1. Home
  2. revoinews
  3. ભારતકૂલ અધ્યાય–2માં ડૉ. જ્ઞાનવત્સલ સ્વામીજીનું ધ આર્ટ ઑફ બિકમિંગ અ જિનિયસ વિશે પ્રેરણાત્મક ઉદબોધન
ભારતકૂલ અધ્યાય–2માં ડૉ. જ્ઞાનવત્સલ સ્વામીજીનું ધ આર્ટ ઑફ બિકમિંગ અ જિનિયસ વિશે પ્રેરણાત્મક ઉદબોધન

ભારતકૂલ અધ્યાય–2માં ડૉ. જ્ઞાનવત્સલ સ્વામીજીનું ધ આર્ટ ઑફ બિકમિંગ અ જિનિયસ વિશે પ્રેરણાત્મક ઉદબોધન

0
Social Share

અમદાવાદ, 13 ડિસેમ્બર, 2025ઃ Dr. Gyanvatsal Swamiji પૂજ્ય ડૉ. શ્રી જ્ઞાનવત્સલ સ્વામીજીએ ભારતકૂલ અધ્યાય–2માં ઉપસ્થિત રહી ધ આર્ટ ઑફ બિકમિંગ અ જિનિયસ’ વિષય પર ઉદબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું કે જિનિયસ જન્મથી નહીં બને, પરંતુ બનવામાં આવે છે. યોગ્ય દિશામાં પ્રયત્ન કરીએ તો દરેક વ્યક્તિ જીવનમાં શ્રેષ્ઠતા હાંસલ કરી શકે છે.

સ્વામીજીએ કોલસો, ગ્રાફાઇટ અને હીરાનું ઉદાહરણ આપ્યું—ત્રણેય એક જ કુટુંબના હોવા છતાં તેમની કિંમતમાં ફેર છે, કારણ કે તેમની રચના અને ઘડતર અલગ છે. તે જ પ્રમાણે આપણે પણ પોતાને ગોઠવીએ, શિસ્તબદ્ધ બનીએ અને આપણા વિચારોને સનાતન ધર્મ સાથે જોડીએ, તો જીવનમાં વિશેષ મૂલ્ય મેળવી શકીએ.

સ્વામીજી અનુસાર ‘જિનિયસ બનવાની કલા’ માટે ત્રણ મૂળભૂત તત્ત્વ અનિવાર્ય છે:

  1. શ્રેષ્ઠતા તરફનું વલણ (Attitude of Excellence)

દરેક કાર્યમાં શ્રેષ્ઠતા લાવવાનો પ્રયાસ કરવો. શ્રેષ્ઠતા આદત બને તો જીવનમાં ગુણવત્તા આવે છે.

  1. માનવીય સંબંધો (Human Relations)

આસપાસના લોકોને જેવા છે એવા સ્વીકારવાનાં, તેમના સાથે જોડાઈને, સમજીને રહેવાનું સ્વામીજીએ ખાસ ભારપૂર્વક કહ્યું. તેમણે સમજાવ્યું: સંપીને, સમજીને સાથે રહીશ તો સુખી થઈશ.”

  1. તણાવ, નિરાશા અને દબાણનું સંચાલન
ભારતકૂલ અધ્યાય-2 જ્ઞાનવત્સલ સ્વામીજી
ભારતકૂલ અધ્યાય-2 જ્ઞાનવત્સલ સ્વામીજી

તણાવ દૂર કરવા ઈશ્વર પ્રત્યેનો વિશ્વાસ બહુ જરૂરી છે. ઈશ્વરીય ભરોસાથી મન શાંત બને છે, અને શાંત મન જ સુખી બને છે. સુખી થયેલો માણસ જ જીવનમાં આગળ વધી શકે અને જિનિયસ તરફ આગળ વધે છે.

સ્વામીજીએ *“મન મના ભાવ”*નો ઉપદેશ આપતા જણાવ્યું કે ધર્મ અને આધ્યાત્મિકતા આપણને સશક્ત બનાવે છે, માર્ગદર્શન આપે છે અને જીવનમાં સંતુલન લાવે છે.

અંતમાં તેમણે કહ્યું કે જિનિયસ બનવાની કલા ત્રણ મુદ્દાઓ પર આધારિત છે:

  1. શ્રેષ્ઠતા તરફનું વલણ
  2. માનવીય સંબંધો
  3. ધર્મ અને આધ્યાત્મિકતા

આ મૂલ્યોને જીવનમાં ઉતારીએ તો સામાન્ય માણસ પણ અસાધારણ બની શકે છે તેમ તેમણે ઉદાહરણો સાથે સમજાવ્યું હતું.

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કોને કહ્યું, મુસ્કુરાઇએ! ક્યૂં કી અબ આપ સબ ભારત કે નાગરિક હૈ?

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code