1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાતમાં એક વર્ષમાં પ્રાણી સંગ્રહાલયોમાં 167 પ્રાણીઓના મોત

ગુજરાતમાં એક વર્ષમાં પ્રાણી સંગ્રહાલયોમાં 167 પ્રાણીઓના મોત

0
Social Share

અમદાવાદઃ ગુજરાતના વિવિધ પ્રાણી સંગ્રહાલયોમાં છેલ્લા 3 વર્ષના સમયગાળામાં 895 જેટલા પ્રાણીના મોત થયા હોવાનું જાણવા મળે છે. સમગ્ર દેશમાં 3 વર્ષના સમયગાળા દરમિયાન પ્રાણી સંગ્રહાલયોમાં 9513 જેટલા પ્રાણીના મોત થયાં છે. વર્ષ 2019-20માં ગુજરાતના પ્રાણી સંગ્રહાલયમાં 167 પ્રાણીના મોત થયાં હતા. જ્યારે મહારાષ્ટ્રના પ્રાણી સંગ્રહાલયોમાં સૌથી વધારે 339 પ્રાણીએ અંતિમ શ્વાસ લીધા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતના પ્રાણી સંગ્રહાલયોમાં પ્રાણીઓના મોતની સંખ્યામાં સતત ઘટાડો થયો છે. વર્ષ 2017-18માં 366, 2018-29માં 362 જ્યારે 2019-20માં 167 પ્રાણીઓના મોત થયાં હતા. સમગ્ર દેશમાં વર્ષ 2019-20માં 2513 પ્રાણીઓના મોત થયાં હતા. જેમાં મહારાષ્ટ્રના પ્રાણી સંગ્રહાલયમાં સૌથી વધારે 339, કર્ણાટકના પ્રાણી સંગ્રહાલયોમાં 315, બંગાળમાં 197, ઝારખંડમાં 187, તમિલનાડુમાં 170 પ્રાણીઓના મોત થયાં હતા.

સમગ્ર દેશના પ્રાણી સંગ્રહાલયોમાંથી છેલ્લા ૩ વર્ષમાં 9513 પ્રાણીઓએ જીવ ગુમાવ્યો છે. જેમાં 2017-18માં 3270, 2018-19માં 3209 અને 2019-20માં 2534 પ્રાણીઓના મૃત્યુ થાય છે. આમ, 2019-20 દરમિયાન દેશના પ્રાણી સંગ્રહાલયોમાં થતાં મૃત્યુમાં પણ ઘટાડો નોંધાયો છે. પ્રાણી સંગ્રહાલયોમાં પ્રાણીઓના વિવિધ બીમારી તથા કુદરતી મોત થયાં હતા.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code