1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદના દરેક વિસ્તારમાં કોરોનાના ટેસ્ટિંગ બુથ શરૂ કરાયા, લોકોની લાગતી લાઈનો
અમદાવાદના દરેક વિસ્તારમાં કોરોનાના ટેસ્ટિંગ બુથ શરૂ કરાયા, લોકોની લાગતી લાઈનો

અમદાવાદના દરેક વિસ્તારમાં કોરોનાના ટેસ્ટિંગ બુથ શરૂ કરાયા, લોકોની લાગતી લાઈનો

0
Social Share

અમદાવાદ: શહેરમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. સાથે મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશોએ દરેક વિસ્તારોમાં કોરોનાના ટેસ્ટિંગના બુથ ઊભા કરી દીધા છે. શહેરીજનો પણ સામાન્ય તાવ કે ખાંસી આવતી હોય તો સ્વયંભૂ ટેસ્ટ કરવવા માટે બુથ પર આવી રહ્યા છે. આથી ઘણા બુથ પર શહેરીજનોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. શહેરમાં કોરોનાની પહેલી અને બીજી લહેરની યાદ અપાવતા હોય તેવા દ્રશ્યો ફરી સર્જાઈ રહ્યા છે. શહેરના ઘાટલોડિયાના પ્રભાત ચોકમાં ટેસ્ટિંગ સેન્ટર પર લોકોની લાંબી લાઈન જોવા મળી હતી. અહીં ટેસ્ટ કરાવવા આવેલા લોકોને ખાસ્સો સમય સુધી લાઈનમાં ઊભા રહેવાનો વારો આવ્યો હતો. અમદાવાદમાં હાલ ગુજરાતના સૌથી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. જેનો આંકડો દિવસેને દિવસે વધી રહ્યો છે. એટલું જ નહીં, રાજ્યમાં ઓમિક્રોનના પેશન્ટ્સ પણ વધી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં કોર્પોરેશન દ્વારા સોમવારે  21 નવા માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા હતા.  હાલ શહેરમાં કુલ 65 માઈક્રો-કન્ટેન્મેન્ટ ઝોન છે. જેમાં 240 મકાન અને 904 લોકોનો સમાવેશ થાય છે. જેમાં સૌથી વધારે સાત ઝોન નોર્થ-વેસ્ટ ઝોનમાં આવતા બોડકદેવ, વસ્ત્રાપુર, થલતેજ, ચાંદલોડિયા જેવા વિસ્તારોમાં આવેલા છે.  શહેરમાં 03 જાન્યુઆરીના રોજ 631 કેસ નોંધાયા હતા, જેની સામે 32 લોકોને ડિસ્ચાર્જ અપાયો હતો.

ઓમિક્રોનના કેસની વાત કરીએ તો, અમદાવાદ શહેરમાં 3 જાન્યુઆરીએ સાત નવા કેસ નોંધાયા હતા, જેમાંથી પાંચ ઈન્ટરનેશનલ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા હતા. જોકે તેની સામે બે દર્દીઓ એવા પણ હતા કે જેમની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ના હોવા છતાંય તેમને ઓમિક્રોનનો ચેપ લાગ્યો છે. અમદાવાદમાં અત્યારસુધી ઓમિક્રોનના 57 કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાંથી 24ને ડિસ્ચાર્જ આપી દેવાયો છે. રાહતની વાત એ છે કે, આખાા રાજ્યમાં ઓમિક્રોનને કારણે હજુ સુધી એકેય દર્દીનું મોત  થયું નથી.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદ તેમજ ગુજરાતમાં ઓમિક્રોનના કેસોની સંખ્યા હાલના આંકડાથી ઘણી વધારે હોઈ શકે છે. દર્દીને કોરોના થાય ત્યારબાદ તેને ઓમિક્રોન છે કે કેમ તે જાણવા માટે તેના સેમ્પલનું જિનોમ સિક્વન્સિંગ કરવામાં આવે છે. જોકે, ગુજરાતમાં તેની એક જ લેબ આવેલી છે, જેના પર હાલ કામનું ભારણ વધારે હોવાથી જિનોમ સિક્વન્સનો રિપોર્ટ આવવામાં 10-14 દિવસ જેટલો સમય લાગી જાય છે. ઘણીવાર તો પેશન્ટનો રિપોર્ટ આવે ત્યાં સુધી તે ડિસ્ચાર્જ પણ થઈ ચૂક્યો હોય છે. કોરોનાના કેસ જેમ-જેમ વધી રહ્યા છે, તેમ-તેમ સારવાર હેઠળ રહેલા દર્દીઓનો આંકડો પણ વધી રહ્યો છે.  (file photo)

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code