દરેક માતા-પિતાએ બાળકો સામે બોલવામાં રાખવું જોઈએ ધ્યાન, પડી શકે છે બાળક પર ખરાબ અસર
- માતા પિતાએ બાળકો સામે રાખવું જોઈએ ધ્યાન
- માતા પિતાનું વર્તન બાળકોને કરે છે અસર
આજકાલ માતા પિતા એટલે વ્યસ્ત બન્યા છે કે એકબીજા માટે સમય કાઢવો મુશ્કેલ બની છે. અને જ્યારે પણ સમય મળે છે ત્યારે હરબળીમાં પોતાનું વર્તન કાબૂમાં રાખવાને બદલે પોતાના બાળકો સામે ગુસ્સો કરે છે અથવા તો બાળકના સામા એપશબ્દનો ઉપયોગ કરે છે,જો કે દરેક માતા પિતાએ સમજવું જોઈએ બાળકો સામે કેવા શબ્દો બોલવા કેવી ભાષાનો ઉપયોગ કરવો નહી તો બાળક પર તેની સીધી અસર પડી શકે છે.
જો તમે ઈચ્છો છો કે તમારું બાળક સંસ્કારી બને અને અવગુણોથી દૂર રહે તો સૌ પ્રથમ તમારે આ માટેની તૈયારી કરવાની છે,માતા પિતા બન્યા બાદ તમારે તમારા સ્વભાવ અને વર્તનમાં સહજતા અને સરળતા તથા નર્માશ લાવવી જોઈએ જેવું તમે કરો છો તેવું બાળક શીખે છે.
આ સાથે જ તમારે ઝઘડો ન કરવો જોઈએ,ખાસ કરીને બાળકની હાજરીમાં અપશબ્દો બોલવા કે ગાળાગાળ કરવાનું ટાળો જેથી બાળક પર તેની અસર ન પડે.બને ત્યા સુધી કોઈ સમસ્યા હોય કોઈનાથી તો તે બાળકની ગેર હાજરીમાં ચર્ચા કરવી જોઈએ.આ સાથે જ જો તમારા એક કરતા વધારે બાળકો હોય તો તમારા બે બાળકોની ક્યારેય સરખામણી ન કરવી જોઈએ