1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. ઠંડી ની સિઝનમાં ઘંવ ની રોટલીની જગ્યા એ જુવાર, બાજરી સહિત આ રોટલાનું કરવું જોઈએ સેવન
ઠંડી ની સિઝનમાં ઘંવ ની રોટલીની જગ્યા એ  જુવાર, બાજરી સહિત આ રોટલાનું કરવું જોઈએ સેવન

ઠંડી ની સિઝનમાં ઘંવ ની રોટલીની જગ્યા એ જુવાર, બાજરી સહિત આ રોટલાનું કરવું જોઈએ સેવન

0
Social Share

હાલ શિયાળા ની ઋતુ શરૂ થઈ ચૂકી છે ત્યારે દરેક લોકો એ પોતાની હેલ્થનું ખાસ ધ્યાન આપવાની જરૂર છે ખાશ કરીને આપણે પોતાના ખોરાક પર ધ્યાન આપું જરૂરી બને છે શિયાળામાં ખાસ જુવાર બાજરી અને રાગી નું જો સેવન કરવામાં આવે તો સરીર વધુ તંદુરસ્ત રહે છે .

રાગી ખાવાના ફાયદાઓ 

આ સાથે જ રાગીના સેવનથી એનીમિયા એટલે કે, શરીરમાં લોહીની ઉણપને દૂર કરવામાં મદદ મળે છે.રાગીમાં રહેલ ફાઈબર કબજિયાત અને પેટના દુખાવાની સમસ્યાને પણ દૂર કરે છે.જે લોકોને પેટ સાફ ન થવાની સમસ્યા હોય કે પેટને લગતી સમસ્યાઓ હોય તેમાં રાગીનું સેવન કરવું જોઈએ રોજીંદા આહારમાં રાગીના રોટલા ખાવાથઈ આ સમસ્યાઓ દૂર થાય છે.રાગીમાં કેલ્શિયમની માત્રા બહુ સારી હોય છે, જે હાડકાં મજબૂત કરવામાં પણ મદદ કરે છે. જે લોકોના હાડકાની સમસ્યા હોય તેમણ ે રાગીના ઘાન્યનું સેવન કરવું ખૂબ ફાયદા કારક સાબિત થાય છે.રાગી ખાવાથી શરીરના બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં પણ મદદ મળે છે, એટલે ડાયાબિટીસના દર્દીઓ પણ તેનું સેવન કરી શકે છે.

જુવાર ખાવાના ફાયદાઓ 

જુવાર ઇન્ટિગ્રલ, જે તેના શુદ્ધ સ્વરૂપમાં જુવાર છે. તે કૂસકૂસ જેવું લાગે છે, પરંતુ તેની રચના થોડી ચીવિયર છે.મોતી, જે આખા જુવારના દાણાના બાહ્ય શેલને દૂર કરે છે, તમને નરમ ડંખ અને ઓછું પ્રોટીન અને ફાઇબર આપે છે.જુવાર વિવિધ પ્રકારના પોષક તત્ત્વોથી સમૃદ્ધ છે, જેમાં બી વિટામિન્સનો સમાવેશ થાય છે, જે ચયાપચય, ચેતા વિકાસ અને તંદુરસ્ત ત્વચા અને વાળમાં આવશ્યક ભૂમિકા ભજવે છે.

બાજરી ખાવાના ફાયદાઓ 

જે લોકો મેદસ્વી, ખૂબ વજનવાળા છે, બાજરી ખાવાનું તેમના માટે ફાયદાકારક છે. વજન ઘટાડવા માટે બાજરી ઉપયોગી છે.  જે લોકો બાજરીનું સેવન કરે છે તેનું વજન ઓછું થાય છે.  બાજરીના દાણા, બાજરીની રોટલી અને તેનો રાબ ખૂબ ઉપયોગી છે. બાજરી ખાવાથી પેટ ભરાઈ જાય છે, જેનાથી ભૂખ ઓછી થાય છે. જે વજન ઘટાડવા માટે ઉપયોગી છે.

બાજરીમાં કેલ્શિયમની ભરપુર માત્રા હોય છે જે આપણા હાડકાઓને મજબૂત રાખે છે. બાળકો અને વૃદ્ધોને ઓસ્ટીયોપોરોસિસથી મજબૂત બનાવે છે. તેથી, કેલ્શિયમની ઉણપવાળા લોકોએ તેમના આહારમાં બાજરીનું સેવન કરવું જોઈએબાજરીમાં ફાઈબર વધારે હોય છે, તેથી તે પાચનની સુવિધા માટે પણ ઉપયોગી છે. ડાયાબિટીસના દર્દીઓ માટે પણ બાજરી ઉપયોગી છે. ડાયાબિટીઝ હોય તેવા લોકો માટે ઘઉં અને ચોખાની વાનગીઓ ખાવી નુકસાનકારક છે. આવા લોકો માટે બાજરી જરૂરી છે. બાજરી ડાયાબિટીઝમાં સુગરને નિયંત્રણમાં રાખે છે

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code