1. Home
  2. ગુજરાતી
  3. કોરોનાના કેસ વધતા આરોગ્ય મંત્રી વડોદરા દોડી આવ્યાઃ લીધા મહત્વના નિર્ણયો
કોરોનાના કેસ વધતા આરોગ્ય મંત્રી વડોદરા દોડી આવ્યાઃ લીધા મહત્વના નિર્ણયો

કોરોનાના કેસ વધતા આરોગ્ય મંત્રી વડોદરા દોડી આવ્યાઃ લીધા મહત્વના નિર્ણયો

0
Social Share

વડોદરાઃ શહેરમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો થતા રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે વડોદરા દોડી આવ્યા હતા. અને તેમણે ઉચ્ચ અધિકારીઓ સાથે ઉચ્ચરસ્તરીય બેઠક યોજી હતી. ત્યારબાદ આરોગ્યમંત્રીએ પ્રેસ કોન્ફરન્સને સંબોધી બેઠકમાં લેવાયેલાં નિર્ણય અંગે જાણ કરી હતી. વડોદરામાં હવે અમદાવાદની જેમ કોરોના રેપિડ ટેસ્ટ માટેના કેમ્પ બનશે અને ચાર અતિથિ ગૃહને કોવિડ કેર સેન્ટરમાં ફેરવવાના નિર્ણયની જાહેરાત કરી હતી.

ગુજરાતમાં પણ બીજા તબક્કાનું કોરોના સંક્રમણને કારણે કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં દિવાળી પછીનો એક સમય સારો આવ્યો હતો કે કોરોનાના કેસમાં ઘટાડો થયો હતો. તેથી રાજ્ય સરકારની અને ખાનગી હોસ્પિટલની કોરોનાના દર્દીઓ માટેની બેડ ખાલી થઈ ગઈ હતી પણ કમનસીબે સમગ્ર દેશમાં એકસાથે પીકની શરૂઆત થઈ તે જ રીતે ગુજરાતમાં પણ છેલ્લા દસેક દિવસથી કોરોના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા જેવા ગીચ વસ્તી ધરાવતાં શહેરોમાં કોરોનાનું સંક્રમણ વધારે છે.

આ અંગે આરોગ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ હતું કે,એક સમયે ગુજરાતમાં 700 કેસો આવતા હતા. અને અત્યારે 2200-2300 દર્દીઓ આવે છે. તેવામાં વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના કેસોમાં વધારો થઈ રહ્યો છે. વડોદરાની મીટિંગમાં તમામ મુદ્દે ચર્ચા થઈ હતી. અમે એક-એક વોર્ડ અને એક-એક હોસ્પિટલનો રિવ્યુ કરીએ છીએ.તેમજ વડોદરા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં જે સ્થિતિ છે તેને લઈને જરૂરી નિર્ણયો કર્યા છે. અને આવતીકાલે રવિવારથી નવા નિર્ણયોનો અમલ થઈ જશે.જેમાં ધનવંતરી રથ દ્વારા સમગ્ર શહેરોમાં 200 જેટલી ટીમો બનાવી આરોગ્યની ચકાસણી કરવાનું કામ ચાલુ છે.

વડોદરા શહેરમાં દરેક વિભાનસભા દીઠ અમદાવાદ, સુરતની જેમ બે કેમ્પ યોજવામાં આવશે. અને તેમાં રેપિડ ટેસ્ટ કરવામાં આવશે. શહેરીજનો ધનવંતરી રથની સાથે કેમ્પ પર જઈને ટેસ્ટ કરાવી શકશે.જ્યારેબીજો નિર્ણય એ લેવામાં આવ્યો છે, કે, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાર અતિથિગૃહમાં ગરીબ અને મધ્યમવર્ગના પરિવારો પૈકીના વ્યક્તિઓને શંકાસ્પદ લક્ષણો જણાય તો તેઓને હોસ્પિટલનાં બદલે કોવિડ કેર સેન્ટર બનાવીને સારવાર તેમજ જમવા સહિતની સુવિધાઓ આપવામાં આવશે. અને ડોક્ટરી તપાસમાં જેમને વધારે લક્ષણો હશે તેમને કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. હાલમાં પ્રાથમિક લક્ષણો ધરાવતાં દર્દીઓ પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. જેને કારણે જરૂરિયાતવાળા દર્દીઓને બેડ મળતા ન હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code