દિલ્હીના CM કેજરીવાલે ED સમક્ષ હાજર થવા માટે 12 માર્ચ પછીનો સમય માંગ્યો
નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એક વાર આજે ED – એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સમક્ષ હાજર નહીં થાય. આપને જણાવી દઈએ કે, EDએ દારૂ કૌભાંડ સાથે સંકળાયેલ મની લોન્ડરીંગ કેસ મામલે અરવિંદ કેજરીવાલને 27 ફેબ્રુઆરીએ 8મી સમન્સ મોકલીને આજે 4 માર્ચે હાજર થવાનું કહ્યું હતું. પરંતુ દિલ્હીના મુખ્યમંત્રીએ ફરી હાજર થવાનો ઈનકાર કરી દીધો છે.
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, આ સમન્સ ગેરકાયદેસર છે. છતાં તેઓ જવાબ આપવા તૈયાર છે. તો હવે તેમણે ED પાસે 12 માર્ચ પછીની તારીખ માગી છે. ત્યારબાદ તેઓ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સુનાવણીમાં સામેલ થશે.