1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત યુનિવર્સિટીમાં LLM ની પરીક્ષાનો પ્રારંભ, 219 વિદ્યાર્થીઓ આપી રહ્યા છે, ઓફલાઈન પરીક્ષા

ગુજરાત યુનિવર્સિટીમાં LLM ની પરીક્ષાનો પ્રારંભ, 219 વિદ્યાર્થીઓ આપી રહ્યા છે, ઓફલાઈન પરીક્ષા

0
Social Share

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં આજથી એલએલએમ સેમેસ્ટર-3ની પરીક્ષા શરૂ થઈ રહી છે. કોરોનાને કારણે એડમિશન પ્રક્રિયા મોડા શરૂ થઈ હતી. જેથી પરીક્ષા પણ એક મહિના કરતા વધુ સમય મોડી યોજાઈ રહી છે.  આજે અલગ અલગ કેન્દ્રો પર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. એલએલએમ બાદ અલગ અલગ સ્ટ્રીમમાં સેમેસ્ટર -1 ની પરીક્ષા પણ ઓનલાઇન અને ઓફલાઇન વિકલ્પ સાથે શરૂ થશે. 219 વિદ્યાર્થીઓ અલગ અલગ કેન્દ્રો પર ઓફલાઇન મોડમાં જ પરીક્ષા આપશે. 7 મી ફેબ્રુઆરી સુધી LLM ની પરીક્ષા ચાલશે.  એલએલએમની પરીક્ષા પૂર્ણ થયા બાદ અલગ અલગ સ્ટ્રીમના 2021માં થયેલા એડમિશનના વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થશે. સેમેસ્ટર-1ના 40 હજાર જેટલા વિદ્યાર્થીઓની પણ પરીક્ષા શરૂ થશે.આ વિદ્યાર્થીઓને પરીક્ષા માટે ઓનલાઇન અને ઓફલાઇન બંને વિકલ્પ આપવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ  ગુજરાત યુનિ.ની દર વર્ષે ડિસેમ્બર મહિનામાં સેમેસ્ટર-1ની પરીક્ષા પૂર્ણ થઈ જાય છે. પરંતુ આ વર્ષે કોરોનાને કારણે એડમિશન મોડા શરૂ થયા હતા જેના કારણે જાન્યુઆરી મહિનો પસાર થયો છતાં પરીક્ષાની કોઈ જાહેરાત થઈ નહોતી. વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ પણ બાકી છે જેના કારણે પરીક્ષાનો અભ્યાસક્રમ ઘટાડી લેવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષા માટે ઓનલાઇન અને ઓફલાઇન વિકલ્પ આપવામાં આવશે. પરંતુ હજુ સુધી પરીક્ષાની તારીખ કે પરીક્ષા માટે વિકલ્પ જાહેર કરવામાં આવ્યો નથી, જેથી સ્પષ્ટ થાય છે કે કોલેજમાં અભ્યાસક્રમ પૂરો થયો નથી. ઉપરાંત કેટલીક કોલેજોએ તો બીજા સેમેસ્ટરનો અભ્યાસ શરુ કરી દીધો છે જેને લઈને NSUI એ ગુજરાત યુનિવર્સિટીને રજુઆત કરી હતી.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, બેચલર ઓફ એન્જિનિયરિંગની તમામ બ્રાન્ચમાં બી ગ્રૂપના વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે. જો કે બી ગ્રૂપના વિદ્યાર્થીઓ ગુજકેટ પાસ કરવી ફરજિયાત છે. ચાલુ વર્ષે એઆઇસીટીઇના નવા નિયમો મુજબ બી ગ્રૂપના વિદ્યાર્થીઓને ડિગ્રી ઇજનેરીમાં પ્રવેશ આપવામાં આવ્યો છે. જેમાં મુખ્ય બ્રાન્ચ સિવાયની અન્ય 15 બ્રાન્ચમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો પરંતુ હવે અગામી શૈક્ષણિક વર્ષથી તમામ બ્રાન્ચમાં પ્રવેશ આપવામાં આવશે. ડિગ્રી એન્જિનિયરિંગમાં વર્ષ 2022-23થી તમામ બ્રાન્ચમાં એઆઇસીટીઇ દ્વારા સૂચવેલા વિષયો પૈકી ભૌતિક શાસ્ત્ર અને રસાયણ શાસ્ત્ર સાથે ગણિત શાસ્ત્ર, જીવ વિજ્ઞાન કે બાયોટેક્નોલોજી વિષયની થિયરી ગુણ આધારિત મેરિટ બનાવી પ્રવેશ આપવામાં આવશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code