- તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી હોસ્પિટલમાં દાખલ
- કે. ચંદ્રશેખર રાવ હોસ્પિટલમાં દાખલ
- લપસીને પડી જવાથી હોસ્પિટલમાં દાખલ
હૈદરાબાદ: તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કેસીઆર ગઈકાલે રાત્રે લપસીને પડી ગયા હતા. મળતી માહિતી મુજબ, કેસીઆર ગઈકાલે રાત્રે લપસીને પડી ગયા હતા. આ પછી તેને લગભગ 2 વાગે હૈદરાબાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડૉક્ટરોનું માનવું છે કે કે. ચંદ્રશેખર રાવને પડી ગયા પછી હિપમાં ફ્રેક્ચર થયું હશે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મોડી રાત્રે તેને હૈદરાબાદની યશોદા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પૂર્વ મુખ્યમંત્રી છેલ્લા ત્રણ દિવસથી પોતાના ઘરે લોકોને મળી રહ્યા હતા.
તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે KCRના નેતૃત્વવાળી ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ને હરાવ્યું હતું. કેસીઆર 2014 થી 2023 સુધી તેલંગાણાના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. કેસીઆર તેલંગાણાની બે બેઠકો પરથી ચૂંટણી લડ્યા હતા. તેઓ ગજવેલ બેઠક જીત્યા, પરંતુ કામારેડ્ડીથી હારી ગયા. તેઓ કામારેડ્ડી બેઠક ભાજપના કટ્ટીપલ્લી વેંકટા રમણ રેડ્ડી સામે હારી ગયા, જેમણે આ બેઠક પરથી KCR અને રેવન્ત રેડ્ડીને હરાવ્યા હતા.
આ પહેલા કોંગ્રેસના રેવન્ત રેડ્ડીએ ગુરુવારે 11 મંત્રીઓ સાથે તેલંગાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. 119 સભ્યોની તેલંગાણા વિધાનસભામાં કોંગ્રેસને 64 બેઠકો મળી હતી, જ્યારે BRSને માત્ર 39 બેઠકો મળી હતી. 2014માં તેલંગાણાની રચના બાદ BRSની આ પહેલી હાર છે.