1. Home
  2. ગુજરાતી
  3. લેન્ડ ફોર જોબ મામલે નો કોર્ટે લાલુ પ્રસાદ અને રાબરીને પાસપોર્ટ જમા કરાવાનો આપ્યો આદેશ, મંજુરી વિના નહી જઈ શકે વિદેશ
લેન્ડ ફોર જોબ મામલે નો કોર્ટે લાલુ પ્રસાદ અને રાબરીને પાસપોર્ટ જમા કરાવાનો આપ્યો આદેશ, મંજુરી વિના નહી જઈ શકે વિદેશ

લેન્ડ ફોર જોબ મામલે નો કોર્ટે લાલુ પ્રસાદ અને રાબરીને પાસપોર્ટ જમા કરાવાનો આપ્યો આદેશ, મંજુરી વિના નહી જઈ શકે વિદેશ

0
Social Share

લખનૌઃ-  લાલુ પ્રસાદ યાદવ સામે ઘમા સમયથી  લેન્ડ ફોર જોબ્સમાં કાર્યવાહી ચાલી રહી છએ ત્યારે આજ રોજ આ કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ કેસમાં કોર્ટે આ કેસમાં સંડોવાયેલા તમામ આરોપીઓના પાસપોર્ટ જમા કરાવવાનો આદેશ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે  22 સપ્ટેમ્બરે CBI સ્પેશિયલ કોર્ટે નવી ચાર્જશીટને મંજૂરી આપી હતી. આ સાથે જ કોર્ટે લાલુ અને રાબડી સહિત 17 આરોપીઓ સામે સમન્સ જારી કરીને તેમને 4 ઓક્ટોબરે હાજર થવાનો આદેશ આપ્યો હતો. આ કેસમાં કોર્ટે તેજસ્વી યાદવ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ સ્વીકારી લીધી છે. સીબીઆઈએ પહેલીવાર તેજસ્વી યાદવને પણ આ કેસમાં આરોપી બનાવ્યો છે.

આ સાથે જ આજની સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે  આ લોકોએ હવે વિદેશ જતા પહેલા કોર્ટની પરવાનગી લેવી પડશે. ઉલ્લેખનીય છે  કે આ કેસમાં લાલુ પ્રસાદ યાદવ, રાબડી દેવી અને તેજસ્વી યાદવ આરોપી ઘોષિત છે.

આ સહીત કોર્ટે આ કેસની આગામી સુનાવણી 29 નવેમ્બરના રોજ નક્કી કરી છે. અગાઉ આ કેસની સુનાવણી 16 ઓક્ટોબરે થઈ હતી. ત્યારબાદ કોર્ટે લાલુને રાહત આપી અને તેમને દરેક સુનાવણીમાં હાજર રહેવાની મંજૂરી આપી. આ સાથે, કોર્ટે ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવને સત્તાવાર પ્રવાસ પર વિદેશ જવાની મંજૂરી આપી હતી. કોર્ટે આ કેસમાં લાલુ પ્રસાદ અને રાબડી દેવીને 50 હજાર રૂપિયાના અંગત બોન્ડ પર જામીન આપ્યા છે.

 CBIનો આરોપ છે કે લાલુ પ્રસાદ યાદવ રેલ્વે મંત્રી હતા ત્યારે આ કૌભાંડ થયું હતું. જેમાં લાલુ પરિવારના સભ્યોના નામે મિલીભગતથી નોકરી લેનારા યુવકો પાસેથી મોટા પાયે જમીન ખરીદવામાં આવી હતી. સીબીઆઈને તેની તપાસમાં જાણવા મળ્યું કે આ નોકરીઓ મુંબઈ, કોલકાતા, જયપુર અને જબલપુર ડિવિઝનમાં આપવામાં આવી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code