1. Home
  2. ગુજરાતી
  3. રમઝાન પહેલા સાઉદી અરેબિયાએ જાહેર કર્યો નિયમ, હવે મસ્જિદોની અંદર આ કામની મનાઈ
રમઝાન પહેલા સાઉદી અરેબિયાએ જાહેર કર્યો નિયમ, હવે મસ્જિદોની અંદર આ કામની મનાઈ

રમઝાન પહેલા સાઉદી અરેબિયાએ જાહેર કર્યો નિયમ, હવે મસ્જિદોની અંદર આ કામની મનાઈ

0
Social Share

નવી દિલ્હી: રમઝાનથી પહેલા ઈસ્લામના બે પવિત્ર શહેરો મક્કા અને મદીનાના દેશ સાઉદી અરેબિયાએ ઈફ્તારને લઈને એક મહત્વનો નિર્ણય કર્યો છે. ઈસ્લામિક દેશે મસ્જિદોની અંદર ઈફ્તાર પ્રતિબંધ લગાવી દીધો છે. રમઝાન ઈસ્લામિક કેલેન્ડરનો નવમો મહિનો હોય છે, તેને ઈસ્લામનો સૌથી પવિત્ર માસ માનવામાં આવે છે. આ વર્ષ રમઝાન 10 માર્ચથી શરૂ થઈ રહ્યો છે, જે 9 એપ્રિલે સમાપ્ત થશે.

રમઝાનમાં મુસ્લિમ સવારથી સાંજ સુધી ઉપવાસ કરે છે. દિવસભર ઉપવાસ બાદ સૂરજ ડૂબ્યા બાદ સાંજે ઉપવાસ તોડે છે, તેને ઈફ્તાર કહેવામાં આવે છે. આ દરમિયાન ઘણાં લોકો મસ્જિદોમાં ઈફ્તારનું આયોજન કરે છે. પરંતુ સાઉદી અરેબિયાએ રમઝાન દરમિયાન મસ્જિદમાં ઈફ્તાર કરવા પર હવે રોક લગાવી દીધી છે. આ પ્રતિબંધનું કારણ મસ્જિદોની સાફ-સફાઈ ગણાવાય છે.

20 ફેબ્રુઆરી, 2024ના ઈસ્લામિક મામલાઓના મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે સાઉદી અરેબિયાની સરકાર આ વાત પર ભાર મૂકે છે કે ઈફ્તારનો કાર્યક્રમ મસ્જિદોની સાફસફાઈને ધ્યાનમાં રાખીને મસ્જિદોની અંદર આયોજીત કરવો જોઈએ નહીં.

સોશયલ મીડિયા સાઈટ એક્સ પર જાહેર કરવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે ઈસ્લામિક મામલાના મંત્રાલયે રમઝાનમાં મસ્જિદોને લઈને ઘણાં નિર્દેશ જાહેર કર્યા છે.

ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે મસ્જિદોના ઈમામ અને મુઅજ્જિન મસ્જિદોની બહાર યોગ્ય સ્થાન પર ઈફ્તારની વ્યવસ્થાની દેખરેખ કરે. તેની સાથે કહેવામાં આવ્યું છે કે ઈફ્તાર માટે કોઈપણ પ્રકારના અસ્થાયી કેમેરા અથવા ટેન્ટ લગાવવામાં આવે નહીં.

નોટિસમાં આગળ કહેવામાં આવ્યું છે કે ઈફ્તાર ઈમામ અને મુઅજિજનની જવાબદારી છે. આના પર આ જવાબદારી પણ છે કે જે કોઈપણ મસ્જિદમાં ઈફ્તાર નહીં  કરવાનો નિયમ તોડશે, તેની પાસે ભોજન સમાપ્ત થતા જ મસ્જિદની સફાઈ કરાવવામાં આવશે.

મંત્રાલયે નિર્દેશ આપ્યો છે કે મસ્જિદના અધિકારીઈફ્તાર માટે દાન લઈ શકે નહીં. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે અલગ-અલગ વિસ્તારોના ઈમામ અને મુઅજ્જિનને કહેવામાં આવ્યું છે કે તેઓ ઈફ્તાર માટે નાણાંકીય દાન લે નહીં.

મસ્જિદના પરિસરમાં કેમેરા અને મોબાઈલ ફોનના ઉપયોગને રોકવાની વાત પણ કહેવામાં આવી છે. તેની સાથે જ નમાઝને સોશયલ મીડિયા શેયર કરવા પર પણ રોક છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code