1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદ આરટીઓ કચેરીનો ડ્રાઈવિંગ ટેસ્ટીંગ ટ્રેક બંધ, લાયસન્સ માટે અરજદારોને મુશ્કેલી
અમદાવાદ આરટીઓ કચેરીનો ડ્રાઈવિંગ ટેસ્ટીંગ ટ્રેક બંધ, લાયસન્સ માટે અરજદારોને મુશ્કેલી

અમદાવાદ આરટીઓ કચેરીનો ડ્રાઈવિંગ ટેસ્ટીંગ ટ્રેક બંધ, લાયસન્સ માટે અરજદારોને મુશ્કેલી

0
Social Share

અમદાવાદઃ શહેરના સુભાષબ્રિજ RTOમાં ટેકનિકલ કારણથી ટેસ્ટિંગ ટ્રેક છેલ્લા કેટલાક દિવસથી બંધ હોવાથી નવા ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવા માટે અરજદારોને મુશ્કેલી પડી રહી છે. કહેવાય છે. કે, ડ્રાઈવિંગ ટેસ્ટિંગ ટ્રેકના સેન્સરમાં વિક્ષેપ સર્જાયો છે. જે ટેકનિકલ ટીમ દ્વારા ઇસ્યુ સોલ્વ કરવા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, પરંતુ કેટલા દિવસમાં ઇસ્યુ સોલ્વ થાય તે હજુ સુધી ચોક્કસ નથી. અરજદારો  RTO કચેરીએ ટેસ્ટ માટે આવી રહ્યા છે, પરંતુ તેમના ટેસ્ટ ક્યારે ચાલુ થશે તે કોઈ કહી શકતું નથી. RTO અધિકારીએ આશ્વાસન આપતા કહ્યું હતું કે, જે અરજદારોની મુદત પૂર્ણ થવાની છે, તેમના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. અન્ય લોકો અઠવાડિયામાં ફરીથી ટેસ્ટ આપી શકશે.

અમદાવાદના સુભાષબ્રિજ RTO કચેરીમાં આવેલી ટેસ્ટ માટેના ટ્રેક ટેકનિકલ કારણથી બંધ કરવામાં આવ્યો છે. બે દિવસથી ટ્રેક બંધ છે જેના કારણે RTOમાં ટેસ્ટ આપવા માટે આવતા રોજના 350થી વધુ અરજદારો મુશ્કેલીમાં મુકાયા છે. અરજદારોએ એડવાન્સમાં એપોઇન્ટમેન્ટ બુક કરાવી હતી, પરંતુ જ્યારે નંબર આવ્યો અને RTOમાં ગયા ત્યારે ટ્રેક જ બંધ હોવાની જાણ થતાં અરજદારો વિલા મોઢે પરત ફર્યા હતા. ડ્રાઈવિંગ લાયસન્સના ટેસ્ટ માટે લાંબા સમય બાદ એપોઇન્ટમેન્ટ મળે છે, પરંતુ હવે નંબર આવ્યો ત્યારે સેન્સરમાં ખામી સર્જાતા ટ્રેક બંધ છે. તો હવે ફરીથી એપોઇન્ટમેન્ટ લેવી પડશે.

સૂત્રોના જણાવ્યા મુજબ શહેરની સુભાજબ્રિજ આરટીઓ કચેરીમાં ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકમાં અવારનવાર ખામી સર્જાઈ રહી છે. ગત અઠવાડિયે પણ બપોરના સમયે ટેકનિકલ ઇસ્યુનાં કારણે ટ્રેક બંધ કરી દેવામાં આવ્યો હતો. જેના કારણે ટેસ્ટ આપવા આવેલા અરજદારો મુશ્કેલીમાં મુકાયા હતા. મંગળવારે પણ સવારથી કેટલાક અરજદારો એપોઇન્ટમેન્ટ મુજબ ટેસ્ટ આપવા માટે આવ્યા હતા, પરંતુ ટ્રેક બંધ રહેતા પરત ફર્યા હતા. અરજદારોને આરટીઓ કચેરી તરફથી જણાવવામાં આવ્યું હતું કે, 26 ઓગસ્ટ બાદ ફરીથી એપોઇન્ટમેન્ટ લઈને આવવાનું રહેશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, RTO કચેરી દ્વારા પણ સ્પષ્ટ કરવામાં નથી આવ્યું કે, ટેસ્ટિંગ ટ્રેક ક્યાં સુધી ચાલુ થશે. રોજ 350થી વધુ અરજદારો ટેસ્ટ આપવા માટે આવતા હોય છે. મંગળવારે ટ્રેક બંધ થયાને બીજો દિવસ હતો. એટલે કે 700થી વધુ અરજદારો ટેસ્ટ ના આપી શક્યા. છતાં RTO દ્વારા સ્પષ્ટતા કરવામાં નથી આવી કે ક્યાં સુધી ટેકનિકલ ઇસ્યુ સોલ્વ થશે અને ફરીથી ટેસ્ટ ટ્રેક ચાલુ થશે. જેના કારણે અરજદારો પણ મૂંઝવણમાં મુકાયા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code