1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કોરોના સંકટઃ અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર મુસાફરોનો શરૂ કરાયો રેપિડ-RTPCR ટેસ્ટ

કોરોના સંકટઃ અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર મુસાફરોનો શરૂ કરાયો રેપિડ-RTPCR ટેસ્ટ

0
Social Share
  • એરપોર્ટ ઉપર પણ શરૂ કરાયાં ટેસ્ટીંગ
  • વિદેશથી આવતા પ્રવાસીઓના ટેસ્ટ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ફરી એકવાર કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. મેગાસિટી અમદાવાદમાં મોટી સંખ્યામાં કેસ સામે આવી રહ્યાં છે. જેથી આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. એટલું જ નહીં અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન ઉપર બહારથી આવતા પ્રવાસીઓનો રેપિટ અને આરટીપીસીઆર ટેસ્ટ શરૂ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં એરપોર્ટ ઉપર પણ વિદેશથી આવતા પ્રવાસીઓનો ફરજિયાત કોરોના ટેસ્ટ કરવામાં આવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના ફરી એકવાર પોઝિટિવ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન ઉપર શરદી-ખાંસીની બીમારીથી પીડિતા દર્દીઓના આરટીપીસીઆર ટેસ્ટ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત માસ્ક નહીં પહેનારા પ્રવાસીઓના કોરોના ટેસ્ટ શરૂ કરવામાં આવ્યાં છે. રેલવે સ્ટેશન ઉપર જો કોઈ કોરોનાનો કેસ મળી આવે તો તેની સારવારની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે.  દુનિયાના અન્ય દેશોમાં પણ કોરોનાના કેસમાં વધારો થયો છે. જેથી હવાઈ માટે વિદેશથી ગુજરાત આવતા પ્રવાસીઓનો પણ કોરોના ટેસ્ટનો નિર્ણય કર્યો છે. અમદાવાદ એરપોર્ટ પર વિદેશથી આવતા તમામ પ્રવાસીઓનો પ્રથમ કોરોના ટેસ્ટ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો થતા મનપા તંત્ર હરકતમાં આવ્યું છે. તેમજ કેટલાક વિસ્તારમાં ફરીથી કોરોના ટેસ્ટીંગ માટે ડોમની શરૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત કેટલાક વિસ્તારમાં સર્વેની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code