1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં આજે IPLની મેચ દરમિયાન સ્ટેડિયમ તરફ જતા ક્યાં રસ્તાઓ બંધ રહેશે, જાણો
અમદાવાદમાં આજે IPLની મેચ દરમિયાન સ્ટેડિયમ તરફ જતા ક્યાં રસ્તાઓ બંધ રહેશે, જાણો

અમદાવાદમાં આજે IPLની મેચ દરમિયાન સ્ટેડિયમ તરફ જતા ક્યાં રસ્તાઓ બંધ રહેશે, જાણો

0
Social Share

અમદાવાદઃ શહેરના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આજે રવિવારે ગુજરાત ટાઈટન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાશે ત્યારે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ તરફ જતા રસ્તાઓ આજે સવારે 11 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી  ટ્રાફિક- પોલીસ દ્વારા બંધ કરવામાં આવશે, જેને લઈ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ મોટેરા જનપથ ત્રણ રસ્તાથી ક્રિકેટ સ્ટેડિયમ થઈ કૃપા રેસિડેન્સી સુધીનો રસ્તો વાહન ચાલકો માટે બંધ રહેશે. આજે સવારે 11 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી આ રોડ બંધ કરવામાં આવશે. નાગરિકો આ સમયગાળા દરમિયાન તપોવન સર્કલ ઓએનજીસી વિસત સર્કલ થઈ સાબરમતી તરફ અવરજવર કરી શકશે.

અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આજે 31મી માર્ચના રોજ ગુજરાત ટાઈટન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાશે. મેચ જોવા માટે મોટી સંખ્યામાં ક્રિકેટરસિયાઓ આવશે. તેના લીધે ટ્રાફિકની વ્યવસ્થા જળવાય રહે તે માટે પોલીસ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. લોકોને સ્ટેડિયમ પહોંચવા માટે કોઈ અગવડ ન પડે તે માટે મોટેરા સ્ટેડિયમ સ્ટેશન પર રાતે 12 વાગ્યા સુધી મેટ્રો ટ્રેનની સેવા ચાલુ રહેશે. મેટ્રોના મુસાફરોને મુશ્કેલી ન પડે એ માટે સ્પેશિયલ પેપર ટિકિટ બહાર પાડી છે. સ્પેશિયલ પેપર ટિકિટનું ભાડું વ્યક્તિદીઠ ફિકસ રૂ.50 રહેશે, જેનો ઉપયોગ ફક્ત મોટેરા સ્ટેડિયમ તથા સાબરમતી મેટ્રો સ્ટેશનથી બીજા કોઈપણ કાર્યરત મેટ્રો સ્ટેશન સુધી મુસાફરી કરવા માટે થઈ શકશે.

મોટેરા સ્ટેડિયમ તથા સાબરમતી મેટ્રો સ્ટેશન પર અગાઉથી સવારે 8 વાગ્યાથી સ્પેશિયલ પેપર ટિકિટની ખરીદી કરી શકાશે. સ્પેશિયલ પેપર ટિકિટ ઉપરાંત કોન્ટેક્ટલેસ સ્માર્ટ ટોકન્સ, કોન્ટેક્ટલેસ સ્માર્ટ કાર્ડ (GMRC ટ્રાવેલ કાર્ડ અને NCMC કાર્ડ) સાથેની એન્ટ્રી પણ હંમેશની જેમ રાતે 10 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે.

IPL ક્રિકેટ મેચ દરમિયાન લોકો પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યાના કારણે પોતાનાં વાહનો લઈને મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આવવાની જગ્યાએ પબ્લિક ટ્રાન્સપોર્ટ, એટલે કે મેટ્રો, AMTS અને BRTS બસનો ઉપયોગ કરતા હોય છે, જેમાં મેટ્રો ટ્રેનનો સમય વધારવા અંગેનો નિર્ણય ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે અને સ્પેશિયલ ટિકિટ પણ બહાર પાડવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એએમટીએસની બસ સેવા કાર્યરત રહેશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code