1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગિરનારની લીલી પરિક્રમાને મંજુરી, પણ માત્ર 400 લોકો જ પરિક્રમા કરી શકશે
ગિરનારની લીલી પરિક્રમાને મંજુરી, પણ માત્ર 400 લોકો જ પરિક્રમા કરી શકશે

ગિરનારની લીલી પરિક્રમાને મંજુરી, પણ માત્ર 400 લોકો જ પરિક્રમા કરી શકશે

0
Social Share

જૂનાગઢઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. સરકારે નિયંત્રણો પણ ઉઠાવી લીધા છે. ત્યારે આ વર્ષે ગિરનારની લીલી પરિક્રમાને મંજુરી આપવામાં આવી છે. બે વર્ષ સુધી બંધ રહેલી ગિરનારની લીલી પરિક્રમાને આખરે લીલી ઝંડી મળી ગઈ છે. કલેક્ટરે યોજેલી બેઠક બાદ આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે, આ લીલી પરિક્રમામાં ભાગ લેવા માટે ચોક્કસ સંખ્યા પણ નક્કી કરવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ કોરોના મહમારીના કારણે બે વર્ષથી ગિરનારની લીલી પરિક્રમા મોકૂફ રાખવામાં આવી હતી. પરંતુ હવે કલેક્ટરે બેઠક યોજીને લીલી પરિક્રમાને મંજુરી આપતા ભાવિક ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કલેક્ટરે બેઠક યોજીને નિર્ણય લીધો છે કે, આ વર્ષે લીલી પરિક્રમા યોજાશે. આ લીલી પરિક્રમામાં આ વર્ષે માત્ર 400 લોકોને જ ભાગ લેવાની મંજુરી આપવામાં આવી છે. મહત્વનું છે કે, વર્ષોથી યોજાતી લીલી પરિક્રમામાં લાખો લોકો ઉમટતા હોય છે. ત્યારે આ વખતે માત્ર 400 લોકોને જ લીલી પરિક્રમામાં ભાગ લેવીની મંજુરી આપવામાં આવી છે. આ લીલી પરિક્રમામાં સાધુ સંતો અને પદાધિકારીઓ જ સામેલ થશે. હવે, 400 લોકોમાં કોને કોને સમાવવા એનો નિર્ણય સાધુ, સંતો અને મહાનગર પાલિકા દ્વારા લેવામાં આવશે. બીજી તરફ, બેઠક બાદ વિશ્વ હિન્દુ સંગઠને નારાજગી વ્યક્ત કરી છે. સંગઠને જણાવ્યું કે, માત્ર ફોર્માલિટી માટે જ આ બેઠક યોજવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, દર વર્ષે કારતક સુદ અગિયારસથી ગિરનારની લીલી પરિક્રમા શરૂ થાય છે. ગિરનારની તળેટીમાં ચાર દિવસનો ભવ્ય મેળો પણ યોજાય છે. ત્યારે આ ધાર્મિક પંરપરામાં ઠેર ઠેરથી લોકો ઉમટા હોય છે. લીલી પરિક્રમામાં અંદાજે 10 લાખથી પણ વધુ લોકો આવતા હોય છે. જેઓ ગિરનારના જંગલમાં પરિક્રમા કરી ધન્યતા અનુભવતા હોય છે. જો કે, ગયા વર્ષે પણ જિલ્લા કલેક્ટરે લીલી પરિક્રમા બંધ રાખવા નિર્ણય લીધો હતો. (file photo)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code