નવરાત્રીના 9 દિવસ શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, જાણો ઘાર્મિક રીત રિવાજ પ્રમાણે કઈ બબાતોનું રાખવું જોઈએ ધ્યાન
હવે નવલી નવરાત્રીને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે શારદીય નવરાત્રિ 15 ઓક્ટોબરના રોજથી શરૂ થશે . આ સમય દરમિયાન દેવી દુર્ગાને પ્રસન્ન કરવા માટે ભક્તો નવ દિવસ સુધી ઉપવાસ રાખે છે. આવી સ્થિતિમાં, જો તમે પણ આ નવરાત્રિનો ઉપવાસ કરી રહ્યા છો,તો કેટલીક બાબતો ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ.
જાણો આ દિવસોમાં શું કર વું જોઈએ અને શું ન કરવું જોઈએ?
- નવરાત્રિના નવ દિવસ દરમિયાન તામસિક ખોરાકથી દૂર રહો અને માંસાહારી ખોરાક ખાવાનું ટાળો આ સહીત આલ્કોહોલનું સેવન ટાળો.
- નવરાત્રિ દરમિયાન વાળ કાપવાની મનાઈ છે. આ દિવસોમાં વાળ ન કપાવવા જોઈએ.
- વ્રત દરમિયાન ઘઉં અને ચોખા ખાવાનું ટાળો.
- નવરાત્રિ દરમિયાન વાનગીઓ બનાવતી વખતે રોક સોલ્ટનો ઉપયોગ કરો.
- નવરાત્રિ દરમિયાન ખોરાક બનાવવા માટે બીજ આધારિત તેલ અથવા રિફાઈન્ડ તેલનો ઉપયોગ કરશો નહીં. તેના બદલે શુદ્ધ ઘી અથવા સીંગતેલ લો.
- નવરાત્રી દરમિયાન લસણ અને ડુંગળીને સખત રીતે ટાળવામાં આવે છે.
- તમારો દિવસ શરૂ કરતા પહેલા દરરોજ સ્નાન કરવું જોઈએ.
- નવરાત્રિના પહેલા દિવસે કલશ અથવા ઘટસ્થાપનનું મહત્વ છે.
નવરાત્રિના અંતિમ દિવસે કન્યાઓને ખવડાવવામાં આવે છે અને પૂજા કરવામાં આવે છે.
- નવરાત્રિ પર દરરોજ તુલસીના છોડમાં ઘીનો દીવો અવશ્ય કરવો, તેનાથી ઘરેલું પરેશાનીઓ દૂર થાય છે અને દામ્પત્ય જીવનમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે
- જો તમે નવરાત્રીના તહેવાર પર અખંડ દીવો પ્રગટાવો છો, તો તમારે તેને આ દિશામાં પણ પ્રગટાવવો જોઈએ, આ કરવાથી તમે તમારા શત્રુઓ પર વિજય મેળવી શકાય છે.
- દેવીની સ્થાપનાની દિશા એટલે કે કલશ સ્થાનક દિશા ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારે ઉત્તર-પૂર્વ કોણ પર દેવીજીની સ્થાપના કરવી જોઈએ. આમ કરવાથી તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ રહે છે.
tags:
navratri 2023