1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. એસટીમાં પ્રવાસીઓ ટિકિટ ખરીદવા માટે હવે UPIથી પેમેન્ટ કરે છે, રાજકોટ ડિવિઝન મોખરે
એસટીમાં પ્રવાસીઓ ટિકિટ ખરીદવા માટે હવે UPIથી પેમેન્ટ કરે છે, રાજકોટ ડિવિઝન મોખરે

એસટીમાં પ્રવાસીઓ ટિકિટ ખરીદવા માટે હવે UPIથી પેમેન્ટ કરે છે, રાજકોટ ડિવિઝન મોખરે

0
Social Share

રાજકોટઃ રાજ્યમાં એસટી બસમાં પ્રવાસ કરતા પ્રવાસીઓને ઘણી વખત ટિકિટ લેતી વખતે છૂટા પૈસાની માથાકૂટ કંડકટર સાથે થતી હતી. ઘણા પ્રવાસીઓ 500ની નોટ્સ આપતા હોવાથી ટિકિટ બાદ તેમને બાકીના રૂપિયા પરત આપવા કંડકટરો પણ અસમર્થ રહેતા હતા. કારણે કે દરેક પ્રવાસીને છૂટા પરત આપવા કંડકટર માટે પણ મુશ્કેલ હતું, આથી એસટી નિગમ દ્વારા યુપીઆઈથી ટિકિટ માટે પેમેન્ટ સ્વીકારવાની પદ્ધતિ અપનાવવામાં આવતા પ્રવાસીઓ દ્વારા તેને સાસોએવો પ્રતિસાદ મળી રહ્યો છે. જેમાં રાજકોટ ડિવિઝનમાં એક પખવાડિયામાં પ્રવાસીઓએ યુપીઆઈ પેમેન્ટથી 40 લાખની ટિકિટો ખરીદી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના વાહન વ્યવહાર નિગમ દ્વારા તમામ બસ સ્ટેશનમાં મુસાફરો ડિજિટલ પેમેન્ટ થકી ટિકિટ ખરીદી શકે તે માટે યુપીઆઇની સુવિધા ઉભી કરવામાં આવી છે. રાજકોટનું એસટી વિભાગ રાજ્યનું પ્રથમ ડિવિઝન બન્યું છે કે જ્યાં તમામ બસ સ્ટેશન ઉપર મુસાફરો યુપીઆઇ પેમેન્ટ કરી ટિટિક લઈ શકે છે. જ્યાં છેલ્લા 15 દિવસમાં 31 હજાર મુસાફરોએ યુપીઆઇ પેમેન્ટ કરી 40 લાખની ટિકિટ બૂક કરાવી છે. ડિજિટલ ઇન્ડિયાના ભાગરૂપે શરૂ થયેલી આ સુવિધાને મુસાફરોએ વધાવી લીધી છે.

રાજકોટ એસટી વિભાગના નિયામકના કહેવા મુજબ, રાજ્યના વાહન વ્યવહાર નિગમ દ્વારા એસટી બસમાં મુસાફરી કરતા મુસાફરો માટે યુપીઆઇની સુવિધા શરૂ કરવામાં આવી છે. રાજકોટ એસટી વિભાગના તમામ બસ સ્ટેશનમાં મુસાફરો યુપીઆઇ પેમેન્ટ કરી ટિકિટ ખરીદી રહ્યા છે. આવકાર્ય બાબત એ છે કે, QR કોડ સ્કેન કરી શહેરની સાથે ગ્રામ્ય મુસાફરો ઓનલાઈન પેમેન્ટ કરી રહ્યા છે. યુપીઆઇ પેમેન્ટ થકી ટિકિટનો મુસાફરો ઉત્સાહપૂર્વક લાભ લઈ રહ્યા છે અને તેથી જ છેલ્લા 15 દિવસમાં યુપીઆઇ પેમેન્ટ કરી 40 લાખની ટિકિટ મુસાફરોએ ખરીદી છે.

રાજકોટ સહિત રાજ્યભરમાં એસટી બસમાં મુસાફરી કરતા સમયે મુસાફરો અને કંડકટર વચ્ચે ટિકિટ લેવા સમયે છુટ્ટા બાબતે રકઝક થતી હતી. કોઈ વખત તો માથાકૂટ પણ થઈ જતી હતી. જોકે, હવે ઓનલાઈન પેમેન્ટની સુવિધા ઊભી કરવામાં આવતા જે મુસાફરોને ટિકિટના પૈસા છૂટ્ટા ન હોય તો તેવા મુસાફરો પોતાના મોબાઈલથી યુપીઆઇ પેમેન્ટ કરી ટિકિટ લઈ શકે છે. જોકે, વધુમાં લોકો યુપીઆઇ પેમેન્ટનો લાભ લે તે માટે એસટી વિભાગ વખતોવખત જાગૃત કરી રહી છે. રાજકોટ એસટી બસ સ્ટેશન પરથી દરરોજ 500 જેટલી ટ્રીપનું સંચાલન થઈ રહ્યું છે. દરરોજની 50 લાખથી વધુની કમાણી થઈ રહી છે. ત્યારે તેમાં સૌથી વધુ લોકો યુપીઆઇ પેમેન્ટથી ટિકિટ લે તે જરૂરી છે અને જો એમ થશે તો જ સાચા અર્થમાં એસટી વિભાગના મુસાફરો ડિજિટલાઈઝ બનશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code