1. Home
  2. ગુજરાતી
  3. ભારત-શ્રીલંકા વચ્ચે ટી-20 અને ટેસ્ટ સિરીઝના શિડ્યુઅલમાં ફેરફાર
ભારત-શ્રીલંકા વચ્ચે ટી-20 અને ટેસ્ટ સિરીઝના શિડ્યુઅલમાં ફેરફાર

ભારત-શ્રીલંકા વચ્ચે ટી-20 અને ટેસ્ટ સિરીઝના શિડ્યુઅલમાં ફેરફાર

0
Social Share
  • તા. 24મી ફેબ્રુઆરીએ પ્રથમ ટી-20 મેચ
  • તા. 4 માર્ચના રોજ પ્રથમ ટેસ્ટ મેચ રમાશે
  • આગામી દિવસોમાં ટીનની જાહેરાત કરાશે

નવી દિલ્હીઃ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનારી ટી-20 અને ટેસ્ટ સીરિઝના શિડ્યુઅલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ અંગે બીસીસીઆઈ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે. શ્રીલંકાની ટીમ ભારતના પ્રવાસે આવશે. અહીં બંને ટીમ વચ્ચે 3 ટી-20 અને 2 ટેસ્ટ મેચ રમાશે. પહેલા બંને ટીમ વચ્ચે 25મી ફેબ્રુઆરીથી સિરીઝ શરૂ થવાની હતી. જો કે, હવે 24મી ફેબ્રુઆરીથી ટી-20 સિરીઝનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.

ટીમ ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચે 24મી ફેબ્રુઆરીથી ટી-20 સિરીઝની પ્રથમ મેચ લખનૌમાં રમાશે. જ્યારે બીજી અને ત્રીજી ટી-20 તા. 26 અને 27મી ફેબ્રુઆરીના રોજ ધર્મશાળામાં રમાશે. જો કે, આ પહેલા ટી-20 મેચ 13 માર્ચથી શરૂ થવાની હતી. જે ટેસ્ટ સિરીઝની વાત કરવામાં આવે તો તેના શિડ્યુઅલમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ તા. 4 માર્ચના રોજ મોહાલીમાં રમાશે. જ્યારે બીજી ટેસ્ટ તા. 12મી માર્ચના રોજ બેંગ્લોરમાં રમાશે. આ પહેલા ટેસ્ટ સિરીઝની પહેલી મેચ તા. 25મી ફેબ્રુઆરી અને બીજી ટેસ્ટ મેચ તા. 5મી માર્ચના રોજ રમાવાની હતી. ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનારી ટી-20 અને ટેસ્ટ સીરિઝ માટે હજુ સુધી ટીમની જાહેરાત કરવામાં આવી નથી. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે હાલ ચાલી રહેલી સિરીઝ બાદ ટીમની જાહેરાત કરવામાં આવે તેવી શકયતા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code