પણ ઉપસ્થિતિ રહેશે, પદવીદાનની તૈયારીઓનો યુનિ. દ્વારા પ્રારંભ રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એક વર્ષમાં બેવાર પદવીદાન સમારોહ યોજવામાં આવે છે. ત્યારે 58મો પદવીદાન સમારોહ ગઈ તા. 10મી માર્ચના રોજ યોજાયા બાદ હવે 59મો પદવીદાન સમારોહ આગામી તા.29મી ડિસેમ્બરે યોજાશે. આ પદવીદાન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે […]

ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાના ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરાયો

ધોરણ 10 અને 12 વિજ્ઞાન પ્રવાહના ફોર્મ 6ઠ્ઠી ડિસેમ્બર સુધી ભરી શકાશે, ધોરણ 12 સામાન્ય પ્રવાહના ફોર્મ 9મી ડિસેમ્બર સુધી ભરી શકાશે, વિદ્યાર્થીઓ લેઈટ ફી સાથે ફોર્મ ભરી શકશે અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 અને 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના પરીક્ષાના ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થતાં હવે લેઈટ ફી સાથે […]

અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટના રન વે પર પક્ષીઓને ભગાડવા ડિવાઈસ મુકાયું

બર્ડહીટ રોકવા અવાજ કરતું ડિવાઈસ, એરપોર્ટ પર 6 વર્ષમાં 319 વખત પક્ષીઓ વિમાન સાથે ટકરાયા, વર્ષ 2023માં બર્ડહીટના સૌથી વધુ બનાવો બન્યા હતા અમદાવાદઃ શહેરના સરદાર પટેલ એરપોર્ટ પર એર ટ્રાફિક વધતો જાય છે. ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટીક એરપોર્ટ પર દિવસ અને રાતે અનેક ફ્લાઈટસ ઉડાન ભરતી હોય છે. ત્યારે બર્ડહીટની ઘટના નિવારવા માટે પક્ષીઓને રન-વે […]

ગૂજરાત વિદ્યાપીઠ ખાતે બે દિવસીય જ્ઞાનકુંભ પ્રદર્શનનું આયોજન

રાજયપાશ્રી આચાર્ય દેવવ્રતજીએ જ્ઞાનકુંભ પ્રદર્શન ખુલ્લું મૂક્યું, ગુજરાત સહિત 6 રાજ્યોનું જ્ઞાનકુંભ પ્રદર્શન, રાજ્યપાલે તમામ સ્ટોલની મુલાકાત લીધી અમદાવાદઃ શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ અને ગૂજરાત વિદ્યાપીઠના સંયુક્ત ઉપક્રમે ગૂજરાત વિદ્યાપીઠ પરિસરમાં ભારતના ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, રાજસ્થાન, છત્તીસગઢ, ગોવા અને મધ્યપ્રદેશ રાજ્યોનો જ્ઞાનકુંભ યોજાઈ રહ્યો છે, જે અંતર્ગત ગુજરાત વિદ્યાપીઠ પરિસરમાં દ્વિ-દિવસીય જ્ઞાનકુંભ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યપાલ  આચાર્ય […]

વડોદરામાં અલકાપુરી અંડર પાસના સ્થાને ઓવર બ્રિજ બનાવાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી જાહેરાત, વડોદરા સહિત 10 શહેરોના વાઇબ્રન્ટ વિકાસનું આયોજન, વડોદરાને વિશ્વ કક્ષાના ઇન્ફ્રાસ્ટ્રકચર સાથેનું આયોજિત વિકાસનું મોડેલ વડોદરાઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા મહાનગરપાલિકા આયોજિત નવા વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે વડોદરાની એક કાયમી મુશ્કેલી નિવારવાના આયોજનની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, અલકાપુરી રેલવે અંડર પાસની જગ્યાએ ઓવરબ્રિજ બનાવવામાં આવશે. મુખ્યમંત્રીએ વડોદરા મહાનગરપાલિકા […]

અમદાવાદ એરપોર્ટથી ધોરડો માટે નવી વોલ્વો બસ સેવાનો પ્રારંભ કરાયો

વોલ્વો બસ સવારે 6 વાગ્યે એરપોર્ટથી ધોરડો જવા ઉપડશે, ધોરડોથી અમદાવાદ એરપોર્ટ આવવા બપોરે 12 વાગ્યે વોલ્વો બસ ઉપડશે, બસ સેવાની બહારના પ્રવાસીઓને લાભ મળશે અમદાવાદઃ કચ્છ જિલ્લામાં ધોરડોમાં આયોજિત થતા રણોત્સવની મુલાકાત લેનારા મુસાફરોની મુસાફરી વધુ સરળ અને આરામદાયક બને, તે માટે ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ (GSRTC) અને પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે તા. […]

આરોગ્ય વિભાગ દ્વારા શાળાઓમાં બાળકોની આરોગ્ય તપાસણીનો કાર્યક્રમ યોજાશે

શાળા આરોગ્ય – રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય અંગે સ્ટીયરિંગ કમીટીની બેઠક મળી, કમિટીની બેઠકમાં વિવિધ આઠ એજન્ડા પર વિગતવાર ચર્ચા થઈ, શાળાઓના 1.50 કરોડ બાળકોને સ્વાસ્થ્ય સંબંધી સ્ક્રિનીંગ વિના મૂલ્યે કરાય છે  ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ડિસેમ્બર માસમાં શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમના આયોજન તથા સુચારૂ અમલીકરણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code