1. Home
  2. ગુજરાતી
  3. બિકાનેર ખાતે ભારતીય વાયુસેનાનું મિગ-21 ક્રેશ, પાયલટ સુરક્ષિત
બિકાનેર ખાતે ભારતીય વાયુસેનાનું મિગ-21 ક્રેશ, પાયલટ સુરક્ષિત

બિકાનેર ખાતે ભારતીય વાયુસેનાનું મિગ-21 ક્રેશ, પાયલટ સુરક્ષિત

0
Social Share

ભારતીય વાયુસેનાનું એક વિમાન રાજસ્થાનના બિકાનેર જિલ્લામાં ક્રેશ થયું હોવાના અહેવાલ છે.

બિકાનેર જિલ્લાના શોભાસર નજીક ક્રેશ થયેલું યુદ્ધવિમાન ભારતીય વાયુસેનાનું મિગ-21 હોવાનું અહેવાલોમાં જણાવવામાં આવે છે.

બિકાનેરના એસપીને ટાંકીને ન્યૂઝ એજન્સીએ પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે શોભાસર ખાતે યુદ્ધવિમાનના ક્રેશ થતા પહેલા પાયલટ સુરક્ષિત રીતે ઈજેક્ટ થયો હતો. પાયલટ સુરક્ષિત છે અને કોઈ જાનહાનિના અહબેવાલ નથી.

મહત્વપૂર્ણ છે કે ગત સપ્તાહે જમ્મુ-કાશ્મીરના ગારંડ કલાન ગામમાં ભારતીય વાયુસેનાનું એક ચોપર એમઆઈ-17 દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ દુર્ઘટનામાં એક નાગરિક અને છ વાયુસેનાકર્મીઓએ જીવ ગુમાવ્યા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code