1. Home
  2. ગુજરાતી
  3. ઓયલી ફૂડ ખાધા પછી કરો આ 5 કામ, દૂર રહેશે સમસ્યાઓ!
ઓયલી ફૂડ ખાધા પછી કરો આ 5 કામ, દૂર રહેશે સમસ્યાઓ!

ઓયલી ફૂડ ખાધા પછી કરો આ 5 કામ, દૂર રહેશે સમસ્યાઓ!

0
Social Share
  • ઓયલી ફૂડ ખાવાના શોખીન છો
  • તો કરો આ 5 કામ
  • દૂર રહેશે સમસ્યાઓ!

મોટાભાગના લોકોને મસાલેદાર અને ટેસ્ટી ખોરાક ખાવાના શોખીન હોય છે. અને એમાં પણ ઓયલી ફૂડનું સેવન વધુ કરતા હોય છે,જોકે,વધુ માત્રામાં તેલ અને મસાલા ખાવાથી ધીમે ધીમે કેટલીક ગંભીર બીમારીઓ થાય છે.પરંતુ હવે ચિંતા કરવાની જરૂર નથી. ઓયલી ફૂડ ખાધા પછી તમારે આ 5 કામ કરવાના રહેશે જેથી સ્વાસ્થ્યને લગતી તમામ સમસ્યાઓ દૂર થશે તો ચાલો જાણીએ આ પાંચ ઉપાય વિશે

કાળા મરી અને અજ્વાઇન:આ દેશી રેસિપી બહુ ઓછા લોકો જાણે છે અને તે ખૂબ જ અસરકારક પણ છે.ઓયલી ફૂડ ખાધા પછી, કાળા મરી અને અજ્વાઇન પાવડર લો અને ગરમ પાણી સાથે સેવન કરો.દરરોજ આમ કરવાથી આવો ખોરાક સરળતાથી પચી જાય છે અને હાર્ટબર્નની સમસ્યા પણ દૂર થાય છે.

ગરમ પાણીઃ આ ઉપાય અપનાવીને પેટની ઘણી સમસ્યાઓ દૂર કરી શકાય છે.આ સાથે ગરમ પાણી ત્વચા માટે પણ ફાયદાકારક છે.જો તમે વારંવાર ઓયલી ફૂડ ખાઓ છો, તો તમારે ચોક્કસપણે ગરમ પાણી પીવું જોઈએ.

અજ્વાઇન અને કાળું મીઠું: પેટની સમસ્યા દૂર કરવામાં અસરકારક છે, એક વાસણમાં અજવાઈન લો અને પાણીમાં કાળું મીઠું મિક્સ કરો.આ પાણી ઉકળે પછી તેને ચૂસકી લઈને પીવો.આ પદ્ધતિથી ઓયલી ફૂડ સરળતાથી પચી શકે છે.

વોક કરો: ખોરાક ઓયલી હોય કે ભારે, તમારે જમ્યા પછી ચાલવું જ જોઈએ.ચાલવાથી શરીરની સમસ્યાઓ તો દૂર થઈ જશે,પરંતુ તમે એક્ટિવ પણ રહેશો. ખાધા પછી તમારે 100 થી 200 ડગલાં ચાલવા જોઈએ.

નેક્સ્ટ ફૂડ માટે પ્લાનિંગઃ જો તમે ઓયલી કે હેવી ફૂડ ખાધું હોય, તો તમારે આગામી ભોજનની યોજના ખૂબ જ કાળજીપૂર્વક કરવી પડશે.તમારે આગામી ખોરાકને સીધો જ રાખવાનો છે. તે પચવામાં સરળ છે, તેથી કોઈ સમસ્યા થશે નહીં.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code