1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. બનાસકાંઠાના શિહોરીમાં રાસાયણિક ખાતરની તંગીથી ખેડુતો પરેશાન
બનાસકાંઠાના શિહોરીમાં રાસાયણિક ખાતરની તંગીથી ખેડુતો પરેશાન

બનાસકાંઠાના શિહોરીમાં રાસાયણિક ખાતરની તંગીથી ખેડુતો પરેશાન

0
Social Share

પાલનપુરઃ બનાસકાંઠાના કાંકરેજના મુખ્ય મથક શિહોરીમાં ખાતર મેળવવા માટે ખેડૂતોની  લાઈનો લાગી ગઈ છે. રવી સીઝનમાં ખેડૂતોને પુરતું ખાતર મળતું ન હોવાની વાત સામે આવી છે. ત્યારે ખાતર મેળવવા ખેડૂતો વહેલી સવારથી લાઈનોમાં લાગ્યા છે. રવી સીઝનમાં જરૂરિયાત પ્રમાણે ખાતર ન મળતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ બનાસકાંઠા જિલ્લામાં હાલ રવિ સીઝન ચાલી રહી છે. ઘણાબધા ખેડુતોએ  વાવણી કાર્ય પૂર્ણ કરી દીધુ છે. રવિ સિઝનમાં જ જો ખાતર ન મળે તો ખેડૂતોની હાલત કફોડી બની શકે  છે. જિલ્લામાં  મોટાભાગે લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે.  શિયાળામાં મોટાભાગે રાયડો, બટાકા કે અન્ય પાકનું વાવેતર થતું હોય છે. જેમાં વાવેતર બાદ ખાતરની જરૂરિયાત ઉભી થાય છે. જરૂરીયાતના સમયે જ ખાતર ન મળતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો છે.

કાંકરેજના શિહોરીમાં ખાતર મેળવવા માટે ખેડુકોએ લાઈનો લગાવી દીધી હતી.આ મુખ્યમથક પર દુર દુરથી ખાતર મેળવવા માટે ખેડુતો આવ્યા હતા. પરંતુ  ખાતર ન મળતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. અગાઉ પણ ખાતરની અછતના અનેક કિસ્સા સામે આવ્યા છે.  અંતરિયાળ વિસ્તારમાં ખાતરની અછત અવાર નવાર સર્જાતી હોય છે.

બનાસકાંઠામાં રાસાયણિક ખાતરની અછત અવાર-નવાર ઊભી થાય છે. સરકારે તાજેતરમાં જ ખાતરના ભાવમાં વધારો કર્યો હતો. ભાવ વધાર્યા પછી પણ ખાતરનો પુરતો જથ્થો ઠાલવવામાં આવતો નથી.તેથી રવિ સિઝનના ટાણે ખેડુતો મુશ્કેલી અનુભવી રહ્યા છે. આ પ્રશ્ને સ્થાનિક ધારાસભ્ય સરકારને રજુઆત કરીને પ્રશ્નનો વહેલી તકે નિરાકરણ કરે તેવી માગ ઊઠી છે. (file photo)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code