1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં શાળા સંચાલકો જુનના અંત સુધીમાં ફાયર NOC નહીં મેળવે તો સ્કુલની માન્યતા રદ કરાશે
ગુજરાતમાં શાળા સંચાલકો જુનના અંત સુધીમાં ફાયર NOC નહીં મેળવે તો સ્કુલની માન્યતા રદ કરાશે

ગુજરાતમાં શાળા સંચાલકો જુનના અંત સુધીમાં ફાયર NOC નહીં મેળવે તો સ્કુલની માન્યતા રદ કરાશે

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ઘણીબધી શાળાઓમાં ફાયરની એનઓસી નહીં હોવાથી સરકારે કડક વલણ અખત્યાર કર્યું છે. જે શાળાઓ પાસે ફાયર એનઓસી નથી તે શાળાઓના સંચાલકોને આગામી તારીખ 30 જૂન સુધીમાં શાળાઓની એન.ઓ.સી લેવા માટે આદેશ કર્યો છે. જો શાળાઓ દ્વારા ફાયર વિભાગનું એનઓસી લેવામાં નહીં આવે અને ત્યારબાદ જો તેમની સામે કાર્યવાહી થશે તો તેની જવાબદારી સંચાલક મંડળની રહેશે તેવી સૂચના આપવામાં આવી છે. અને આવી શાળાઓની માન્યતા પણ રદ કરવા સુધીના પગલા લેવાય શકે છે. રાજ્યની શાળાઓને ફાયર વિભાગની એનઓસી મેળવી લેવા માટે અનેક વખત સૂચનાઓ આપવામાં આવી હોવા છતાં હજુ અનેક શાળાઓ પાસે ફાયર વિભાગની એનઓસી  લીધી નથી જેને લઇને શિક્ષણ બોર્ડ દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને પરિપત્ર મોકલી તેમના તાબાની તમામ શાળાઓને 30 જૂન સુધીમાં ફાયર વિભાગનું એનઓસી મેળવા આદેશ કરાયા છે.

ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ સરકારે શાળાઓમાં ફાયરની ઘટના બનતી અટકાવવા માટે ફાયરની સુવિધા ફરજિયાત કરવામાં આવી છે. જેના પગલે તમામ શાળાઓને ફાયરની સુવિધા ઉપલબ્ધ કરાવી ફાયર વિભાગનું એનઓસી લેવા માટે શાળાઓને અગાઉ સૂચનાઓ આપવામાં આવી હતી. છેલ્લા 1 વર્ષથી શાળાઓને ફાયર વિભાગનુ એન ઓ સી મેળવી લેવા માટે અનેક વખત તાકીદ કરવામાં આવી હતી અને અનેક વખત પરિપત્ર પણ કરવામાં આવ્યા હતા.આમ છતા શાળા સંચાલકો સરકારના આદેશને ઘોળીને પી ગયા હતા. વારંવાર સૂચનાઓ છતા પણ ઘણી શાળાઓ પાસે ફાયર વિભાગની એનઓસી ન હોવાનું સામે આવતા શિક્ષણ બોર્ડ દ્વારા તાકીદે પરિપત્ર કરી ફાયર વિભાગનું એનઓસી મેળવી લેવા માટે આદેશ કર્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને ઉદ્દેશીને પરિપત્ર કરવામાં આવ્યો છે. જેમાં તેમના તાબા હેઠળ આવતી તમામ શાળાઓને ફાયર વિભાગનું એનઓસી 30 જૂન સુધીમાં મેળવી લેવા માટે આદેશ કરવામાં આવ્યો છે. અને  30 જૂન સુધીમાં ફાયર વિભાગની એનઓસી મેળવવાની કામગીરી પૂર્ણ કર્યા બાદ ફાયરની એનઓસીની નકલ બીટ નિરીક્ષકને મોકલી આપવા માટે પણ સૂચના આપી છે. આમ, લાંબા સમય સુધી અનેક વખત પરિપત્ર કર્યા હોવા છતાં શાળાઓએ ફાયર વિભાગનું એનઓસી લીધું ન હોવાથી શિક્ષણ બોર્ડને ફરી પરિપત્ર કરવાની ફરજ પડી છે.
ફાયર એનઓસી ના મુદે સરકારને હાઈકોર્ટમાંથી ફટકાર પડે છે છતા શાળા સંચાલકો આ મામલે દાદ આપતા નથી તેવા સંજોગોને ધ્યાનમા લઈ ને સરકાર આકરા વલણ અપનાવવા જઈ રહી છે.જો ફાયર એનઓસી નહી હોય તેવી શાળાઓની માન્યતા રદ કરવામા આવશે.

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code