1. Home
  2. ગુજરાતી
  3. લાલ નિશાન સાથે ખુલ્યા બાદ ભારતીય શેરબજારમાં તેજી
લાલ નિશાન સાથે ખુલ્યા બાદ ભારતીય શેરબજારમાં તેજી

લાલ નિશાન સાથે ખુલ્યા બાદ ભારતીય શેરબજારમાં તેજી

0
Social Share

અમદાવાદઃ ભારતીય શેરબજાર ગઈકાલે ભારે ઘટાડા સાથે બંધ થયા બાદ આજે સવારે લાલ નિશાન સાથે જ ખુલ્યું હતું. જો કે, માર્કેટ ઓપનિંગના એકાદ કલાકમાં જ માર્કેટ લીલા નિશાન ઉપર એટલે કે વધારા ઉપર પરત ફર્યું હતું. સવારે એકાદ કલાકમાં જ બીએસઈમાં 200થી વધારે પોઈન્ટનો વધારો થયો હતો. જ્યારે નિફ્ટીમાં 75થી વધારે પોઈન્ટ સાથે ટ્રેડ કરતું હતું.

ભારતીય શેરબજારમાં આજે ઓપનિગ ઘટાડા સાથે જઈ હતી. બીએસઈનો સેંસેક્સ 205.06 અંક એટલે 0.24 ટકા ઘટાડા સાથે 70165.49ના લેવલે ઓપન થયો હતો. જ્યારે એનએસઈ નિફ્ટી 53.55 અંકના ઘટાડા સાથે 21185 પોઈન્ટ ઉપર ખુલ્યો હતો. સેંસેક્સના શેરો ઉપર નજર કરીએ તો 30માંથી 19 શેર તેજી સાથે કારોબાર કરી રહ્યાં છે જ્યારે 11 શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. સેંસેક્સમાં ટોપ ગેનર્સ ઉપર નજર કરીએ તો ઈન્ડસઈંડ બેંસ સૌથી ટોપ ઉપર છે અને 1.60 ટકા વધારો થયો છે. જ્યારે ટાટા સ્ટીલમાં 1.36 ટકા અને એસબીઆઈમાં 1.23 ટકા વધારો નોંધાયો છે. ઈન્ફોસિસમાં 1.05 ટકા તથા એચસીએલ ટેકમાં 0.97 ટકાનો વધારો નોંધાયો છે.

બીએસઈમાં બુધવારે 1053 પોઈન્ટ અને નિફ્ટીમાં 333 પોઈન્ટનો ઘટાડો થયો હતો. જેથી રોકાણકારોના આઠ લાખ કરોડનું ધોવાણ થયાનું અંજાદ છે. જો કે, આવે સવારે માર્કેટ ઘટાડા સાથે ઓપન થયા બાદ તેજી આવતા રોકાણકારોએ રાહતનો શ્વાસ લીધો હતો. હાલ બીએસઈ 400થી વધારે પોઈન્ટના વધારા સાથે જ્યારે એનએસસી 139 પોઈન્ટના વધારા સાથે ટ્રેડ કરી રહ્યો છે. હાલ માર્ટેમાં તમામ સેક્ટરમાં તેજી જોવા મળી રહી છે.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code