1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. મોઘલો અને અંગ્રેજોના નામ પરના તમામ રસ્તાઓના નામ બદલવા માંગણી
મોઘલો અને અંગ્રેજોના નામ પરના તમામ રસ્તાઓના નામ બદલવા માંગણી

મોઘલો અને અંગ્રેજોના નામ પરના તમામ રસ્તાઓના નામ બદલવા માંગણી

0
Social Share

દિલ્હીઃ ભારતમાં વર્ષો સુધી મુઘલો અને અંગ્રેજોએ શાસન કર્યું છે. જેથી જે તે સમયે અનેક શહેરો અને માર્ગોના નામ તેમના નામ ઉપરથી રાખવામાં આવ્યાં હતા. હજુ કેટલાક શહેરો અને રસ્તાના નામ મુઘલો અને અંગ્રેજોના નામ ઉપર છે. જેથી દેશમાં મોઘલો અને અંગ્રેજોના નામ પરના રસ્તાઓના નામ બદલવા માટે સાથુ-સંતોની સર્વોચ્ચ સંસ્થા મનાતી બારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગીરીએ સરકાર સમક્ષ માંગણી કરી છે.

તેમણે જણાવ્યું હતું કે, જે લોકોએ આ દેશ પર આક્રમણ કર્યુ હતુ અને જેમણે આ દેશને નુકસાન પહોંચાડ્યુ હતુ તેમના નામ રસ્તાઓ પર જોઈને તકલીફ થાય છે. માત્ર સાધુ સંતોને તકલીફ થાય છે તેવુ નથી. આજના યુવાઓ પણ આ જોઈને હેરાન પરેશાન થઈ રહ્યા છે. આઝાદી પહેલા દેશ સાથે ગદ્દારી કરનારાઓ અને ભારતીયો પર જુલમ કરનારાઓના નામ દેશના તમામ રસ્તાઓ પરથી હટાવવામાં આવે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આવા રસ્તાઓને દેશના મહાનુભાવો જેવા કે શહીદ ચંદ્રશેખ આઝાદ, સુભાષચંદ્ર બોઝ, સરદાર પટેલ, ગુલઝારી લાલ નંદા અને વીર અબ્દુલ હમીદના નામ આપી શકાય તેમ છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code