1. Home
  2. ગુજરાતી
  3. અયોધ્યા રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસની રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે મુલાકાત
અયોધ્યા રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસની રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે મુલાકાત

અયોધ્યા રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસની રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે મુલાકાત

0
Social Share

અમદાવાદઃ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે ગઠિત સંસ્થાન શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના અધ્યક્ષ પૂજ્ય મહંત નૃત્ય ગોપાલ દાસજી આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની મુલાકાતે રાજભવન પધાર્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પૂજ્ય મહંત નૃત્ય ગોપાલ દાસજીનું ઉષ્માભર્યું સ્વાગત કરીને આશીર્વાદ મેળવ્યા હતા.

અયોધ્યાના સૌથી મોટા મંદિર મણિરામ દાસજીની છાવણીના અધ્યક્ષ તથા રામ જન્મભૂમિ ન્યાસના પ્રમુખ પૂજ્ય મહંત નૃત્ય ગોપાલ દાસજી શ્રીકૃષ્ણ જન્મસ્થાન સેવા સંસ્થાનના પણ પ્રમુખ છે.

86 વર્ષના પૂજ્ય મહંત નૃત્ય ગોપાલ દાસજી મહારાજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને શુભાશિષ અને શુભકામનાઓ પાઠવ્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મહાન શુભકાર્ય માટે પ્રસન્નતાપૂર્વક અહોભાવ વ્યક્ત કર્યો હતો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code