1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં મ્યુનિના ટેક્સના કૌભાંડ બાદ હવે અધિકારીઓને માટે OTP સિસ્ટમ લાગુ કરાશે
અમદાવાદમાં મ્યુનિના ટેક્સના કૌભાંડ બાદ હવે અધિકારીઓને માટે OTP સિસ્ટમ લાગુ કરાશે

અમદાવાદમાં મ્યુનિના ટેક્સના કૌભાંડ બાદ હવે અધિકારીઓને માટે OTP સિસ્ટમ લાગુ કરાશે

0
Social Share

અમદાવાદઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનના ટેક્સ વિભાગમાં કૌભાંડ પકડાયા બાદ અને આ મુદ્દે ટેક્સ કમિટીના ચેરમેને ફરિયાદ કર્યા બાદ પણ હજુ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી નથી. અને આખાયે કૌભાંડ પર ઢાંકપીછોડો કરવામાં આવી રહ્યો છે. બીજીબાજુ ઓનલાઈન ટેક્સ માટેની સિસ્ટમ વધુ મજબુત કરવામાં આવી રહી છે. ઇ ગવર્નન્સ પ્રોજેકટ મારફતે દરેકને લોગીન આઇડી પાસવર્ડ આપવામાં આવ્યા છે. જોકે કોઈપણ વ્યક્તિને આ આઇડી પાસવર્ડ મળી જાય તો સરળતાથી પોતે એક્સેસ કરી કૌભાંડ કરી શકે છે. આઇડી પાસવર્ડ સિસ્ટમમાં કોઈપણ સેફટી કે સિક્યુરિટી ન હતી. જેથી હવે તમામ અધિકારીઓ કે કર્મચારીઓને લોગીન આઇડી પાસવર્ડમાં OTP સિસ્ટમ લાગુ કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ મ્યુનિ. ટેક્સ વિભાગ સાથે 2.26 કરોડની છેતરપિંડીના પુરાવા સાથે ખુદ ટેક્સ ચેરમેન જૈનિક વકીલે ફરિયાદ કર્યાના 45 દિવસ બાદ પણ અધિકારીઓએ પોલીસ ફરિયાદની તસ્દી લીધી નથી. આખરે જૈનિક વકીલે મ્યુનિ. કમિશનરને પત્ર પાઠવી ક્યારે પોલીસ ફરિયાદ થશે તેની સ્પષ્ટતા માગી છે. મ્યુનિના.ટેક્સ વિભાગમાં સોફ્ટવેરમાં જ ગરબડ કરીને મોટા ટેક્સ પેયરે ટેક્સ ચૂકવ્યો ન હોય અથવા ખૂબ ઓછી રકમ ચૂકવી હોય તો પણ બાકી ટેક્સ ઝિરો કરી દેવાયો હતો. રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલે અલગ અલગ ઝોનમાં 281 કિસ્સામાં 2.26 કરોડની છેતરપિંડીનું કૌભાંડ પકડી પાડ્યું હતું.

તેમણે સિસ્ટમમાં સુધારો કરી સ્વોટ એનાલીસીનો અભિપ્રાય લઇ ફુલ પ્રુફ સિસ્ટમ માટે ક્વોલિફાઇડ એજન્સી પાસે સર્ટિફિકેટ લેવું. છેલ્લા 5 વર્ષમાં થયેલા વ્યવહારોમાં ક્યાં છેતરપિંડી થઈ તેની ચકાસણી સહિતની બાબતો મુદ્દે સ્પષ્ટતા માગી હતી. દરમિયાન મ્યુનિના ટેક્સ વિભાગમાં કરોડો રૂપિયાના ટેક્સની બારોબાર રકમ ક્રેડિટ બતાવી કૌભાંડ આચરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઇ ગવર્નન્સ પ્રોજેકટ મારફતે દરેકને લોગીન આઇડી પાસવર્ડ આપવામાં આવ્યા છે. જોકે કોઈપણ વ્યક્તિને આ આઇડી પાસવર્ડ મળી જાય તો સરળતાથી પોતે એક્સેસ કરી કૌભાંડ કરી શકે છે. આઇડી પાસવર્ડ સિસ્ટમમાં કોઈપણ સેફટી કે સિક્યુરિટી ન હતી. જેથી હવે તમામ અધિકારીઓ કે કર્મચારીઓને લોગીન આઇડી પાસવર્ડમાં OTP સિસ્ટમ લાગુ કરવામાં આવશે. જેના માટે તમામ ખાતાના ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓના નામ, એમ્પ્લોય આઇડી અને મોબાઇલ નંબરની માહિતી ઇ ગવર્નન્સ ખાતા દ્વારા માંગવામાં આવી છે.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, મ્યુનિના ટેક્સ વિભાગમાં રૂ.281 કરોડના બારોબાર ટેક્સ ક્રેડિટ કૌભાંડમાં કોઈ વ્યક્તિએ લોગીન આઇડી પાસવર્ડથી ખાતામાં પૈસા જમા ન થયા હોવા છતાં રકમ ઓનલાઈન ઝીરો બતાવી ટેક્સ ભરાઈ ગયો હોવાનું બતાવાયુ છે. મ્યુનિસિપલ કોર્પોરેશનન તમામ વિભાગમાં ઇ ગવર્નન્સ પ્રોજેકટ હેઠળ TCS સિસ્ટમથી કામગીરી થાય છે. જેમાં ERP સિસ્ટમ હવે વધુ સેફ અને સિક્યોર કરવા માટે હવે લોગીન કરતી વખતે OTP સિસ્ટમ લાગુ કરાશે. જ્યારે પણ કોઈ કર્મચારી કે, અધિકારી લોગીન કરશે ત્યારે તેને OTP આવશે જે નાખ્યા બાદ જ લોગીન કરી શકશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code