1. Home
  2. ગુજરાતી
  3. સૌથી જૂની એગ્રિકલ્ચર બેન્કની ચૂંટણી: 17માંથી 8 બેઠક ઉપર BJPની બિનહરીફ જીત
સૌથી જૂની એગ્રિકલ્ચર બેન્કની ચૂંટણી: 17માંથી 8 બેઠક ઉપર BJPની બિનહરીફ જીત

સૌથી જૂની એગ્રિકલ્ચર બેન્કની ચૂંટણી: 17માંથી 8 બેઠક ઉપર BJPની બિનહરીફ જીત

0
Social Share

ગાંઘીનગરઃ કેન્દ્ર સરકારના સહકાર મંત્રાલયની રચના બાદ સહકારી ક્ષેત્ર પર ભાજપનો દબદબો સ્થાપિત થઈ રહ્યો છે. ગુજરાતમાં પહેલી વાર ખેતી બેંક પર ભાજપનો ભગવો લહેરાવા જઈ રહ્યો છે. સહકારથી સરકાર સુધીના એજન્ડા સાથે ભાજપ સહકારી સંસ્થાઓ પર એક પછી એક કબજો મેળવી રહ્યો છે. ત્યારે ગુજરાતની સૌથી જૂની સહકારી ખેતી બેંક પર પણ ભાજપનો કબજો થવા જઈ રહ્યો છે.આવતીકાલે શનિવારે ખેતી બેંકની ચુંટણી યોજાશે જેનુ અમદાવાદ ખાતે મતદાન થશે.

સૂત્રોના જણાવ્યા મુજબ આવતીકાલે તા.7મી ઓગસ્ટે ગુજરાતની સૌથી જૂની ખેડૂતો માટે બનેલી ગુજરાત સ્ટેટ કો–ઓપરેટિવ એગ્રિકલ્ચર એન્ડ રૂરલ ડેવલોપમેન્ટ બેંક એટલે કે ખેતી બેંકની ચૂંટણી યોજાશે. 17 જિલ્લામાંથી 10 જિલ્લામાં ડિરેકટરો બિનહરીફ થયા છે. જ્યાર 7 જિલ્લાના ડિરેકટરો માટે ચૂંટણી યોજાશે. 10માંથી 8 પર ભાજપ સમર્થિત ડિરેકટરો ચૂંટાયા છે. જ્યારે જીએસસીબેંકન 1 ડિરેકટર સહિત કુલ 9 ડિરેકટરો ભાજપના હોવાથી ભાજપનો ભગવો લહેરાયો છે.

ખેતી બેંકની 7 ડિરેકટરોની આ ચૂંટણી ખૂબ રસપ્રદ રહેશે. કારણ કે, બનાસકાંઠા જિલ્લામાં કાકા–ભત્રીજા સામસામે છે. જ્યારે મહેસાણા સહિ 4 જગ્યાએ ભાજપના જ સ્થાનિક નેતાઓ આમને સામને છે.  ખેતી બેંકના છેલ્લા ચેરમેન ધીરેન્દ્ર ચૌધરીએ ફરી વાર ચેરમેન બનવા માટે દાવેદારી કરી છે અને ભાજપના સત્તાવાર ઉમેદવાર છે. જેમને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સમર્થન છે. પણ બીજી તરફ રામજીભાઈ ચૌધરી ભાજપના ધીરેન્દ્ર ચૌધરી હરાવવા મેદાને છે.

રામજીભાઈ ચૌધરીને દૂધસાગર ડેરી અને જિલ્લાના 2 ધારાસભ્યોનું સમર્થન છે. મહેસાણા જિલ્લાના 49 મતદારો ધીરેન્દ્ર ચૌધરી અને ખેતી બેંકનું ભાવિ નક્કી કરશે. આ 7 જિલ્લાની ચૂંટણી પ્રક્રિયાની વાત કરીએ તો મહેસાણા, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ, અમદાવાદ, ખેડા અને સુરતના 195 મતદારો અમદાવાદ હેડ ઓફિસમાં મતદાન કરશે. મતદાન બાદ સાંજે જ પરિણામ જાહેર થશે અને 30 દિવસની અંદર પ્રથમ બેઠક મળશે.

ખેતી બેંકના કુલ 21 ડિરેકટર હોય છે જેમાં 17 ચૂંટાયેલા ડિરેકટરો,3 રાજ્ય સરકાર નોમિનેટ અને એક પ્રતિનિધિ જીએસસી બેંકમાંથી હોય છે. અત્યાર સુધી ખેતી બેંકના બોર્ડની મુદત 3 વર્ષની હતી અને હવે નવા નિયમો મુજબ 5 વર્ષની રહેશે. આઝાદી પછી ગત ટર્મમાં પહેલીવાર ચેરમેન અને વાઈસ ચેરમેન પદ પર ભાજપનો કબજો હતો અને એ પણ કોંગ્રેસના ટેકાથી. અત્યાર સુધીના ઇતિહાસમાં આ વખતે પહેલીવાર સંપૂર્ણ બોર્ડ પર ભાજપનો કબજો રહેશે. જે સહકારથી સરકાર સુધીના સૂત્રને સાચા અર્થમાં સાબિત કરશે

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code