1. Home
  2. ગુજરાતી
  3. બંધારણ ધર્મના નામે અનામત આપતું નથી, મુસ્લિમ આરક્ષણ ખતમ થઈ જશે: અમિત શાહ
બંધારણ ધર્મના નામે અનામત આપતું નથી, મુસ્લિમ આરક્ષણ ખતમ થઈ જશે: અમિત શાહ

બંધારણ ધર્મના નામે અનામત આપતું નથી, મુસ્લિમ આરક્ષણ ખતમ થઈ જશે: અમિત શાહ

0
Social Share

લખનૌઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉત્તરપ્રદેશમાં એક સભાને સંબોધતા જણાવ્યું હતું કે, ભાજપ ધર્મના આધારે મુસ્લિમ આરક્ષણ ખતમ કરશે. આપણું બંધારણ ધર્મના આધારે આરક્ષણનું સમર્થન કરતું નથી. તેમણે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી પર જોરદાર નિશાન સાધતા કહ્યું કે તેઓ કહે છે કે તેમણે દેશના ગરીબો માટે ઘણું કામ કર્યું છે. સેનાના વન રેન્ક અને વન પેન્શનની માંગણી કરવામાં આવી હતી. ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીએ તેને પૂરું ન કર્યું, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેને પૂરું કર્યું છે.

ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગરમાં જનતાને સંબોધતા અમિત શાહે કહ્યું કે, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગુનેગારોને ઉંધા લટકાવીને સીધા કરી દીધા છે. અગાઉ અહીં કટ્ટા બનાવવામાં આવતા હતા. આજે બ્રહ્મોસ મિસાઈલ બનાવવામાં આવી રહી છે. શક્ય છે કે કોઈ દિવસ અહીં બનેલો તોપનો ગોળો પાકિસ્તાન પર ચલાવવામાં આવે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઉપર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, તેઓ કહેતા હતા કે કલમ 370 હટાવી દેવામાં આવશે તો લોહીની નદીઓ વહી જશે. રાહુલ જી, આ તમારા દાદીમાનો સમય નથી. ત્યાં એક કાંકરો પણ ખસ્યો નથી.

અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે, ઈન્ડી ગઠબંધનનો ઉદ્દેશ્ય એસસી-એસટી અને ઓબીસીની અનામત લૂંટવાનો છે. ગઈકાલે જ બંગાળ હાઈકોર્ટનો નિર્ણય આવ્યો છે. બંગાળ સરકારે OBC યાદીમાં 180 મુસ્લિમ જાતિઓનો સમાવેશ કર્યો હતો અને મુસ્લિમોને આપણા પછાત વર્ગ માટે અનામતનો અધિકાર આપ્યો હતો. આપણું બંધારણ ધર્મના આધારે આરક્ષણ આપતું નથી. તેથી ગઈકાલે હાઈકોર્ટે 2010 થી 2024 વચ્ચે બંગાળ સરકાર દ્વારા મુસ્લિમ જાતિઓને આપવામાં આવેલ તમામ OBC આરક્ષણોને ફગાવી દીધા છે. અમે ધર્મના આધારે મુસ્લિમ આરક્ષણ ખતમ કરીશું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code