1. Home
  2. Tag "Gujarat news"

ન્યાયમૂર્તિ શ્રી બિરેન વૈશ્નવે ગુજરાતના લોકાયુક્ત તરીકે શપથ લીધા

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ – વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી તથા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં લોકભવન ખાતે શપથવિધિ સંપન્ન ગાંધીનગર, 13 મે, 2026 – ન્યાયમૂર્તિ શ્રી બિરેન વૈશ્નવે ગુજરાતના લોકાયુક્ત તરીકે શપથ લીધા છે. ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સેવાનિવૃત્ત ન્યાયમૂર્તિ શ્રી બિરેન વૈષ્ણવને ગાંધીનગરમાં લોકભવન ખાતે ગુજરાત રાજ્યના લોકાયુક્ત તરીકેના શપથ લેવડાવ્યા હતા. […]

ઉત્તર ભારત ગરમીમાં શેકાયું: બાંદા 46.6 ડિગ્રી સાથે દેશનું સૌથી ગરમ શહેર, કાનપુરમાં 56 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

નવી દિલ્હી, 27 એપ્રિલ 2026: ઉત્તર અને મધ્ય ભારતના રાજ્યોમાં હાલ આકરો ઉનાળો પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવી રહ્યો છે. રવિવારે ઉત્તર પ્રદેશનું બાંદા 46.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે સમગ્ર દેશમાં સૌથી ગરમ સ્થળ નોંધાયું હતું. અગાઉના દિવસે પણ અહીં પારો 47.7 ડિગ્રીએ પહોંચ્યો હતો. ગરમીની આ લહેર એટલી પ્રબળ છે કે હવામાન વિભાગે આગામી દિવસોમાં […]

એક વ્યક્તિ ખોટી હોઈ શકે, પણ સાત નહીં: રાઘવ ચઢ્ઢા

નવી દિલ્હી, 27 એપ્રિલ 2026: આમ આદમી પાર્ટી (આપ) સાથે છેડો ફાડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ સોમવારે પોતાના આ મોટા નિર્ણય પાછળનું મૌન તોડ્યું છે. ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કરીને ચઢ્ઢાએ ભાવુક અંદાજમાં જણાવ્યું કે, તેમણે કેમ પોતાના જીવનના ૧૫ વર્ષ જે પાર્ટીને આપ્યા તેને છોડવી પડી. તેમણે સ્પષ્ટ કર્યું […]

પશ્ચિમ એશિયા કટોકટી: ભારત સરકારે ઈંધણ અને નાગરિકોની સુરક્ષા માટે લીધા મોટા નિર્ણય

નવી દિલ્હી, 22 એપ્રિલ 2026: પશ્ચિમ એશિયામાં સર્જાયેલી અસ્થિર ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિને પગલે ભારત સરકારે દેશમાં આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો જાળવી રાખવા અને ભારતીય નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કમર કસી છે. આજે નેશનલ મીડિયા સેન્ટર ખાતે આયોજિત બ્રીફિંગમાં પેટ્રોલિયમ, વિદેશ મંત્રાલય અને ડેરી વિભાગના ઉચ્ચ અધિકારીઓએ સરકાર દ્વારા લેવામાં આવેલા મહત્વના પગલાંની વિગતો આપી હતી. પશુપાલન […]

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે મહાસાગર એકેડેમીનું ઉદ્ઘાટન, દરિયાઈ સુરક્ષા અને કાયદા ક્ષેત્રે ભારતનું નવું કદમ

ગાંધીનગર, 22 એપ્રિલ 2026: ગુજરાતની ધરતી પરથી ભારતના દરિયાઈ વિઝનને વધુ મજબૂત કરવાના હેતુથી ગાંધીનગર સ્થિત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે ‘મહાસાગર એકેડેમી’નું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ભારતીય મેરીટાઇમ યુનિવર્સિટી સાથેની ભાગીદારીમાં શરૂ થયેલી આ એકેડેમી શિક્ષણ, સંશોધન અને નીતિ નિર્ધારણ માટે એક વૈશ્વિક પ્લેટફોર્મ પૂરું પાડશે. આ પ્રસંગ્રે મુખ્ય મહેમાન વાઇસ એડમિરલ બિસ્વજીત દાસગુપ્તાએ […]

હોર્મુઝની ખાડીમાં નાકાબંધીની ટ્રમ્પની જાહેરાત સામે ચીને વ્યક્ત કરી નારાજગી

બેઇજિંગ, 13 એપ્રિલ 2026: ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલેલી 21 કલાકની મેરેથોન બેઠક નિષ્ફળ રહ્યા બાદ પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ એવી હોર્મુઝની ખાડીમાં આજથી (13 એપ્રિલ) સૈન્ય નાકાબંધી કરવાની જાહેરાત કરી છે. ટ્રમ્પની આ ધમકી બાદ ઈરાન અને ચીન તરફથી આકરા પ્રતિભાવો સામે આવ્યા છે, […]

એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના: પીડિત પરિવારોએ બ્લેક બોક્સનો ડેટા જાહેર કરવા PM મોદીને પત્ર લખ્યો

અમદાવાદ, 5 એપ્રિલ 2026: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ગત વર્ષે સર્જાયેલી ભયાનક વિમાન દુર્ઘટનાને 10 મહિના વીતી ગયા હોવા છતાં, મૃતકોના પરિવારો હજુ પણ ન્યાય અને સત્ય માટે વલખાં મારી રહ્યા છે. અમદાવાદમાં મળેલી એક બેઠકમાં ગુજરાતભરના 30 શોકતુર પરિવારોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને અકસ્માત પાછળનું સાચું કારણ જાણવા માટે ‘બ્લેક […]

કચ્છની દરિયાઈ સરહદે હાઈ-એલર્ટ: મરીન કમાન્ડોનું સઘન પેટ્રોલિંગ

ભુજ, 5 એપ્રિલ 2026: પશ્ચિમ એશિયા અને વિશ્વના અન્ય ભાગોમાં ચાલી રહેલી યુદ્ધની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને રાખીને ભારતની પશ્ચિમી દરિયાઈ સરહદ પર સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક કરી દેવામાં આવી છે. કચ્છના વ્યૂહાત્મક રીતે મહત્વના દરિયાઈ વિસ્તારમાં મરીન કમાન્ડોને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે અને મરીન ટાસ્ક ફોર્સ દ્વારા પેટ્રોલિંગમાં અનેકગણો વધારો કરવામાં આવ્યો છે. મળતી […]

AAPમાં આંતરિક બળવો: રાઘવ ચઢ્ઢાને ઉપનેતા પદેથી હટાવ્યા બાદ વીડિયો વોર તેજ

નવી દિલ્હી, 5 એપ્રિલ 2026: રાજ્યસભામાં આમ આદમી પાર્ટી દ્વારા ઉપનેતા પદેથી હટાવવામાં આવ્યા બાદ રાઘવ ચઢ્ઢા અને પાર્ટી નેતૃત્વ વચ્ચેનો વિવાદ હવે જાહેરમાં આવ્યો છે. પાર્ટી દ્વારા મૂકવામાં આવેલા આરોપોનો જવાબ આપવા માટે રાઘવ ચઢ્ઢાએ સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. રવિવારે એક વીડિયો સંદેશ જાહેર કરીને તેમણે પક્ષના વિરોધીઓને આકરો જવાબ આપતા કહ્યું કે, […]

ખેડૂતોને મોટી રાહત, સિંચાઈ માટે 20 એપ્રિલ સુધી સિંચાઈ માટે પાણી મળશે

ગાંધીનગર, 28 માર્ચ 2026: રાજ્યમાં કાળઝાળ ઉનાળાની શરૂઆત વચ્ચે નાગરિકો અને જગતના તાત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. પાણી પુરવઠા મંત્રી ઈશ્વર પટેલે વિશ્વાસ અપાવ્યો છે કે ચાલુ વર્ષે રાજ્યમાં પીવાના પાણી કે સિંચાઈ માટે કોઈ તંગી સર્જાશે નહીં. મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યના જળાશયોમાં પૂરતો જળજથ્થો ઉપલબ્ધ હોવાથી ઉનાળામાં પાણીની સમસ્યા નહિવત રહેશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code