1. Home
  2. ગુજરાતી
  3. વર્ષ 2018થી 2020ના સમયગાળામાં ક્રિકેટને અલવિદા કરવાનો નિર્ણય કર્યો હતોઃ આર.અશ્વિન
વર્ષ 2018થી 2020ના સમયગાળામાં ક્રિકેટને અલવિદા કરવાનો નિર્ણય કર્યો હતોઃ આર.અશ્વિન

વર્ષ 2018થી 2020ના સમયગાળામાં ક્રિકેટને અલવિદા કરવાનો નિર્ણય કર્યો હતોઃ આર.અશ્વિન

0
Social Share

દિલ્હીઃ ભારતીય ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને એક સમયે ક્રિકેટને અલવિદા કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ મારા પિતાએ મારા ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, તું મર્યાદિત ઓવરની ક્રિકેટમાં પાછી આવીશ. તેમના આ શબ્દોએ મને પ્રેરણા આપી અને મેં મારો વિચાર બદલી નાખ્યો.

એક ટીવી ચેન્લ સમક્ષ ભારતીય ઓફ સ્પિનર આર.અશ્વિને જણાવ્યું હતું કે, 2018 અને 2020ના સમયગાળા વચ્ચે ક્રિકેટને છોડવાનો નિર્ણય લીધો હતો. મને લાગતું હતું કે હું મારા શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યો છું પરંતુ મને પરિણામ નથી મળતું. ખાસ કરીને એથ્લેટિક પબલ્જીઆ અને પેટેલર ટેન્ડોનિટીસ સાથે – હું છ બોલ ફેંકતો હતો અને પછી હું હાંફતો હતો. એ પછી મારું આખું શરીર દર્દથી ફાટી જતું. જ્યારે ઘૂંટણનો દુખાવો તીવ્ર બન્યો, ત્યારે આગલા બોલ પર મારો કૂદકો પણ ઓછો થઈ ગયો. જ્યારે હું નીચો કૂદી ગયો, ત્યારે મારે મારા ખભા અને પીઠ દ્વારા વધુ સખત દબાણ કરવું પડ્યું. આ કરીને હું મારી જાતને વધુ મુશ્કેલીમાં મૂકતો હતો. આ તે સમય હતો જ્યારે એવું લાગતું હતું કે મારે આ રમતમાંથી બ્રેક લેવો જોઈએ.

તેમણે વધુમાં કહ્યું હતું કે, ‘તમે મને જે પણ કહી શકો છો, તમે મને ટીમમાંથી બહાર કરી શકો છો. ઠીક છે, પણ મારા ઈરાદા પર કે મારા પ્રયાસ પર શંકા કરવી એ મને સૌથી વધુ દુઃખી કરે છે. 2018માં ઈંગ્લેન્ડ સિરીઝ પછી અને તે જ વર્ષે ઓસ્ટ્રેલિયામાં સિડની ટેસ્ટ પહેલા અને એડિલેડ ટેસ્ટ પછી ફરીથી નિવૃત્તિનો વિચાર આવ્યો હતો. જેની સાથે વાત કરતો હતો તે મારી પત્ની હતી. પરંતુ મારા પિતાને મારામાં ઘણો વિશ્વાસ હતો, તેઓ કહેતા હતા કે તું મર્યાદિત ઓવરની ક્રિકેટમાં પાછી આવીશ. તેમના આ શબ્દોએ મને પ્રેરણા આપી અને મેં મારો વિચાર બદલી નાખ્યો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code