1. Home
  2. ગુજરાતી
  3. એસ્ટ્રો
  4. સાયન્સ
  5. આજે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ, શું ભારતમાં લાગશે સૂતક કાળ?
આજે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ, શું ભારતમાં લાગશે સૂતક કાળ?

આજે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ, શું ભારતમાં લાગશે સૂતક કાળ?

0
Social Share

8 એપ્રિલ એટલે કે સોમવારે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ  છે. આ સૂર્યગ્રહણ મીન રાશિ અને રેવતી નક્ષત્રમાં લાગશે. વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ચૈત્રી અમાસના દિવસે થવાનું છે. જ્યોતિષીઓ પ્રમાણે, સૂર્યગ્રહણ ખગોળીય ઘટના છે. સૂર્યગ્રહણ ત્યારે લાગે છે , જ્યારે ચંદ્ર, પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવી જાય છે. તેનાથી સૂર્યની દ્રષ્ટિ પૂર્ણપણે અથવા આંશિકપણે બાધિત થઈ જાય છે.

આ સૂર્યગ્રહણ ભારતમાં જોવા મળવાનું નથી. કેનેડા, ઉત્તર અમેરિકા, મેક્સિકોમાં તેને જોઈ શકાશે. તેના સિવાય કોસ્ટા રિકા, ક્યૂબા, ડોમિનિકા, ફ્રેન્ચ પોલિનેશિયા, જમૈકા, આયરલેન્ડ, ઈંગ્લેડના ઉત્તર પશ્ચિમ ક્ષેત્ર, પશ્ચીમી યૂરોપ, પેસિફિક, અટલાન્ટિક, આર્કટિકમાં ગ્રહણ જોવા મળશે.

સૂર્યગ્રહણ આજે રાત્રે 9 વાગ્યે અને 12 મિનિટથી શરૂ થશે અને તેનું સમાપન 2 વાગ્યે અને 22 મિનિટે થશે. સૂર્યગ્રહણનો મધ્ય સમય રાત્રે 11 વાગ્યે અને 47 મિનિટ પર હશે. આ પૂર્ણ સૂર્યગ્રહણ હશે, જે ભારતમાં જોવા મળશે નહીં. સૂર્યગ્રહણનો સમયગાળો 5 કલાક અને 10 મિનિટનો છે.

આ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ખાસ ગણાય છે. આજે લાગનાર પૂર્ણ સૂર્યગ્રહણ ઘણું લાંબુ માનવામાં આવે છે. જો કે આ ગ્રહણ ભારતમાં જોવા નહીં મળે. પરંતુ કેનેડા, ઉત્તર અમેરિકા, મેક્સિકોમાં જોવા મળશે. આ પૂર્ણ સૂર્યગ્રહણની શરૂઆત દક્ષિણ પેસિફિક મહાસાગરથી થશે. તેના પહેલા આ પ્રકારનું સૂર્યગ્રહણ 1970ના વર્ષમાં જોવા મળ્યું હતું અને આગામી આવું સૂર્યગ્રહણ હવે 2078માં જોવા મળશે.

આ ગ્રહણમાં સૂર્ય, ચંદ્ર અને શુક્રનો સંયોગ બનશે. રાહુ, કેતુના અક્ષાંશ મીન અને કન્યા રાશિમાં પ્રભાવશાળી થઈ જશે. તેની સાથે તેમાં સૂર્ય, મંગળ અને કેતુનો પ્રભાવ બની ગયો છે.

સૂર્યગ્રહણનો પ્રભાવ આખી દુનિયાના લોકો પર પડશે. દુનિયાભરમાં આ સૂર્યગ્રહણથી રાજકીય રીતે ભયંકર ઉથલ-પાથલ મચી શકે છે. શેરબજાર અને દુનિયાભરની આર્થિક સ્થિતિ હચમચી શકે છે. આ પરિવર્તન વિશ્વભરમાં યુદ્ધ અને વિસ્ફોટના સંકેત આપી રહ્યું છે.

ગ્રહણકાળમાં સામાન્યપણે સૂતક લાગી જાય છે. આ કાળમાં ઘણી બધી સાવધાનીઓનું પાલન કરવું પડે છે. જો કે આ ગ્રહણ ભારતમાં જોવા નહીં મળે. માટે નિયમોના પાલનની કોઈ આવશ્યકતા નહીં હોય. ગર્ભવતી મહિલાઓની ચિંતાની કોઈ જરૂર નથી.

ગ્રહણકાળમાં શું કરવું ફાયદાકારક રહેશે?

ગ્રહણકાળમાં મંત્ર જાપ કરવા, ધ્યાન કરવું વિશેષ લાભકારી હશે

ગ્રહણકાળમાં કરવામાં આવેલી પૂજા નિશ્ચિતપણે સ્વીકારાય છે

મંત્રસિદ્ધ કરવા અથવા દીક્ષા લેવી ગ્રહણકાળમાં વિશેષપણે શુભ હોય છે

ગ્રહણ બાદ સ્નાન કરીને કોઈ નિર્ધનને દાન આવશ્ય કરો.

સૂર્યગ્રહણની રાશિઓ પર અસર –

આ ગ્રહણનો પ્રભાવ આગામી એક માસ સુધી દુનિયા પર પઢશે. અલગ-અલગ રાશિઓ પર તેની અસર જોવા મળશે. આ સૂર્યગ્રહણ કર્ક, કન્યા, વૃશ્ચિક, કુંભ અને મીન રાશિ માટે મધ્યમ ફળદાયી રહેશે. વૃષભ, મિથુન, તુલા અને મકર રાશિ માટે તેનું પરિણામ ઉત્તમ હશે. તો મેષ, સિંહ અને ધન રાશિવાળાઓને ખાસ સાવધાની રાખવી પડશે.

જ્યારે પૃથ્વી, સૂર્ય અને ચંદ્ર એક સીધી રેખામાં હોય છે, તેના કારણે પૃથ્વીના એક ભાગ પર સંપૂર્ણપણે અંધારું છવાય જાય છે, ત્યારે પૂર્ણ સૂર્યગ્રહણની સ્થિતિ બને છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code