1. Home
  2. ગુજરાતી
  3. ગીર સોમનાથની મુલાકાતે જશે CM રૂપાણી, સોમનાથ દાદાના કરશે દર્શન
ગીર સોમનાથની મુલાકાતે જશે CM રૂપાણી, સોમનાથ દાદાના કરશે દર્શન

ગીર સોમનાથની મુલાકાતે જશે CM રૂપાણી, સોમનાથ દાદાના કરશે દર્શન

0
Social Share

અમદાવાદઃ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલ શનિવારના રોજ ગીર સોમનાથની મુલાકાતે જશે. જ્યાં તેઓ વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમૂર્હુત કરશે. આ ઉપરાંત સોમનાથ દાદાના પણ દર્શન કરશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલે રામ મંદિર  ઓડિટોરિયમ,સોમનાથ ખાતેથી વેરાવળ તાલુકાના સેમરવાવ ગામે ફિલ્ટર પ્લાન્ટનું તેમજ વેરાવળ ખાતે નાયબ પોલીસ અધિકક્ષની નવીન કચેરીનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત મુખ્યમંત્રીના હસ્તે વેરાવળ- પાટણ સંયુક્ત નગરપાલિકાના જુદા જુદા  વિસ્તારોમાં સ્ટ્રોમ વોટર ડ્રેઇન તથા ફૂટપાથનું ખાતમૂર્હુત પણ કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી તા.  27 જૂન રવિવારના રોજ સવારે ભગવાન શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરી ગુજરાતની સુખાકારી માટે પ્રાર્થના કરશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code