1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગિજુભાઈ બધેકાનો જન્મદિન 15મી નવેમ્બર બાળવાર્તા તરીકે ઊજવાશે
ગિજુભાઈ બધેકાનો જન્મદિન 15મી નવેમ્બર બાળવાર્તા તરીકે ઊજવાશે

ગિજુભાઈ બધેકાનો જન્મદિન 15મી નવેમ્બર બાળવાર્તા તરીકે ઊજવાશે

0
Social Share

ભાવનગર  : યુગમૂર્તિ બાળ કેળવણીકાર સ્વ. ગિજુભાઈ બધેકાના જન્મદિવસ 15 મી નવેમ્બરને ગુજરાત રાજ્યમાં ‘બાળવાર્તા દિન’ તરીકે ઉજવવામાં આવશે. તેમ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું.
તેમણે વધુમાં  જણાવ્યું હતું કે, આ યુગમૂર્તિ બાળ કેળવણીકારે સો વર્ષ પહેલા જે ભાવેણાની ધરતી અને દક્ષિણામૂર્તિથી બાળમાનસને કેળવવાના અને ઘડતર કરવાના વિચારનો પાયો નાંખ્યો હતો તે ભૂમિ પરથી આ જાહેરાત કરતાં હું ગૌરવની લાગણી અનુભવું છું.  બાળ મંદિર, બાળ મંદિરનો ખ્યાલ અને બાળ માનસની કેળવણીના ભીષ્મપિતામહ અને જેને જગત ‘મૂછાળી માં’ તરીકે ઓળખે છે તેવા ગિજુભાઈ બધેકાનો જન્મદિવસ ગુજરાતમાં ‘બાળવાર્તા દિવસ’ તરીકે ઉજવીને તેમને સાચી સ્મરણાંજલિ આપવાનો પ્રયાસ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે.
તેમણે ઉમેર્યુ હતુ કે,જાણીતા હાસ્ય કલાકાર સાંઈરામ દવે અને દક્ષિણામૂર્તિ વિદ્યાલયના ટ્રસ્ટીઓ દ્વારા મુખ્યમંત્રીને આ માટેની રજૂઆત કરવામાં આવી હતી અને જેનો હકારાત્મક પ્રતિભાવ આપીને ગિજુભાઈ બધેકાના જન્મદિવસને દક્ષિણામૂર્તિ વિદ્યાલય, ભાવનગર ખાતે ‘બાળવાર્તા દિન’ તરીકે ઉજવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.  ભારતનું ભવિષ્ય એવાં બાળકને જે બાળ વાર્તાઓ, બાળ ગીતો ગમે છે અને જેની કથની હવે લુપ્ત થઈ રહી છે તેવી બાળવાર્તાઓ વર્તમાનમાં પણ જીવંત રહે અને બાળકોના ઘડતરમાં તેનો ઉપયોગ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ગિજુભાઈ બધેકાના જન્મદિવસને ‘બાળવાર્તા દિન’ તરીકે ઉજવવાનો રાજ્ય સરકારે સ્તુત્ય નિર્ણય કર્યો છે. આવતી કાલ તા. 15 મી નવેમ્બરે સવારે 7-30 થી 9-00 વાગ્યા દરમિયાન  શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી ‘બાળવાર્તા દિન’ની વિધિવત જાહેરાત કરશે. તેમજ સાંઈરામ દવે બાળવાર્તા રજૂ કરશે.

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code