1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગોરખપુરઃ ઓમિક્રોનના ભય વચ્ચે પેરોલ મંજુર થવા છતા 3 કેદીઓ ઘરે જવાનો કર્યો ઈન્કાર

ગોરખપુરઃ ઓમિક્રોનના ભય વચ્ચે પેરોલ મંજુર થવા છતા 3 કેદીઓ ઘરે જવાનો કર્યો ઈન્કાર

0
Social Share

લખનૌઃ કોરોના મહામારીને પગલે ગોરખપુર મંડલ દ્વારા જેલમાં બંધ કેદીઓને પેરોલ ઉપર મુક્ત કરવામાં આવ્યાં હતા. હાલ કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનને પગલે ભયનો માહોલ ફેલાયો છે. દરમિયાન જેલમાં બંધ ત્રણ કેદીઓને 90 દિવસના પેરોલ મળવા છતા પણ ઘરે જવા માંગતા નથી. કોરોના મહામારીમાં બહાર કરતા જેલની અંદર જ આ કેદીઓ પોતાને સુરક્ષિત માનતા હોવાનું મનાઈ રહ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગત વર્ષે માર્ચ 2020માં પણ કેદીઓની ભીડ ઘટાડવાના પ્રયાસમાં શરૂઆતના દિવસોમાં કેદીઓને પેરોલ પર મુક્ત કરવામાં આવ્યા હતા. ઘણા કેદીઓને વચગાળાના જામીન પણ આપવામાં આવ્યા હતા. કેદીઓની પેરોલનો સમયગાળો ઘણી વખત પૂર્ણ થયો હતો. કોરોનાના ખતરાને જોતા આ સમયગાળો દર વખતે વધતો રહ્યો છે. જેલ સત્તાવાળાઓએ લગભગ આઠ મહિના કે તેથી વધુ સમય માટે પેરોલ પર બહાર રહેલા 26 કેદીઓને તેમની મુદત પૂરી થવા પર જેલમાં પાછા ફરવા નોટિસ પાઠવી હતી.

જેલના સૂત્રોના જણાવ્યા અનુસાર 26 લોકોને નોટિસ મોકલવામાં આવી હતી. જેમાં માત્ર 3 કેદીઓ જેલમાં પરત ફર્યા હતા. દરમિયાન, કોરોનાની બીજી લહેર દસ્તક આપી અને કેદીઓના પેરોલમાં ફરીથી વધારો કરવામાં આવ્યો. જે કેદીઓ પાછા ન ફર્યા તેમને ફરીથી થોડા મહિનાઓ માટે બહાર રહેવાની મંજૂરી આપવામાં આવી. આ ત્રણેય કેદીઓ જેલમાં પ્રવેશ્યા હતા.

જેલ પ્રશાસન દ્વારા તેને ફરીથી ઘરે જવા માટે કહેવામાં આવ્યું હતું પરંતુ તે તેના માટે તૈયાર નહોતો. કોરોનાના ડરમાં તેણે જેલને ઘર કરતાં વધુ સુરક્ષિત માન્યું. હવે જ્યારે કેદીઓનો પેરોલનો સમયગાળો પૂરો થઈ રહ્યો છે ત્યારે ઓમિક્રોને દસ્તક આપી છે. દરમિયાન જેલમાં પરત ન ફરેલા કેદીઓને વધુ ત્રણ મહિના જેલની બહાર રહેવાની આઝાદી મળી હતી, પરંતુ જેલમાં આવેલા ત્રણ કેદીઓને આઝાદી મળી હતી. જ્યારે જેલ પ્રશાસને તેને પેરોલ પર ઘરે જવા કહ્યું ત્યારે તેણે સ્પષ્ટપણે ના પાડી દીધી.

(Photo-File)

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code