1. Home
  2. ગુજરાતી
  3. 1643 કિમી લાંબી ભારત-મ્યાનમાર સરહદ પર ફેન્સીંગ કરવાનો કેન્દ્ર સરકારનો નિર્ણય
1643 કિમી લાંબી ભારત-મ્યાનમાર સરહદ પર ફેન્સીંગ કરવાનો કેન્દ્ર સરકારનો નિર્ણય

1643 કિમી લાંબી ભારત-મ્યાનમાર સરહદ પર ફેન્સીંગ કરવાનો કેન્દ્ર સરકારનો નિર્ણય

0
Social Share

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ભારત-મ્યાનમાર સરહદ પર વધુ સારી રીતે દેખરેખ રાખવા માટે એક મોટી યોજના બનાવવાનો નિર્ણય કર્યો છે. ગૃહમંત્રી અમિત શાહે જાહેરાત કરી છે કે કેન્દ્ર સરકારે 1643 કિમી લાંબી ભારત-મ્યાનમાર સરહદ પર ફેન્સીંગ લગાવવાનો નિર્ણય લીધો છે. આ સિવાય સરકાર દેખરેખ વધારવા માટે બોર્ડર પેટ્રોલિંગ માટે ટ્રેક પણ બનાવશે.

કેન્દ્ર સરકારની આ યોજનાને દેશની સરહદોને અભેદ્ય બનાવવા માટે એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સારી દેખરેખ માટે ભારત-મ્યાનમાર સરહદ પર પેટ્રોલિંગ રૂટને વધુ મજબૂત બનાવવામાં આવશે.

સરહદની કુલ લંબાઈમાંથી, મણિપુરના મોરેહમાં 10 કિલોમીટરની વાડ પહેલેથી જ લગાવી દેવામાં આવી છે. આ ઉપરાંત હાઇબ્રિડ સર્વેલન્સ સિસ્ટમ (HSS) દ્વારા ફેન્સીંગના બે પાયલોટ પ્રોજેક્ટ પણ ચલાવવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત અરુણાચલ પ્રદેશ અને મણિપુરમાં દરેક કિલોમીટરના અંતરે ફેન્સીંગ કરવામાં આવી રહી છે. આ સિવાય મણિપુરમાં લગભગ 20 કિલોમીટર સુધી ફેન્સિંગ લગાવવાના કામને પણ મંજૂરી મળી ગઈ છે અને ટૂંક સમયમાં કામ શરૂ થશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code