1. Home
  2. ગુજરાતી
  3. કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં કોરોના ગ્રસ્ત દર્દીઓ માટે દ્વારકાધીશ મંદિરે આટલા રૂપિયાનું કર્યું દાન
કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં કોરોના ગ્રસ્ત દર્દીઓ માટે દ્વારકાધીશ મંદિરે આટલા રૂપિયાનું કર્યું દાન

કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં કોરોના ગ્રસ્ત દર્દીઓ માટે દ્વારકાધીશ મંદિરે આટલા રૂપિયાનું કર્યું દાન

0
Social Share
  • દ્વારકાધીશ દેવસ્થાન મંદિર સમિતિની પહેલ
  • કોરોના ગ્રસ્ત દર્દીઓ માટે સહાય
  • દ્વારકાધીશ મંદિરે 21 લાખનું કર્યું દાન

રાજકોટ : કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં કોરોના ગ્રસ્ત દર્દીઓ માટે સહાય કરવામાં આવી છે. દ્વારકાધીશ મંદિર તરફથી કોરોના મહામારીમાં લાખો રૂપિયાનું અનુદાન આપવામાં આવ્યું છે.વહીવટી સમિતિ દ્વારા દ્વારકાધીશ મંદિર તરફથી 21 લાખની રકમનું અનુદાન આપવામાં આવ્યું છે, તો સુદામા સેતુ સોસાયટીમાંથી 11 લાખ રૂપિયાનું અનુદાન આપવામાં આવ્યું છે.

આ રકમ કોરોના મહામારી સંદર્ભે ઉપયોગમાં લેવામાં આવશે.આ અંગેનો નિર્ણય ધનરાજભાઈ નથવાણી તેમજ કલેક્ટર દ્વારા લેવામાં આવ્યો છે.બંને સંસ્થાઓએ અન્ય માટે પ્રેરણારૂપ કાર્ય કર્યું છે. મહામારી સમયે દ્વારકાધીશ દેવસ્થાન મંદિર સમિતિની પહેલ અન્ય મંદિરો માટે પ્રેરણા રૂપ બનનાર છે..

જો કે તે વાતમાં કોઈ સંદેહ નથી કે અન્ય મંદિરો દ્વારા પણ નોંધપાત્ર રીતે દાન કરવામાં આવ્યું છે. કોરોનાની સ્થિતિમાં હાલ સમાજ સેવકો, મંદિરો, કેટલાક ટ્રસ્ટો તથા લોકો દ્વારા યથા શક્તિ મુજબ દાન કરવામાં આવી રહ્યું છે. જો વાત કરવામાં આવે માત્ર મંદિરોના દાનની તો ભવિષ્યમાં મોટા મંદિરો દ્વારા આગામી સમયમાં પણ દાન કરવામાં આવી શકે તેમ છે.

છેલ્લા કેટલાક દિવસોથી આંશિક લોકડાઉન તથા કર્ફ્યુના કારણે સ્થિતિમાં થોડો સુધાર જોવા મળ્યો છે. લોકો સતર્કતા વર્તે તો કોરોનાથી દેશની તથા તમામ લોકોને જલ્દીથી રાહત મળી શકે તેમ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code