1. Home
  2. ગુજરાતી
  3. ભારતીય નૌસેના 2047 સુધીમાં ‘આત્મનિર્ભર’ બનવાનું લક્ષ્ય ધરાવે છે:એડમિરલ આર હરિ કુમાર
ભારતીય નૌસેના 2047 સુધીમાં ‘આત્મનિર્ભર’ બનવાનું લક્ષ્ય ધરાવે છે:એડમિરલ આર હરિ કુમાર

ભારતીય નૌસેના 2047 સુધીમાં ‘આત્મનિર્ભર’ બનવાનું લક્ષ્ય ધરાવે છે:એડમિરલ આર હરિ કુમાર

0
Social Share

મુંબઈ:નૌસેનાના પ્રમુખ એડમિરલ આર હરિ કુમારે શનિવારે જણાવ્યું હતું કે,ભારતીય નૌસેનાએ   સરકારને સંદેશ આપ્યો છે કે,તે 2047 સુધીમાં “આત્મનિર્ભર” બની જશે.તેમણે નેવી ડે પર એક પ્રેસ કોન્ફરન્સમાં એમ પણ કહ્યું કે,નેવી હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચીનના વિવિધ સૈન્ય અને સંશોધન જહાજોની હિલચાલ પર નજીકથી નજર રાખે છે.

કુમારે કહ્યું કે,ભારતીય નૌકાદળે છેલ્લા એક વર્ષમાં ખૂબ જ ઉચ્ચ કાર્યકારી ક્ષમતા હાંસલ કરી છે અને દરિયાઈ સુરક્ષાના મહત્વ પર વધુ ભાર આપવામાં આવી રહ્યો છે.નૌકાદળના વડાએ કહ્યું, “સરકારે અમને આત્મનિર્ભર ભારત અંગે સ્પષ્ટ માર્ગદર્શિકા આપી છે.અમે કહ્યું છે કે ભારતીય નૌસેના 2047 સુધીમાં આત્મનિર્ભર બની જશે.” એડમિરલ આર હરિ કુમારે એમ પણ કહ્યું કે ઓપરેશનલ ક્ષમતાના સંદર્ભમાં, અમે છેલ્લા એક વર્ષમાં અમારો ખૂબ જ વ્યસ્ત સમય રહ્યો છે.

તેમણે કહ્યું કે,એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંતને નેવીમાં સામેલ કરવું એ ભારત માટે ઐતિહાસિક ઘટના છે.તેમણે કહ્યું કે નૌકાદળનો હેતુ દેશ માટે ‘મેક ઇન ઇન્ડિયા’ સુરક્ષા ઉકેલો હાંસલ કરવાનો છે.તેણે વિશ્વમાં રાષ્ટ્રનું કદ વધારવામાં ફાળો આપ્યો છે.મને ખાતરી છે કે,આવનારા વર્ષોમાં વિક્રાંત ગર્વથી ઈન્ડો-પેસિફિક ક્ષેત્રના વિશાળ વિસ્તારો પર ત્રિરંગો લહેરાવશે.તેમણે કહ્યું કે,લગભગ 3,000 અગ્નિવીર નેવીમાં પહોંચ્યા છે જેમાંથી 341 મહિલાઓ છે.નૌકાદળના વડાએ કહ્યું કે પ્રથમ વખત “અમે મહિલા ખલાસીઓને નેવીમાં સામેલ કરી રહ્યા છીએ”.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code