1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. લખતર તાલુકાના 10થી વધુ ગામોમાં પીવાના પાણીની વિકટ સમસ્યા, તંત્રને રજુઆત
લખતર તાલુકાના 10થી વધુ ગામોમાં પીવાના પાણીની વિકટ સમસ્યા, તંત્રને રજુઆત

લખતર તાલુકાના 10થી વધુ ગામોમાં પીવાના પાણીની વિકટ સમસ્યા, તંત્રને રજુઆત

0
Social Share

સુરેન્દ્રનગરઃ જિલ્લાના લખતર તાલુકાના કેટલાક ગામડાંમાં પીવાના પાણીની વિકટ પરિસ્થિતિ સમસ્યા સર્જાઈ છે. તાલુકાનાં અમુક ગામોમાં 10-10 દિવસથી પાણી આવતું નથી. તો અમુક ગામોમાં પૂરતું પાણી ન આવતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેને કારણે ગ્રામ્ય વિસ્તારોના સરપંચો અને ગ્રામજનો દ્વારા મામલતદાર અને ટીડીઓને રજૂઆત કરાઈ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ જિલ્લાના લખતર તાલુકાનાં કેટલાક ગામડાંઓમાં લાંબા સમયથી પાણી આવતું ન હોવાથી ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપેલો ફેલાયેલો છે. તાલુકાનાં સદાદ ગામમાં અંદાજે દસેક દિવસથી સંપમાં પાણી ન આવતું હોવાથી સરપંચ દ્વારા મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી. તો લરખડિયામાં પણ પાણીની બૂમરાણ ઉઠવા પામી છે. પાણીની વિકટ સમસ્યાને લીધે પશુપાલકોની હાલત પણ કફોડી બની છે. જ્યારે તાલુકાનાં ભાથરિયા ગામમાં છેલ્લા 10 દિવસથી પીવાનું પાણી મળતું ન હોવાની લેખિત રજૂઆત ગ્રામ પંચાયત દ્વારા તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારને કરવામાં આવી છે. આ તમામ રજૂઆતોને ધ્યાને લઇને લખતર મામલતદાર જી.એ.રાઠોડ, તાલુકા વિકાસ અધિકારી એચ.ટી.સાધુ તેમજ પાણી પુરવઠાના અધિકારી ઉપરોક્ત ગામોમાં માહિતી મેળવવા પહોંચ્યા હતા. આમ પંથકમાં રોજબરોજ ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની બૂમરાણો ઉઠવા પામી છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ઢાંકી ગામને દૂરથી આવતી પાઇપલાઈનથી અપૂરતું પાણી મળતું હોવાથી ઢાંકી નજીક આવેલા પમ્પિંગ સ્ટેશન NC 26માંથી પાણી આપવાની રજૂઆત ઢાંકી સરપંચ દ્વારા કરવામાં આવી હતી. અને જો 8 જૂન સુધીમાં પમ્પિંગ સ્ટેશન NC 26માંથી પાણી આપવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ સરપંચે ઉચ્ચારી હતી. (file photo)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code