1. Home
  2. ગુજરાતી
  3. પુષ્પા-2: સંધ્યા થિયેટરમાં નાસભાગ કેસમાં પોલીસે આપી ચેતવણી
પુષ્પા-2: સંધ્યા થિયેટરમાં નાસભાગ કેસમાં પોલીસે આપી ચેતવણી

પુષ્પા-2: સંધ્યા થિયેટરમાં નાસભાગ કેસમાં પોલીસે આપી ચેતવણી

0
Social Share

પુષ્પા-2 ફિલ્મના પ્રમોશનને લઈને સંધ્યા થિયેટરમાં મચેલી નાસભાગને લઈને પોલીસ દ્વારા ઉંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી રહી છે. દરમિયાન હૈદરાબાદ પોલીસે ચેતવણી આપી હતી કે સંધ્યા થિયેટર નાસભાગની ઘટના વિશે ખોટી માહિતી ફેલાવનારા અથવા સોશિયલ મીડિયા પર ભ્રામક વીડિયો પોસ્ટ કરનારાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે આ ચેતવણી સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મારફતે આપી હતી.

પોલીસનું કહેવું છે કે કેટલાક લોકોએ જાણીજોઈને સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે અલ્લુ અર્જુનના આગમન પહેલા નાસભાગ મચી ગઈ હતી. હૈદરાબાદ પોલીસનું કહેવું છે કે, ‘કેસની તપાસ દરમિયાન પણ જાણીજોઈને ખોટી માહિતી ફેલાવનારા લોકો સામે અમે કાયદેસરની કાર્યવાહી કરીશું.’

પોલીસે એમ પણ કહ્યું કે તેઓ કોઈપણ ખોટા સમાચારને ગંભીરતાથી લેશે. પોલીસે લોકોને અફવાઓ પર વિશ્વાસ ન કરવાની અપીલ પણ કરી છે. આ ઉપરાંત એવી પણ વિનંતી કરવામાં આવી હતી કે જો કોઈની પાસે આ કેસને લગતા સાચા પુરાવા અથવા કોઈ માહિતી હોય તો તે પોલીસને આપી શકે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code