1. Home
  2. ગુજરાતી
  3. શું તમે જાણો છો કે તુલસીના પાન વાળની માવજત કરવામાં છે મદદરૂપ, વાંચો કેવી રીતે છે તે ઉપયોગી
શું તમે જાણો છો કે તુલસીના પાન વાળની માવજત કરવામાં છે મદદરૂપ, વાંચો કેવી રીતે છે તે ઉપયોગી

શું તમે જાણો છો કે તુલસીના પાન વાળની માવજત કરવામાં છે મદદરૂપ, વાંચો કેવી રીતે છે તે ઉપયોગી

0
Social Share
  • તુલસીના પાન અનેક રીતે છે ઉપયોગી
  • વાળની તકેદારી રાખવામાં થાય છે મદદરૂપ
  • બસ! આ રીતે કરવાનો છે તેનો ઉપયોગ

તુલસીને ઓસીમમ ટેન્યુઇફ્લોરમ તરીકે પણ ઓળખવામાં આવે છે અને પવિત્ર તુલસીનો ઉપયોગ આયુર્વેદના ક્ષેત્રમાં આંખમાં દુખાવો, રોગપ્રતિકારક શક્તિ, શરદી, જંતુના કરડવાથી, સાંધાનો દુખાવો અને અન્ય ઘણી બિમારીઓનો સામનો કરવાની અસ્પષ્ટ ક્ષમતાને કારણે આદરવામાં આવે છે.

તુલસી તમારા નિયમિત કપ ચા અથવા કોફી સાથે સ્વસ્થ સ્વિચ તરીકે કાર્ય કરે છે જે તમારા શરીરને કુદરતી રીતે ડિટોક્સ કરવામાં મદદ કરી શકે છે. આ વર્ષો જૂનું ઔષધિ એન્ટીઓક્સિડેંટ, વિટામિન્સ, એન્ટી ફંગલ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી એજન્ટ્સથી ભરેલું છે જે બ્લેકહેડ્સના દેખાવને રોકવામાં મદદ કરે છે.

વાળને ખરતા માટે રોકવા માટે આ સામગ્રીનો ઉપયોગ કરી શકાય, જેમાં એક મુઠ્ઠી ભરીને તુલસીના પાન, બે ચમચી નારિયેળનું તેલ.

આ બંન્નેને મિક્સ કરતા પહેલા તુલસીના પાનને પાણીથી સાફ કરી નાખો, પછી તેને પાણીની સાથે બ્લેંડરમાં નાખીને પેસ્ટ બનાવી દો. આ પેસ્ટને નારિયેળની સાથે મેળવી દો અને પછી તેને વાળમાં લગાવીને 45 મીનીટ સુધી રહેવા દો. પછી તેને ઠંડા પાણીથી સાફ કરી દો.

જો તમારા વાળ ડ્રાય રહેતા હોય તો બે ચમચી તુલસીનો પેસ્ટ બનાવો, એક ચમચી ઓલિવ ઓઈલ, અડધી ચમચી ક્રશ કરેલા કેળા.

આ તમામ વસ્તુને એક વાટકીમાં મેળવીને જાડ્ડુ પેસ્ટ બનાવો, મિશ્રણને વાળના મૂળ સુધી લગાવો અને 45 મીનીટ સુધી રાખ્યા બાદ તેને પાણીથી સાફ કરી દો. આ પ્રકારે જો તુલસીના પાંદડાનો ઉપયોગ કરવામાં આવે તો વાળની તકેદારી અને માવજત સારી રીતે રહે છે.

જો કે આ એક કુદરતી નુસ્ખો છે, આ પ્રકારનું સાહસ કરતા પહેલા પણ ડૉક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ. કારણ કે કુદરતી રીતે થતા ઉપચાર કેટલાક લોકોને માફક આવતા નથી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code