Homeગુજરાતીઈન્દિરા ગાંધીની આજે જન્મજયંતિ,પીએમ મોદી સહિત અનેક મોટા નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

ઈન્દિરા ગાંધીની આજે જન્મજયંતિ,પીએમ મોદી સહિત અનેક મોટા નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

  • આજે ઈન્દિરા ગાંધીની જન્મજયંતિ
  • પીએમ મોદી સહિત અનેક નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

દિલ્હી: પીએમ નરેન્દ્ર મોદીએ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી છે. 19 નવેમ્બર 1917ના રોજ જન્મેલા ઈન્દિરા ગાંધી 1966 થી 1977 સુધી અને ફરીથી 1980 થી 1984 માં તેમની હત્યા સુધી વડા પ્રધાન હતા.

પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલિ

PM એ ટ્વિટમાં કહ્યું, “ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રીમતી ઈન્દિરા ગાંધીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ.”

ખડગેએ પણ શ્રદ્ધાંજલિ આપી 

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ ઈન્દિરા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી છે. ખડગેએ કહ્યું, “ભારતના પ્રથમ મહિલા વડા પ્રધાન અને અમારા આઇકન ઇન્દિરા ગાંધીને તેમની જન્મજયંતિ પર અમારી નમ્ર શ્રદ્ધાંજલિ. તેમણે કહ્યું કે ઈન્દિરાજીએ ભારતની એકતા અને અખંડિતતા જાળવવામાં અને આપણા દેશને મજબૂત અને પ્રગતિશીલ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

ખડગેએ વધુમાં કહ્યું કે, પૂર્વ વડાપ્રધાને સતત કાર્યક્ષમ નેતૃત્વ, સાચી વફાદારી અને ભારત માટે મજબૂત ઈચ્છાશક્તિનું પ્રદર્શન કર્યું અને દેશ માટે સર્વસ્વ બલિદાન આપ્યું.

રાહુલ-સોનિયાએ શક્તિ સ્થળ પર જઈને શ્રદ્ધાંજલિ આપી 

આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી, કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી અને કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે આજે પૂર્વ વડા પ્રધાન ઈન્દિરા ગાંધીને તેમની જન્મજયંતિ પર શક્તિ સ્થળ પર શ્રદ્ધાંજલિ આપી હતી.

અરવિંદ કેજરીવાલે પણ પોસ્ટ કર્યું

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પણ દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન શ્રીમતી ઈન્દિરા ગાંધીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી.

સંબંધિત લેખો

Most Popular