1. Home
  2. ગુજરાતી
  3. દેશમાં કુદરતી આફતથી ગુજરાતને સૌથી વધારે અસરઃ 1.49 લાખ હેકટર જમીનમાં નુકશાન

દેશમાં કુદરતી આફતથી ગુજરાતને સૌથી વધારે અસરઃ 1.49 લાખ હેકટર જમીનમાં નુકશાન

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ગયા વર્ષે ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક જિલ્લામાં ખેતરો ધોવાતા ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. આ ઉપરાંત વાવાઝોડાને કારણે ચાલુ વર્ષે ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. આ મુદ્દો લોકસભામાં પણ ગુંજ્યો હતો. કુદરતી આફતથી સમગ્ર દેશમાં ખેતી લાયક જમીનમાં સૌથી વધુ નુકસાન ગુજરાતને થયાનું કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે લોકસભામાં જણાવ્યું હતું.

લોકસભાનાં ચોમાસા સત્રમાં અલગ-અલગ સાંસદોએ કૃષિ મંત્રાલયને દેશમાં પુર અને વાવાઝોડા સહિતની આફતોથી કૃષિ લાયક જમીનને કેટલું નુકસાન થયું તે અંગે પ્રશ્નો કરવામાં આવ્યા હતા. આ અંગે કૃષિ મંત્રાલયે જણાવ્યું હતું કે, સૌથી વધુ નુકસાન ગુજરાતની 1.49 લાખ હેક્ટર જમીનને થયું છે. આ નુકસાન તૌકતે વાવાઝોડાના કારણે થયું હતું.

દરમિયાન ગુજરાત ખેડૂત એકતા મંચના પ્રમુખ સાગર રબારીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં માત્ર અમરેલી, ગીર-સોમનાથ અને જુનાગઢમાં જ 3.04 લાખ હેક્ટર જમીનમાં ઉનાળુ પાકને નુકસાન થયું હતું. તેમજ બાગાયતી પાક, ભાવનગરમાં કેરીનો પાક, વડોદરા અને ભરૂચ અને એ સિવાયના અનેક વિસ્તારોમાં નુકસાનના આંકડાઓ રાજ્ય સરકાર રજુ કરી રહી છે. ગુજરાતમાં ખરા અર્થમાં 6 લાખ હેક્ટર કરતા પણ વધારે નુકસાન થયું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code