1. Home
  2. ગુજરાતી
  3. ICC T-20 World Cup: ભારત-પાકિસ્તાનની મેચને લઈને દર્શકોમાં ઉત્સાહ
ICC T-20 World Cup: ભારત-પાકિસ્તાનની મેચને લઈને દર્શકોમાં ઉત્સાહ

ICC T-20 World Cup: ભારત-પાકિસ્તાનની મેચને લઈને દર્શકોમાં ઉત્સાહ

0
Social Share

નવી દિલ્હીઃ ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચનો ક્રેઝ દરેક ક્ષણે દરેક જગ્યાએ અલગ જ લેવલે હોય છે. ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ICC T20 વર્લ્ડ કપ માટે 6,00,000થી વધુ ટિકિટો વેચાઈ ગઈ છે. સમગ્ર દુનિયામાં ક્રિકેટ વર્લ્ડકપનો ક્રેઝ આ ટિકિટના આંકડા પરથી લગાવી શકાય છે.

આ ગ્લોબલ ક્રિકેટ ઇવેન્ટ 16 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે, જેમાં શરૂઆતી તબક્કાની મેચો રમાશે. ત્યારબાદ 22 ઓક્ટોબરથી મોટી ટીમોની મેચો શરૂ થશે. ઓસ્ટ્રેલિયાના સાત શહેરો આ ગેમ્સનું આયોજન કરી રહ્યા છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાની ન્યૂઝીલેન્ડ સામેની ઓપનિંગ મેચ 22 ઓક્ટોબરે રમાશે. ફાઈનલ મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. મહત્વની વાત એ છે કે આ મેચની તમામ ટિકિટો વેચાઈ ગઈ છે. જોકે આ ઈન્ટરનેશનલ એન્કાઉન્ટરમાં દરેકની નજર ભારત પાકિસ્તાન મેચ પર જ હોય છે.

(PHOTO-FILE)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code