1. Home
  2. ગુજરાતી
  3. આપણી સંસ્કૃતિમાં શા માટે વૃક્ષો અને ફૂલોની થાય છે પૂજા, જાણો શું છે તેનું મહત્વ
આપણી સંસ્કૃતિમાં શા માટે વૃક્ષો અને ફૂલોની થાય છે પૂજા, જાણો શું છે તેનું મહત્વ

આપણી સંસ્કૃતિમાં શા માટે વૃક્ષો અને ફૂલોની થાય છે પૂજા, જાણો શું છે તેનું મહત્વ

0
Social Share
  • પીપળો અને વટની પૂજા કરવાનું ખાસ મહત્વ
  • હિન્દુ શાસ્ત્રમાં આ વૃક્ષોની થાય છે પૂજા

આપણે સૌ કોઈ વાર તહેવારે પીપળાની પૂજા કરીએ છે,આ રીતે જ કેચલાક એવા વૃક્ષો કે ફૂલો છે જેને આપણે મહત્વ આપીએ છે,પૂજા અર્ચનામાં તેનો ઉપયોગ કરીએ છે, અનેક છોડ અને વૃક્ષોને ધાર્મિક રીતે ખૂબ જ શુભ માનવામાં આવે છે. કારણ કે તેની પૂજા કરવાથી સકારાત્નક ઊર્જા પ્રપાત્ થાય છે.

જો વડના ઝાડની વાત કરીએ તો  કહેવામાં આવે છે કે વિવાહિત મહિલા વડ સાવિત્રીવ્રતનું વ્રત કરે છે તો તેને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. આ વ્રત કરનારી મહિલાઓ પુત્રો, પૌત્ર, સંપત્તિ વગેરે પ્રાપ્ત કરી અનંતકાળ અને પૃથ્વી પરના તમામ સુખનો આનંદ કરી પતિ સાથે બ્રહ્મલોકની પ્રાપ્તિ કરે છે.

પીપળાનું ઝાડ  હિંદુ પરંપરા અનુસાર પીપળનું વૃક્ષ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. આ વૃક્ષ ભગવાન હનુમાન અને ભગવાન શનિના મંદિરની આસપાસ જોઈ શકાય છે. કહેવાય છે કે,જીવનમાં કોઈ પણ મુશ્કેલી આવે તો રોજ પીપળાના ઝાડની સેવા કરવી જોઈએ, 

આ સાથે જ તુલસીનો છોડ લગભગ દરેક ઘરમાં હોય છે અને તેને પવિત્ર માનવામાં આવે છે. જો લોકો કોઈ શુભ કાર્ય કરે છે તો તુલસી પૂજનને સ્થાન આપે છે. કહેવાય છે કે આ છોડને ઘરમાં લગાવવાથી નકારાત્મકતા પણ દૂર થાય છે. આ છોડનો ઉપયોગ માત્ર દવા તરીકે થાય છે.

જો કેળાના ઝાડની વાત કરીએ તો હિન્દુ સંસ્કૃતિમાં તેને ખૂબ જ શુભ વૃક્ષ માનવામાં આવે છે.આ વૃક્ષને ભગવાન વિષ્ણુનું પ્રતિક પણ માનવામાં આવે છે. આ જ કારણ છે કે ગુરુવારે આ વૃક્ષની વિશેષ પૂજા કરવામાં આવે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code